Published : Jul 1, 2024, 2:22 PM IST
રાજકોટમાં ધોધમાર વરસાદથી હાથીખાના વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાઇ થયું
રાજકોટમાં ધોધમાર વરસાદથી હાથીખાના વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાઇ થયું (Etv Bharat gujarat)
રાજકોટ: શહેરના હાથીખાના વિસ્તારમાં સવારના સમયે બંધ મકાનની દીવાલ પડી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બનાવની મળતી વિગત મુજબ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી. તેમ સવારથી મેઘરાજા રાજકોટ શહેરમાં મન મૂકીને વરસી રહ્યા છે. અત્યંત ધોધમાર વરસાદ પડવાથી રાજકોટના હાથીખાના 3 વિસ્તારમાં આવેલ વર્ષો જૂનું બંધ મકાન ધરાશાઇ થઇ ગયુંં હતું સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.