પાણીના વહેણમાં તણાયા બે મૃતકો, સરકારે કરી રૂ. 4 લાખની સહાય - government has given Rs 4 lakhs - GOVERNMENT HAS GIVEN RS 4 LAKHS
પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે મૃતકોના પરિવારને રૂ.4 લાખના ચેક આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા., government has given Rs. 4 lakhs
![પાણીના વહેણમાં તણાયા બે મૃતકો, સરકારે કરી રૂ. 4 લાખની સહાય - government has given Rs 4 lakhs સરકારે કરી રૂ. 4 લાખની સહાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-07-2024/1200-675-22069372-thumbnail-16x9-.jpg)
Published : Jul 28, 2024, 7:31 PM IST
સુરત: માંડવી તાલુકાના બે હતભાગી મૃતકો એક સ્વ.પરેશભાઈ માધુભાઈ ચૌધરી (ઉ.વ.42, રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી) તથા બીજો વ્યક્તિ સ્વ.અજીતભાઈ વનસીભાઈ ચૌધરી (ઉ.વ.52, રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી) કે જેઓ હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હેઠવાસમાં પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ઉપરોક્ત મૃતકોના વારસદાર અનુક્રમે નયનાબેન ચૌધરી અને રેવનીબેન ચૌધરીને રાજ્ય સરકારના એસડીઆરએફ ફંડમાંથી સહાય માટે આદિજાતિ મંત્રીએ કરેલી રજૂઆતને પગલે ઝડપભેર મૃતક દીઠ ચાર લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ હતી. જે તેમની આજ રોજ આપવામાં આવી છે.