ETV Bharat / bharat

PM મોદીનો ઈરાદો આમ આદમી પાર્ટીને ખત્મ કરવાનો છેઃ અરવિંદ કેજરીવાલ - Arvind Kejriwal Speech against bjp

author img

By ETV Bharat Gujarati Team

Published : May 19, 2024, 1:55 PM IST

દિલ્હી સ્થિતિ ભાજપ હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરતા પહેલા કાર્યકરો આમ આદમી પાર્ટીના કાર્યાલય પર એક થયા હતા. કાર્યકર્તાઓને સંબોધિત કરતા સીએમ કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે શરાબ કૌભાંડ બોગસ છે અને EDને કંઈ મળ્યું નથી. ખોટા આરોપો લગાવીને AAP નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. આતિશી, રાઘવ ચઢ્ઢા, ગોપાલ રાય સહિત, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા.

દિલ્હીમાં કેજરીવાલની જનસભા
દિલ્હીમાં કેજરીવાલની જનસભા (Etv Bharat)

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ ભાજપ હેડક્વાર્ટર જતા પહેલા મંચ પર પહોંચ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાઉન્સિલરોએ કહ્યું કે લવ યુ સર, અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આઈ લ યૂ ટૂ કહ્યું છું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈરાદો આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન ઝાડુ શરૂ કર્યું છે. ભાજપના નેતાઓને મળવા આવેલા લોકોએ આ વાત જણાવી.

કેજરીવાલના પ્રહારઃ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે આમ આદમી પાર્ટી દેશમાં ઝડપથી વિકાસ કરી રહી છે અને આવનારા સમયમાં આ પાર્ટી ઘણા રાજ્યોમાં ભાજપ માટે આકરો પડકાર બની શકે છે. આમ આદમી પાર્ટી ભવિષ્યમાં મોટો પડકાર ન બને તે માટે આગામી સમયમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની ઓફિસ ખાલી કરીને તેમને રસ્તા પર લાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલના ભાષણ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકરોએ તેમને પાર્ટી કાર્યાલયની બહાર ધકેલી દીધા હતા.

તેમણે કહ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે જો તમે એક નેતાની ધરપકડ કરો છો, તો 100 નેતાઓ પેદા થશે, જો તમે એક કેજરીવાલની ધરપકડ કરશો તો 1000 કેજરીવાલ પેદા થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ લોકોએ ઘણા આરોપો લગાવ્યા છે. આ લોકોએ દારૂના કૌભાંડના આક્ષેપો કર્યા છે, આજે જનતા પૂછી રહી છે કે દારૂના કૌભાંડમાં હજુ સુધી કંઈ મળ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે, આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે બોલાવ્યા બાદ AAP કાર્યકર્તાઓ રવિવારે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા હતા. જો કે, બંને કાર્યાલયો પર દળો તૈનાત છે અને કૂચ શરૂ કર્યા પછી, તેમને કાર્યાલયમાંથી આગળ વધવા દેવામાં આવ્યા ન હતા.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી હતી. જેના માટે AAP કાર્યકર્તાઓ રવિવારે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા હતા. બંને કાર્યાલયો પર સુરક્ષાદળો તૈનાત છે, જોકે, આપ કાર્યકર્તાઓની કૂચ શરૂ કરે તે પહેલાં જ તેમને અટકાવી દેવામાં આવ્યાં હતાં.

બળપ્રયોગ કરીને આમ આદમી પાર્ટીના પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને AAP ઓફિસથી આગળ વધવા દેવામાં આવ્યા ન હતા. બીજી તરફ બીજેપી હેડક્વાર્ટરની બહાર પણ કલમ 144 લગાવી દેવામાં આવી હતી. સવારથી જ અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, બંને કચેરીઓ પર ફોર્સ તૈનાત રખાઈ હતી.

આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે AAP નેતાઓની ધરપકડને લઈને કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે ભાજપ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી હતી. આ અંતર્ગત સવારથી જ કાર્યકરો AAP ઓફિસની બહાર એકઠા થયા હતા, જ્યાં કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન કેજરીવાલને નાના મોટા વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.

કાર્યકર્તાઓની અટકાયતઃ 5 થી 6 કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ લઈને આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચ્યા હતા. તેમનો આરોપ છે કે મુખ્યમંત્રીના પૂર્વ પીએ બિભવ કુમારે કરોડોની જમીન સંપાદનમાં છેતરપિંડી કરી છે. તે આ અંગે અરવિંદ કેજરીવાલને સવાલ પૂછવા માંગતા હતા, પોલીસે તેને કસ્ટડીમાં લીધા હતાં.

