અમદાવાદઃ મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ AMC એ આદર્શ આચારસંહિતાનો સત્તાવાર અમલ શરુ કર્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી બેનરો અને રાજકીય સ્લોગન સાથેના હોર્ડિંગ ઉતારી દેવામાં આવ્યાં છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી રાજકીય પક્ષોના સ્લોગનો સાથેના બેનરો ઉતારવાની કામગીરી એસ્ટેટ ખાતાના કમઁચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.