ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પાક નિષ્ફળ, કોંગ્રેસે લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી

ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. આ મામલે સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષે કરી છે.

સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષે કરી છે.
સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષે કરી છે. (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

અમદાવાદ: ગુજરાતમાં આ વખતે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને આ જ દિવસ સુધી કેટલા ગામોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે, આ મામલે સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવી છે અને જો સરકાર આ ખેડૂતોની વેદના નહીં સમજે અને લીલો દુષ્કાળ જાહેર નહીં કરે તો રસ્તા પર આવી આંદોલન કરવાની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે.

વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ખેડૂત પુત્ર તરીકે મારો અનુભવ છે કે, દિવાળીમાં કોઈ દિવસ ૪ ઇંચ વરસાદ ન હોય ! ખેડૂતનો પાક પાકી ગયો છે અને પાક તરતો હોય એવી નુકસાની આ ખેડૂતોને વેઠવી પડી રહી છે. ખેડૂતોની સ્થિતિ આવા સમયમાં ખૂબ જ ખરાબ છે, સરકાર સુધી કેમ ખેડૂતોની આ વાત પહોંચતી નથી તે સમજાતું નથી. વધુમાં લલિત કગથરાએ જણાવ્યું હતું કે, કુદરત શું કરે એ કોઈના કંટ્રોલમાં નથી, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત થઈ અને 2020 માં બંધ કરી દેવામાં આવી હતી.

સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષે કરી છે. (Etv Bharat gujarat)

કોંગ્રેસની લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ:વધુમાં લલિત કગથરાએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા, ત્યારે ફસલ વીમા યોજનાની જાહેરાત કરી પણ એક પણ રૂપિયો ખેડુતોને મળ્યો નથી. ત્યારે ખેડૂતોને કહું છું કે, આંધળો પ્રેમ કયા સુધી કરશો. જે સરકાર અત્યાર સુધી તમારી સામે જોતી નથી, ખેડૂતો બરબાદી તરફ જતા હોય અને સરકાર જાગે નહીં ત્યારે ક્યાર સુધી બેસી રહેવું? સરકારનું ધ્યાન ખેંચવું છે કે કયા સુધી આમ ચાલશે ? ખેડૂતો માટે રસ્તા ઉપર ઉતરવું પડશે તો પણ ઉતારીશું, સરકાર બેફામ ખર્ચા કરી રહી છે. પણ ખેડૂતોને કેમ કઈ મળતું નથી, 143 ટકા વરસાદ પડ્યો છે ત્યારે લીલો દુકાળ જાહેર કરવો જ જોઈએ. ગામડે અને તાલુકા સ્તરે જઈને આંદોલન કરવા અમે તૈયાર છીએ. ખેડૂતો ભીખ નથી માંગી રહ્યા તેવું જણાવ્યું હતું.

NCRB મુજબ ખેડૂતોની આત્મહત્યામાં 11 % વધારો:પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટેની ફકત વાતો કરવામાં આવે છે. ખેડૂતોની આત્મહત્યામાં NCRB મુજબ 11 ટકા આત્મહત્યામાં વધારો થયો છે. બીજેપીના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી થઇ છે. અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, સરકારની નીતિ ફળતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે. ખેડૂતોની જમીન છીનવીને ઉદ્યોગપતિઓને જમીન આપવાનો કારસો સરકાર દ્વારા ચાલી રહ્યો છે. તેમ આક્ષેપો કર્યા છે. વધુમાં કિરીટ પટેલે જણાવ્યું હતું કે,રાજ્યના 68 તાલુકામાં 140 થી વધુ ટકા વધુ વરસાદ થયો છે. ત્યારે સરકાર દ્વારા સર્વેના નામે ફક્ત નાટક કરવામાં આવી રહ્યું છે. સરકારની સર્વે કરવાની સિસ્ટમ જ ખોટી છે તેમ જણાવીને આક્ષેપ કર્યા છે.

કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે: પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે સરકારને ઢંઢોળવા માટે 28 ઓક્ટોબરના રોજ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ આંદોલન શરૂ કરશે. સૌરાષ્ટ્રનું ખેડૂત સંમેલન તા. 6 ઓક્ટોબરના રોજ રાજકોટમાં 1 લાખ ખેડૂતોને ભેગા કરીને સંમેલન કરશે. જેમાં સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવે એવી માંગણી સાથે આંદોલન કરાશે.

140 થી 395 % વરસાદ પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી:કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા દ્વારા વાત કરવામાં આવી હતી કે, સરકારની વેબસાઈટ ઉપર લખેલું છે કે, 140 ટકાથી લઈ 395 ટકા વરસાદ થયો હોવાનું લખાયેલું છે. આના પરથી ખેડૂતો માટેની નુકસાની કેટલી મોટી છે. એનો અંદાજ લગાવી શકાય છે. આ વચ્ચે ખાતરની ઘટ પણ એટલી જ મોટી છે જૂનો સર્વે થયો છે. એટલો જ છે, ત્યારે ઓગસ્ટ મહિનાનો પણ સર્વે થયો જ નથી. વધુમાં પાલ આંબલીયા જણાવ્યું હતું કે, 10 ઓક્ટોબરથી સતત વરસાદ છે, ત્યારે એનો સર્વે બીજા દિવસે થઈ જવો જોઈએ. પરંતુ સરકારે આજે પણ સર્વે માટે આદેશ કર્યો નથી. ખેડૂતો સર્વેની રાહ જુએ !! સરકારની દાનત હોય તો આપે નહીં, તો ખેડૂતોને ભીખ અને રહેમની જરૂર નથી. સરકાર નિયમ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરે અને 104 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે સાથે પશુઓ માટે ઘાસચારો વિતરણ કેન્દ્ર કરવામાં આવે, સરકાર ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ નહીં કરે, ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ નહીં ? , કુદરત રૂઠી છે એટલે પાક, ફેલ ગયો છે એટલે ખેડૂતો પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી.

24 ઓક્ટોબરે ઇકોઝોન મામલે લડત આપીશું: વધુમાં પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 140 તાલુકાઓમાં લીગલ ફોર્મ ભરાવશે અને કાયદેસર રીતે આગળ વધશે 24 તારીખે સવારે 9 વાગ્યે વિસાવદરમાં ઇકો ઝોન મામલે લડત આપીશું અને જેમાં રાષ્ટ્રીય ખેડૂત નેતાઓ પણ આવશે, જેમાં બધા પક્ષોને પણ અમે સાથે બોલાવવાના છીએ, પક્ષનો પટો ઉતારી શકો તો ખેડૂતોના મુદ્દે સાથે આવો તેવું અમે ભાજપના ધારાસભ્યને પણ કહી રહ્યા છીએ.

આ પણ વાંચો:

  1. ગુજરાત વિધાનસભા ખાતે "લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ"નો શુભારંભ
  2. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે, વતનમાં ઉજવશે જન્મદિવસ

ABOUT THE AUTHOR

...view details