ગુજરાત

gujarat

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી, મેટ્રો પ્રોજક્ટમાં ભ્રષ્ટાચાર મામલે કર્યા સવાલ - PM MODI 74TH BIRTHDAY

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 1:59 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિડીયો માધ્યમથી આપેલા આ સંદેશમાં વિવિધ મુદ્દે પ્રશ્નો ઉભા કર્યા હતા, જુઓ આ વિડીયો...PM Modi 75th birthday

કોંગ્રેસે પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસે પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી (ETV Bharat Gujarat)

કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી (ETV Bharat Gujarat)

અમદાવાદ :આજે 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74 મો જન્મદિવસ છે. આ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મેટ્રો ટ્રેન, ખેડૂત સહાય, કચ્છ ભેદી રોગચાળો અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે પ્રશ્નો કર્યા હતા.

કોંગ્રેસે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જનતાની સમસ્યાઓ અને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા અંગે પ્રશ્નો પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઝડપી મુસાફરી થઈ શકે તે માટે 2003માં મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

મેટ્રો રેલ પ્રોજેક્ટ મુદ્દે સવાલ :જૂન 2005માં રૂ. 4,295 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરીને કોંગ્રેસની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારે તે જ વર્ષમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટને કોઈ વિલંબ કર્યા વિના થોડા અઠવાડિયામાં મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે 2005માં મંજૂર થયેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ 19 વર્ષ પછી પણ માત્ર અમુક પસંદગીના તબક્કામાં જ કેમ શરૂ કરવામાં આવ્યો ? રૂપિયા. રૂ. 4,295 કરોડનો પ્રોજેક્ટ આજે અનેક ગણો મોંઘો બની ગયો છે, તેની પાછળ કોણ જવાબદાર છે?

ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી મળ્યાના ઘણા વર્ષો પછી રાજસ્થાનના જયપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી મળી. પરંતુ કોંગ્રેસની અશોક ગેહલોતની સરકારે માત્ર 3 વર્ષ અને 8 મહિનામાં જ જયપુરમાં ફેઝ વન એ-મેટ્રો શરૂ કરી અને અન્ય કામો પણ નિયત સમયમાં પૂર્ણ થયા. રાજસ્થાનના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હોવાના અહેવાલ મળ્યા નથી. ગુજરાતનો મેટ્રો રેલ પ્રોજેક્ટ આટલી ખરાબ હાલતમાં કેમ છે?

મેટ્રો પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ :ગુજરાત સરકારના સક્ષમ અધિકારીઓને બાયપાસ કરીને અદાણી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સંજય ગુપ્તાને મેટ્રો રેલ પ્રોજેક્ટના ચેરમેન તરીકે નિયુક્ત કેમ કર્યા હતા ? બાદમાં ઓડિટ સંસ્થા CAG દ્વારા ઓડિટ કરવામાં આવ્યું, જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. ટ્રકો દ્વારા માટી ભરવામાં આવી તેના બિલો હતા, CAG ના રિપોર્ટમાં ખુલાસો થયો કે ટ્રકના નંબર સ્કૂટર અને રિક્ષાના હતા તથા કોઈ માટી ભરવામાં આવી ન હતી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.

સંજય ગુપ્તાના મોત મામલે પ્રશ્ન :આ પછી સંજય ગુપ્તાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એવી ચર્ચા ચાલી રહી છે કે સંજય ગુપ્તાને બલિનો બકરો બનાવવામાં આવ્યા અને કોઈક રીતે તેમને જેલમાં ગંભીર રીતે બીમાર બનાવવામાં આવ્યા હતા. જેના આધારે તેમને જામીન મળ્યા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. આમ, જો મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામે, તો સત્ય ક્યારેય બહાર આવશે નહીં, આવા ષડયંત્રને કારણે સંજય ગુપ્તા મૃત્યુ પામ્યા? આ બાબતે નિષ્પક્ષ તપાસ કેમ ન થઈ?

CAG દ્વારા 31 માર્ચ, 2016 ના રોજ વિધાનસભામાં રજૂ કરેલા અહેવાલમાં પણ મેટ્રો રેલમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર થયા પહેલા જ ઇન્દ્રોડા અને ચિલોડામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા અને રૂ. 373.62 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. ત્યારબાદ, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટમાં મેટ્રો રેલના સમગ્ર રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો. જેના પરિણામે રૂ. 373.62 કરોડ સંપૂર્ણપણે વેડફાઇ ગયા હતા, એમ CAG અહેવાલમાં જણાવાયું હતું. આમ, ગુજરાતની જનતાના કરોડો રૂપિયા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર પાછળ ખર્ચાયા છે, ત્યારે વડાપ્રધાને CBI, ED કે પછી નામદાર હાઈકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરાવશે ?

કોંગ્રેસ પક્ષની માંગ :વડાપ્રધાન ગુજરાતમાં હોય ત્યારે પૂરગ્રસ્ત લોકોની સમસ્યા અંગે ત્યાં મુલાકાત લેવા ખાસ વિનંતી છે. વડોદરા વિશ્વામિત્રી નદીમાં પાણીના વહેણમાં અવરોધરૂપ બનેલા મોલ અને બિલ્ડીંગોને તોડી પાડવામાં આવે અને પાણીના વહેણનો રસ્તો ફરીથી ગ્રીન ઝોનમાં ફેરવવો જોઈએ. સાથે જ ઝોનમાં ફેરફાર કરીને ઈમારતો ઉભી કરનાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. કચ્છના અબડાસામાં ભેદી રોગચાળાને કારણે થયેલા મૃત્યુ સંદર્ભે વડાપ્રધાન પોતે ત્યાં જઈને લોકોને મળે તેવી વિનંતી છે. હું વડાપ્રધાનને વિનંતી કરું છું કે તેઓ એવા પેકેજની જાહેરાત કરે જે ખેડૂતો, નાના દુકાનદારો અને તેમના ઘરોમાં ભારે નુકસાન વેઠનાર લોકોને પૂરતું વળતર પૂરું પાડે.

  1. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકો વતી પીએમ મોદીને શુભકામના પાઠવી
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ, દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી

ABOUT THE AUTHOR

...view details