જૂનાગઢ: આવતીકાલે રાષ્ટ્ર 78 મો સ્વાતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આજે પર્વની પૂર્વ સંધ્યાયો જુનાગઢ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના પ્રભારી અને કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને બહાઉદ્દીન કોલેજથી પ્રસ્થાન કરાવ્યું હતું.
78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે જૂનાગઢમાં યોજાઈ તિરંગા યાત્રા - Tiranga Yatra held in Junagadh
Published : Aug 14, 2024, 7:58 PM IST
આવતીકાલે સમગ્ર રાષ્ટ્ર 78 મો સ્વાતંત્ર પર્વ મનાવવા જઈ રહ્યું છે, ત્યારે આજે સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાય જૂનાગઢ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છે. જાણો વિગતે અહેવાલ...Tiranga Yatra held in Junagadh
આ યાત્રા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સભાખંડમાં સમાપ્ત થઈ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢના લોકોએ ભાગ લીધો હતો. બે વર્ષ બાદ ફરી એક વખત સ્વાતંત્ર પર્વ નિમિત્તે આયોજીત થયેલી તિરંગા યાત્રામાં સૌ કોઈના હાથમાં તિરંગાથી જૂનાગઢનું વાતાવરણ દેશ ભક્તિના રંગમાં રંગાયેલુ જોવા મળ્યું હતું.
આ તિરંગા યાત્રામાં જુનાગઢ શહેરના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, ગિરનાર મંડળના સાધુ સંતો અને મોટી સંખ્યામાં શાળા અને કોલેજના બાળકોની સાથે જુનાગઢ વાસીઓએ ભાગ લીધો હતો અને એક મેકને 78 માં સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.