ભાવનગર:ભાવનગરથી અમદાવાદ જવા માટે ટૂંકો માર્ગ એકમાત્ર ધોલેરા હાઇવે છે. આ જદિન સુધી ધોલેરા હાઇવે હમેશા અકસ્માતના પગલે મોતનો હાઇવે તરીકે ઓળખાય છે. ધોલેરા હાઇવે પર વહેલી સવારે એક પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરિણામે માલસામાનનું નુકશાન થયુ છે પણ જાનહાની થઈ નથી.
Published : Jun 25, 2024, 2:21 PM IST
નિદ્રાનું ઝોકું અને ટમેટા રસ્તા પર વિખેરાઈ ગયા, અમદાવાદ-ધોલેરા હાઇવે પર વહેલી સવારે થયો અકસ્માત - Dholera highway accident
અમદાવાદ-ધોલેરા હાઇવે ઉપર ટ્રક ડ્રાઈવરને આવેલા નિંદરનો ઝોકો આવતા પિકઅપ વાનને ધક્કો મારતા ગાડી પલટી ગઈ હતી. જેથી રસ્તા પર સમગ્ર ત્યાં ટમેટા વિખેરાઈ ગયા હતા. અકસ્માતની ઘટના ભાવનગર-અમદાવાદ ટૂંકા માર્ગ ધોલેરા હાઇવે ઉપર વહેલી સવારે બની હતી. વધુ વિગત જાણવા માટે વાંચો આ અહેવાલ... Dholera highway accident
રાજસ્થાનના ટમેટા, શાકભાજી થયા ખેર વિખેર: આ અકસ્માત ધોલેરા હાઇવે પર વહેલી સવારે 5 વાગે સર્જાયો હતો. અકસ્માત હાઇવે નજીક આવેલ સાંઢેડા ગામ નજીક થયો હતો. પિકઅપ વાનના ચાલક ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, અચાનક ટ્રકે તેમની પિકઅપ વાનને ટર્ન મારી ઠોકર મારી હતી.જેમાં ટ્રેલર ટ્રકમાં નુકશાન થયું હતું. ટ્રેલર ટ્રકના ચાલકને સામાન્ય ઇજા થતાં તેને ભાવનગર હોસ્પિટલ ખસેડાયો છે. ભગવાન ભાઈએ આગળ જણાવતા કહ્યું કે, 'અમે રાજસ્થાનના કોટાથી શાકભાજી લઈને ભાવનગર આવતા હતા. ત્યારે ટ્રેલર ટ્રકે ધક્કો મારતા અમારી ગાડી પલટી ગઈ અને અમારો માલસામાન ખેરવિખેર થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે, મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ટ્રેલર ટ્રક ચાલકને નિંદરનું ઝોકું આવી જતા અચાનક ટ્રક સીધો પિકઅપ વાનથી અથડાયો હતો.