સિંગાપોરઃબ્રુનેઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમના વિદેશ પ્રવાસના બીજા સ્ટોપ સિંગાપોર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે હોટલની બહાર મોટી સંખ્યામાં NRI હાજર હતા. પીએમ મોદી હોટલ પહોંચતા જ ભારતીય સમુદાયના સભ્યો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ત્યાં હાજર લોકો સાથે હાથ મિલાવ્યો અને એક વ્યક્તિને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો.
વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકો વચ્ચે ઢોલ પણ વગાડ્યો હતો. તેમજ પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો.
પીએમ મોદીએ તેમના સિંગાપોરના કાઉન્ટરપાર્ટ લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી.
વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું,"હું સિંગાપોર પહોંચ્યો છું. ભારત-સિંગાપોર વચ્ચેની મિત્રતાને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ બેઠકોની રાહ જોઈ રહ્યો છું. ભારતના સુધારા અને અમારી યુવા શક્તિની પ્રતિભા બંને દેશોને રોકાણ માટેનું આદર્શ સ્થળ બનાવે છે. અમે સાંસ્કૃતિક સંબંધોને ઘનિષ્ઠ બનાવવા માટેની પણ આશા રાખીએ છીએ."
પીએમ મોદીનો ચીન પર જોરદાર હુમલો: તે જ સમયે, બ્રુનેઈમાં વડાપ્રધાન મોદીએ ચીન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભારત વિકાસની નીતિનું સમર્થન કરે છે, વિસ્તરણવાદનું નહીં. બ્રુનેઈના સુલતાન દ્વારા આયોજિત ભોજન સમારંભમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "બ્રુનેઈ એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતે હંમેશા આસિયાન દેશોને પ્રાધાન્ય આપ્યું છે અને તે કરવાનું ચાલુ રાખશે."
અમે UNCLOS (યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી) જેવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતાને સમર્થન આપીએ છીએ. અમે સંમત છીએ કે આ ક્ષેત્રમાં આચારસંહિતા નક્કી થવી જોઈએ. અમે વિકાસની નીતિને સમર્થન આપીએ છીએ, વિસ્તરણવાદને નહીં."
તેમણે કહ્યું, "ભારત અને બ્રુનેઈ વચ્ચે ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. આ વર્ષે અમે અમારા રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, અમે અમારા સંબંધોને એક અત્યાધુનિક ભાગીદારી તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અમે આના પર વ્યાપક વાટાઘાટો કરી. અમારા સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવા માટે અમારા સંબંધોના વિવિધ પાસાઓ અમે આર્થિક, વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અમારા સહયોગને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
બ્રુનેઈ અને ભારત વચ્ચેની સીધી ફ્લાઈટ ટૂંક સમયમાં શરૂ થશે...
પીએમ મોદીએ કહ્યું કે "અમે કૃષિ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ અને આરોગ્ય ક્ષેત્રોની સાથે સાથે ફિનટેક અને સાયબર સુરક્ષામાં અમારો સહયોગ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ઉર્જા ક્ષેત્ર હેઠળ, અમે એલએનજીમાં લાંબા ગાળાના સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે અમે સંરક્ષણ ઉદ્યોગ, તાલીમ અને ક્ષમતા નિર્માણમાં સહકારની શક્યતાઓ પર રચનાત્મક વાતચીત કરી હતી. સ્પેસ સેક્ટરમાં અમારો સહયોગ મજબૂત કરવા માટે અમે સેટેલાઇટ ડેવલપમેન્ટ, રિમોટ સેન્સિંગ અને ટ્રેનિંગમાં સહકાર આપવા સંમત થયા છીએ. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે ડાયરેક્ટ ફ્લાઈટ્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે."
- કેબિનેટે મુંબઈ અને ઈન્દોર વચ્ચે ટૂંકી રેલ લિંક માટે નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી - RAIL LINK BETWEEN MUMBAI AND INDORE
- PM મોદી બ્રુનેઈ અને સિંગાપોરની યાત્રાએ રવાના, કહ્યું આસિયાન ક્ષેત્ર સાથેની ભાગીદારી મજબૂત બનશે - India Brunei Singapore Relation