ગુજરાત

gujarat

78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે જૂનાગઢમાં યોજાઈ તિરંગા યાત્રા - Tiranga Yatra held in Junagadh

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 7:58 PM IST

આવતીકાલે સમગ્ર રાષ્ટ્ર 78 મો સ્વાતંત્ર પર્વ મનાવવા જઈ રહ્યું છે, ત્યારે આજે સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાય જૂનાગઢ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છે. જાણો વિગતે અહેવાલ...Tiranga Yatra held in Junagadh

જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા
જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા (ETV Bharat Gujarat)

જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા (ETV Bharat Gujarat)

જૂનાગઢ: આવતીકાલે રાષ્ટ્ર 78 મો સ્વાતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આજે પર્વની પૂર્વ સંધ્યાયો જુનાગઢ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના પ્રભારી અને કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને બહાઉદ્દીન કોલેજથી પ્રસ્થાન કરાવ્યું હતું.

જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા (ETV Bharat Gujarat)

આ યાત્રા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સભાખંડમાં સમાપ્ત થઈ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢના લોકોએ ભાગ લીધો હતો. બે વર્ષ બાદ ફરી એક વખત સ્વાતંત્ર પર્વ નિમિત્તે આયોજીત થયેલી તિરંગા યાત્રામાં સૌ કોઈના હાથમાં તિરંગાથી જૂનાગઢનું વાતાવરણ દેશ ભક્તિના રંગમાં રંગાયેલુ જોવા મળ્યું હતું.

જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા (ETV Bharat Gujarat)
જૂનાગઢમાં યોજાય તિરંગા યાત્રા (ETV Bharat Gujarat)

આ તિરંગા યાત્રામાં જુનાગઢ શહેરના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, ગિરનાર મંડળના સાધુ સંતો અને મોટી સંખ્યામાં શાળા અને કોલેજના બાળકોની સાથે જુનાગઢ વાસીઓએ ભાગ લીધો હતો અને એક મેકને 78 માં સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.

  1. કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં ચોટીલા પહોંચી, સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત - Congress Nyaya Yatra

ABOUT THE AUTHOR

...view details