ગુજરાત

gujarat

મનપા સંચાલિત લગ્ન હોલ શા માટે બે મહિના માટે બંધ રહેશે? મહાનગર પાલિકાએ આવો નિર્ણય કેમ લીધો? - Rajkot Fire Safety Work

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 4:45 PM IST

રાજકોટમાં તંત્ર trp અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના મુદ્દે જાગૃત થઈ છે. સંસ્થાઓ, સરકારી કાર્યાલયો, શાળાઓ, કોલેજ તેમજ અન્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે. તે દરમિયાન મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેના પરિણામે આ હૉલ બે મહિના માટે બંધ રેહશે. જાણો. Rajkot Fire Safety Work

ફાયર સેફ્ટીના સાધનો નવીનીકરણ માટે આ નિણર્ય
ફાયર સેફ્ટીના સાધનો નવીનીકરણ માટે આ નિણર્ય (Etv Bharat Gujarat)

રાજકોટ:જિલ્લામાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા BU સર્ટી અને ફાયર NOC મુદ્દે થોડી વધુ જાગૃત બની છે. જેમાં મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે બે મહિના બંધ રાખવામાં આવનાર છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને સમય લાગવાનો હોવાથી બે મહિના માટે મનપાનો કોમ્યુનીટી હોલ બંધ રહે તેવી શક્યતા છે. મનપા સંચાલિત 19 પૈકી હાલ ચાલુ 17 કોમ્યુનિટી હોલમાં આ કામગીરી કરવામાં આવશે.

1 ઓગષ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ હોલ બંધ રહેવાની શક્યતા (Etv Bharat Gujarat)

લગ્ન હોલ ચલાવી શકાય નહીં:આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, ફાયર સેફ્ટીના સાધનો વગર મહાનગરપાલિકાના લગ્ન હોલ ચલાવી શકાય નહીં. આથી કોમ્યુનીટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે તેની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા છે. અને હજુ એક ટેન્ડર આજે પ્રસિદ્ધ થયું છે, પરંતુ ટેન્ડર ભરાઇને પરત આવ્યા બાદ પાર્ટીને કામ આપવા સહિત પ્રક્રિયામાં સમય લાગવાનો છે.

1 ઓક્ટોબરથી ફરી કમ્યુનીટી હોલ શરુ કરાશે: આ પ્રક્રિયા બાદ વર્કઓર્ડર આપી ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી કરવામાં આવે અને બાકી રહી ગયેલા તમામ લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવે છે. જેમાં અંદાજે બે માસ જેટલો સમય લાગવાની શક્યતા છે. જેથી 1 ઓગષ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ હોલ બંધ રહેવાની શક્યતા છે. 1 ઓક્ટોબરથી ફરી કમ્યુનીટી હોલ શરુ કરાશે.

બે મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા:આ મુદ્દે મનપા દ્વારા વધુમાં માહિતી આપતા જાણવા મળ્યું છે કે, આ કામગીરી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અને છેલ્લા ઘણા સમયથી નવા બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, આગામી બે મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા. પરંતુ ફાયર સેફટીના કામ માટે આ બુકિંગ રદ્દ કરી દેવાની ફરજ પડી છે.

  1. દેશના અર્થતંત્રમાં સુરતનું નોંધપાત્ર યોગદાન, ટેક્સટાઇલ ઉદ્યોગમાં વૈશ્વિક શ્રેષ્ઠતાનું સિલ્ક સિટી - SURAT TEXTILE INDUSTRY
  2. વલસાડમાં 15 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, પોલીસે શખ્સને ઝડપી પાડયો - valsad police

ABOUT THE AUTHOR

...view details