ETV Bharat / bharat

નાગપુરમાં વધુ એક ટ્રેન અકસ્માત, શાલીમાર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, આ ઘટના નાગપુરના કલમાના રેલવે સ્ટેશન નજીક બપોરે લગભગ 2:10 વાગ્યે બની હતી.

નાગપુરમાં શાલીમાર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
નાગપુરમાં શાલીમાર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ((ANI))
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં મંગળવારે બપોરે 18029 લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)-શાલીમાર એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના કલમાના રેલવે સ્ટેશન નજીક ITR થી KAV લાઇનના ક્રોસઓવર દરમિયાન લગભગ 2:10 વાગ્યે બની હતી.

રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા: અહેવાલો અનુસાર, પાર્સલ વેનના 4 પૈડા અને S2 કોચના 4 પૈડા પાટા પરથી ઉતરી જવાને કારણે તૂટી ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ઘટના બાદ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું હતું. ટ્રેક રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ ઘટનાને કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. તે જ સમયે, અધિકારીઓએ કોચ પાટા પરથી ઉતરવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટનામાં કોઇને ઇજા નથી થઇ: સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM) દિલીપ સિંહે જણાવ્યું હતું કે, "નાગપુર નજીક કાલમના સ્ટેશન પાસે ટ્રેન નંબર 18029 સીએસએમટી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના બે કોચ S2 અને એક પાર્સલ વાન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી."

મુસાફરો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે: તેમણે વધુમાં કહ્યું કે, રેલવે પ્રશાસન મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. રેલવેએ હેલ્પલાઈન શરૂ કરી છે અને મુસાફરોને પ્રાથમિક સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા 9 ઓક્ટોબરે મહારાષ્ટ્રના કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર લોકલ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો.

આ પણ વાંચો:

  1. વક્ફ બિલ પર JPCની બેઠકમાં હોબાળો, TMC સાંસદે કાચની બોટલ તોડીને ચેરમેન તરફ ફેંકી, સસ્પેન્ડ કરાયા
  2. બહરાઇચ હિંસાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી નહીં કરે, ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં મંગળવારે બપોરે 18029 લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)-શાલીમાર એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના કલમાના રેલવે સ્ટેશન નજીક ITR થી KAV લાઇનના ક્રોસઓવર દરમિયાન લગભગ 2:10 વાગ્યે બની હતી.

રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા: અહેવાલો અનુસાર, પાર્સલ વેનના 4 પૈડા અને S2 કોચના 4 પૈડા પાટા પરથી ઉતરી જવાને કારણે તૂટી ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ઘટના બાદ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેકને પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું હતું. ટ્રેક રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ ઘટનાને કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. તે જ સમયે, અધિકારીઓએ કોચ પાટા પરથી ઉતરવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટનામાં કોઇને ઇજા નથી થઇ: સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM) દિલીપ સિંહે જણાવ્યું હતું કે, "નાગપુર નજીક કાલમના સ્ટેશન પાસે ટ્રેન નંબર 18029 સીએસએમટી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના બે કોચ S2 અને એક પાર્સલ વાન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી."

મુસાફરો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે: તેમણે વધુમાં કહ્યું કે, રેલવે પ્રશાસન મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. રેલવેએ હેલ્પલાઈન શરૂ કરી છે અને મુસાફરોને પ્રાથમિક સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા 9 ઓક્ટોબરે મહારાષ્ટ્રના કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર લોકલ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો.

આ પણ વાંચો:

  1. વક્ફ બિલ પર JPCની બેઠકમાં હોબાળો, TMC સાંસદે કાચની બોટલ તોડીને ચેરમેન તરફ ફેંકી, સસ્પેન્ડ કરાયા
  2. બહરાઇચ હિંસાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી નહીં કરે, ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.