ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી રેલીમાં રક્ષા મંત્રી રાજનાથસિંહનું સંબોધન, પીઓકેના લોકોને શું કહ્યું જાણો - DEFENCE MINISTER RAJNATH SINGH

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2024, 5:29 PM IST

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી રેલીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પીઓકેના લોકો ભારતનો હિસ્સો બની જાય, અમે તમને અમારું માનીએ છીએ જ્યારે પાકિસ્તાન તમને વિદેશી માને છે. DEFENCE MINISTER RAJNATH SINGH

રક્ષા મંત્રી રાજનાથસિંહ
રક્ષા મંત્રી રાજનાથસિંહ (IANS)

જમ્મુ: રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારના રોજ પાકિસ્તાનના કબજાવાળા કશ્મીર(POK) ના લોકોને ભારત આવવા અને તેનો હિસ્સો બનવાનું કહ્યું હતું. તેઓએ પીઓકે નિવાસીઓને કહ્યું કે, અમે તમને પોતાના માનીએ છીએ જ્યારે પાકિસ્તાન તમને વિદેશી માને છે.

રેલી સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું: રક્ષામંત્રીએ આ વાતો ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે રામબન વિધાનસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહી હતી. તેઓએ અનુચ્છેદ 370 ને પુનઃસ્થાપિત કરવાના ચૂંટણી વચનને લઇને નેશનલ કોન્ફરેન્સ- કોંગ્રેસ ગઠબંધન પર નિશાનો સાધીને કહ્યું કે, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આ અસંભવ છે.

રક્ષામંત્રીની ભાજપને સમર્થન આપવા અપીલ: તેઓએ ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ કરવા પર જમ્મુ કશ્મીરની સુરક્ષા સ્થિતિમાં બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હવે અહીના યુવાનો પાસે પિસ્તોલ અને ગનની જગ્યાએ લેપટોપ અને કંપ્યૂટર છે. રક્ષામંત્રીએ કહ્યું કે, રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપો. જેથી અમે મોટા પ્રમાણમાં વિકાસ લાવી શકીએ.

પાકિસ્તાન POKના લોકોને વિદેશી માને છે: તેઓએ કહ્યું કે, એટલો બધો વિકાસ થશે કે પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીરના લોકો પણ કહેશે કે, અમારે પાકિસ્તાનમાં નથી રહેવું પણ અમે ભારત જાશું. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનના એડિશનલ સોલિસિટર જનરલનું એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, પીઓકે એક વિદેશી જમીન છે. સિંહે કહ્યું કે, પીઓકેના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે, પાકિસ્તાન તમને વિદેશી માને છે પરંતુ ભારતના લોકો તમને એવા નથી માનતું અમે તમને પોતાના માનીએ છીએ એટલે આવો અને ભારતનો ભાગ બનો.

આ પણ વાંચો:

  1. ભારતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળ્યો, દર્દીને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો - SUSPECTED MPOX CASE
  2. આસામ: NRC વગર નહીં બને આધાર, આસામના CM હિમંતા બિસ્વા સરમાનો મોટો નિર્ણય - NO NRC NO AADHAAR

જમ્મુ: રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારના રોજ પાકિસ્તાનના કબજાવાળા કશ્મીર(POK) ના લોકોને ભારત આવવા અને તેનો હિસ્સો બનવાનું કહ્યું હતું. તેઓએ પીઓકે નિવાસીઓને કહ્યું કે, અમે તમને પોતાના માનીએ છીએ જ્યારે પાકિસ્તાન તમને વિદેશી માને છે.

રેલી સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું: રક્ષામંત્રીએ આ વાતો ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે રામબન વિધાનસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહી હતી. તેઓએ અનુચ્છેદ 370 ને પુનઃસ્થાપિત કરવાના ચૂંટણી વચનને લઇને નેશનલ કોન્ફરેન્સ- કોંગ્રેસ ગઠબંધન પર નિશાનો સાધીને કહ્યું કે, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આ અસંભવ છે.

રક્ષામંત્રીની ભાજપને સમર્થન આપવા અપીલ: તેઓએ ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ કરવા પર જમ્મુ કશ્મીરની સુરક્ષા સ્થિતિમાં બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હવે અહીના યુવાનો પાસે પિસ્તોલ અને ગનની જગ્યાએ લેપટોપ અને કંપ્યૂટર છે. રક્ષામંત્રીએ કહ્યું કે, રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપો. જેથી અમે મોટા પ્રમાણમાં વિકાસ લાવી શકીએ.

પાકિસ્તાન POKના લોકોને વિદેશી માને છે: તેઓએ કહ્યું કે, એટલો બધો વિકાસ થશે કે પાકિસ્તાનના કબ્જા વાળા કશ્મીરના લોકો પણ કહેશે કે, અમારે પાકિસ્તાનમાં નથી રહેવું પણ અમે ભારત જાશું. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનના એડિશનલ સોલિસિટર જનરલનું એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, પીઓકે એક વિદેશી જમીન છે. સિંહે કહ્યું કે, પીઓકેના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે, પાકિસ્તાન તમને વિદેશી માને છે પરંતુ ભારતના લોકો તમને એવા નથી માનતું અમે તમને પોતાના માનીએ છીએ એટલે આવો અને ભારતનો ભાગ બનો.

આ પણ વાંચો:

  1. ભારતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળ્યો, દર્દીને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો - SUSPECTED MPOX CASE
  2. આસામ: NRC વગર નહીં બને આધાર, આસામના CM હિમંતા બિસ્વા સરમાનો મોટો નિર્ણય - NO NRC NO AADHAAR
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.