ગુજરાત

gujarat

પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો સમારકામના કારણે સંપૂર્ણપણે રદ્દ, મુસાફરોને પડશે મુશ્કેલી

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 12:19 PM IST

પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો સમારકામના કારણે સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. જાણો કઈ ટ્રેનો બંધ રહેશે...

Etv Bharat
Etv Bharat

પોરબંદરપીટ લાઇનમાં ચાલી રહેલા સમારકામના કામને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનની પીટ લાઇન પર ચાલી રહેલા સમારકામના કામને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો 02.03.2024 થી 14.04.2024 સુધી સંપૂર્ણપણે રદ રહેશે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર - કાનાલુસ - પોરબંદર

2. ટ્રેન નંબર 09552/09551 પોરબંદર - ભાણવડ - પોરબંદર

3. ટ્રેન નંબર 09549/09550 પોરબંદર - ભાણવડ - પોરબંદર

4. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર - ભાવનગર - પોરબંદર

મુસાફરોને પડશે હાલાકી: પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો 02.03.2024 થી 14.04.2024 સુધી સંપૂર્ણપણે રદ થવાના કારણે અનેક મુસાફરોને મુસાફરીમાં અસુવિધાનો સામનો કરવો પડશે. ઉલ્લેખનિય છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી હોય મોટા ભાગના લોકો ટ્રેનની મુસાફરી કરતા હોય છે ત્યારે આ સમસ્યાના કારણે અનેક લોકોને મસ મોટા ભાડા ખર્ચી ખાનગી વાહનનો સહારો લેવો પડશે.

  1. Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' 7 માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે
  2. Lok Sabha elections 2024: ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છની વિસ્તૃત સમીક્ષા

ABOUT THE AUTHOR

...view details