શા માટે કર્યુ પ્રદર્શનઃ શનિવારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પીએમ મોદી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને એક પછી એક જેલમાં મોકલી રહ્યા છે. તેથી, તે તમામ વરિષ્ઠ નેતાઓ અને AAP ધારાસભ્યો સાથે રવિવારે બપોરે ભાજપ હેડક્વાર્ટર પહોંચશે અને વિરોધ કરશે. જેને જોતા સવારથી જ ભાજપ મુખ્યાલયની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ ભાજપ હેડક્વાર્ટર જતા પહેલા મંચ પર પહોંચ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાઉન્સિલરોએ કહ્યું કે લવ યુ સર, અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આઈ લ યૂ ટૂ કહ્યું છું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈરાદો આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન ઝાડુ શરૂ કર્યું છે. ભાજપના નેતાઓને મળવા આવેલા લોકોએ આ વાત જણાવી.

કેજરીવાલના પ્રહારઃ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે આમ આદમી પાર્ટી દેશમાં ઝડપથી વિકાસ કરી રહી છે અને આવનારા સમયમાં આ પાર્ટી ઘણા રાજ્યોમાં ભાજપ માટે આકરો પડકાર બની શકે છે. આમ આદમી પાર્ટી ભવિષ્યમાં મોટો પડકાર ન બને તે માટે આગામી સમયમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની ઓફિસ ખાલી કરીને તેમને રસ્તા પર લાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલના ભાષણ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકરોએ તેમને પાર્ટી કાર્યાલયની બહાર ધકેલી દીધા હતા.

તેમણે કહ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે જો તમે એક નેતાની ધરપકડ કરો છો, તો 100 નેતાઓ પેદા થશે, જો તમે એક કેજરીવાલની ધરપકડ કરશો તો 1000 કેજરીવાલ પેદા થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ લોકોએ ઘણા આરોપો લગાવ્યા છે. આ લોકોએ દારૂના કૌભાંડના આક્ષેપો કર્યા છે, આજે જનતા પૂછી રહી છે કે દારૂના કૌભાંડમાં હજુ સુધી કંઈ મળ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે, આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન માટે બોલાવ્યા બાદ AAP કાર્યકર્તાઓ રવિવારે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા હતા. જો કે, બંને કાર્યાલયો પર દળો તૈનાત છે અને કૂચ શરૂ કર્યા પછી, તેમને કાર્યાલયમાંથી આગળ વધવા દેવામાં આવ્યા ન હતા.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી હતી. જેના માટે AAP કાર્યકર્તાઓ રવિવારે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા હતા. બંને કાર્યાલયો પર સુરક્ષાદળો તૈનાત છે, જોકે, આપ કાર્યકર્તાઓની કૂચ શરૂ કરે તે પહેલાં જ તેમને અટકાવી દેવામાં આવ્યાં હતાં.

બળપ્રયોગ કરીને આમ આદમી પાર્ટીના પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને AAP ઓફિસથી આગળ વધવા દેવામાં આવ્યા ન હતા. બીજી તરફ બીજેપી હેડક્વાર્ટરની બહાર પણ કલમ 144 લગાવી દેવામાં આવી હતી. સવારથી જ અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, બંને કચેરીઓ પર ફોર્સ તૈનાત રખાઈ હતી.

આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે AAP નેતાઓની ધરપકડને લઈને કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે ભાજપ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી હતી. આ અંતર્ગત સવારથી જ કાર્યકરો AAP ઓફિસની બહાર એકઠા થયા હતા, જ્યાં કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન કેજરીવાલને નાના મોટા વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.

કાર્યકર્તાઓની અટકાયતઃ 5 થી 6 કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ લઈને આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચ્યા હતા. તેમનો આરોપ છે કે મુખ્યમંત્રીના પૂર્વ પીએ બિભવ કુમારે કરોડોની જમીન સંપાદનમાં છેતરપિંડી કરી છે. તે આ અંગે અરવિંદ કેજરીવાલને સવાલ પૂછવા માંગતા હતા, પોલીસે તેને કસ્ટડીમાં લીધા હતાં.

શા માટે કર્યુ પ્રદર્શનઃ શનિવારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પીએમ મોદી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને એક પછી એક જેલમાં મોકલી રહ્યા છે. તેથી, તે તમામ વરિષ્ઠ નેતાઓ અને AAP ધારાસભ્યો સાથે રવિવારે બપોરે ભાજપ હેડક્વાર્ટર પહોંચશે અને વિરોધ કરશે. જેને જોતા સવારથી જ ભાજપ મુખ્યાલયની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.