ગુજરાત

gujarat

સિદ્ધપુર માતૃગયા તીર્થ બિંદુ સરોવર પર શ્રદ્ધાળુઓની ભીડ, રોજ 3 હજારથી વધુ માતૃશ્રાદ્ધ થાય છે - Siddhapur Tirtha Bindu Sarovar

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

સિદ્ધપુર માતૃગયા તીર્થ બિંદુ સરોવર ખાતે ભાદરવા સુદ એકમથી શરૂ થયેલા શ્રાદ્ધ પક્ષમાં અત્યાર સુધી 50 હજારથી વધુ લોકોએ શ્રાદ્ધ વિધી કરાવી છે. જેમાં સૌથી વધુ કેરળ, કર્ણાટક, તમિલનાડુથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગોરમંડળના સૂત્રોના જણાવ્યા અનુસાર દરરોજ 3000 થી વધુ પરિવારો દ્વારા માતૃ ઋણ અદા કરવામાં આવી રહ્યા છે. જાણો. Siddhapur Matragaya Tirtha Bindu Sarovar

સિદ્ધપુર બિંદુ સરોવરમાં રોજ 3 હજારથી વધુ માતૃશ્રાદ્ધ થાય છે
સિદ્ધપુર બિંદુ સરોવરમાં રોજ 3 હજારથી વધુ માતૃશ્રાદ્ધ થાય છે (Etv Bharat Gujarat)

પાટણ: પુરાણ પ્રસિદ્ધ શ્રીસ્થળ પવિત્ર સરસ્વતી નદી તટે વસેલ સિદ્ધપુર હિન્દુઓનું યાત્રાધામ અને ગુજરાતનું કાશી ગણાય છે. પિતૃ શ્રાદ્ધ બિહારના ગયાજી ખાતે થાય છે એમ માતૃશ્રાદ્ધ અહીંના બિંદુ સરોવર ખાતે થાય છે. જેમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમગ્ર ભારતમાંથી લોકો અહીં માતૃશ્રાદ્ધ વિધિ, પિંડદાન માતૃગયા માટે આવી રહ્યા છે. આપણા વેદ પુરાણના જણાવ્યા મુજબ માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ વિધિ તેમજ પિંડદાન કરવાથી વંશની વૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન કપિલ મહામુનિએ લખ્યું છે કે, માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં માતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી માતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પરિવારને માતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે, બિંદુ સરોવર ભગવાન કપિલ મહામુનિનું જન્મ સ્થળ છે.

અહીં દેવહુતી માતાએ અહીંયા 10,000 વર્ષ તપ કર્યું: બ્રહ્માજીના માનસ પુત્ર મહર્ષિ કર્દમઋષિ અને દેવહુતી માતાની તપોભૂમિ છે. ભગવાન વિષ્ણુના અંશાવતાર કપિલ મહામુનિની જન્મ સ્થળમાં કર્દમઋષિ અને દેવહુતી માતાએ અહીંયા 10,000 વર્ષ તપ કર્યું છે. ભગવાન કપિલ મુનિએ તેમની માતાજીને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન પરશુરામજીએ માતૃ હત્યાના ઋણમાંથી મુક્તિ માટે અહીં માતૃગયા શ્રાદ્ધ કર્મ તેમજ પિંડદાન કર્યું હતું. ત્યારથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જગતભરમાં પ્રખ્યાત થયું છે.

સિદ્ધપુર માતૃગયા તીર્થ બિંદુ સરોવર શ્રદ્ધાળુઓની ભીડ, રોજ 3 હજારથી વધુ માતૃશ્રાદ્ધ થાય છે (Etv Bharat Gujarat)

શ્રદ્ધાળુની સંખ્યામાં વધારો:આ વર્ષે સિદ્ધપુર માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુથી શ્રદ્ધાળુની સંખ્યામાં વધારો થયો. ભારતભરનાં પરિવારોની વંશાવલી સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો પાસે સચવાય છે. જેમાં જોવા જઈએ તો નરસિંહ મહેતા અને જલારામ બાપાના પણ સિગ્નેચર જોવા મળે છે.

યજમાનના કુળની માહિતી બ્રાહ્મણો પાસે સચવાયેલી છે:સમગ્ર ભારત વર્ષમાંથી માતૃ-પિતૃના પિંડદાન તેમજ શ્રાદ્ધ કર્મ કરવા માટે આવતા પરિવારોની ઇતિહાસ અને વંશાવલી સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો પાસે સચવાયેલી હોવાથી યજમાનના કુળની માહિતી મળી રહે છે અને તેમના દ્વારા શ્રાદ્ધની વિધી કરાવવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. અંધશ્રદ્ધામાં વધુ એક પરિવાર લૂંટાયો : સાબરકાંઠામાં ધાર્મિક વિધિના નામે 30 લાખ પડાવનાર એક ઝડપાયો - Sabarkantha Crime
  2. જામનગરમાં MLA રિવાબાના હસ્તે નવરાત્રિ એક્ઝિબેશનનું ઉદ્ધાટન, કલા અને કુશળતાનું પ્રદર્શન - Navratri exhibition

ABOUT THE AUTHOR

...view details