ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમાએ, પ્રદૂષણ અને હાનિકારક તત્વોનું પ્રમાણ વધ્યું

ભારતીય સંસ્કૃતિમાં નદીને દેવી માનવામાં આવે છે. ત્યારે દિલ્લીની યમુના નદીમાં પ્રદૂષણ અને હાનિકારક તત્વોનું પ્રમાણ વધી ગયું છે. જેનાથી નદીના અસ્તિત્વ સામે ખતરો છે.

દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમા પર છે
દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમા પર છે (Etv Bharat)

By C P Rajendran

Published : 5 hours ago

હૈદરાબાદ:રવિન્દ્રનાથ ટાગોર તાજમહેલને 'સમયની ગાલના આંસુ' સ્વરુપે યાદ કરવા માગતા હતા. 'આંસુ' કવિઓ દ્વારા વાપરવામાં આવતો એક રુપક હોઇ શકે. જે શાહજહાં સાથે થયેલી દુર્ઘટના રજૂ કરે છે. જ્યારે તે કેદમાં પોતાના છેલ્લા દિવસો વિતાવી રહ્યા હતા. ઉદાસ થઇને મકબરા સામે જોઇ રહ્યા હતા અને યમુનામાં તેમના તેનું પ્રતિબિંબ જોઇ રહ્યા હતા.યમુના તાજની ડિઝાઇનનો એક અભિન્ન ભાગ છે અને વાતની કોઇ આશા નહોતી કે ભવિષ્યમાં આ નદી સૂકાઇ જશે કે સાંકડી થઇ જશે.

યમુનામાં ફિણ આવવું એક વાર્ષિક ઘટના: પરંતુ નદી સાંકડી થઇ ગઇ છે અને પ્રદૂષિત થઇ ગઇ છે. પ્રદૂષિત અને સાંકડી યમુના તાજમહેલના નિર્માણ માટે વાપરવામાં આવેલી લાકડાના પાયાને નષ્ટ પણ કરી શકે છે. એટલે જ તાજમહેલની સંરચનાને અખંડ બનાવી રાખવા માટે પોતાના મૂળ સ્વરુપથી એક મુક્ત પ્રવાહ વાળી યમુનાની જરુરિયાત છે. એક મુક્ત પ્રવાહ પ્રદૂષણ રહિત યમુના પોતાની સેવા પર નિર્ભર લાખો લોકોના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે સર્વોપરી છે. યમુના નદી, જે ગંગાની એક સહાયક નદી છે. જેને ઘણા ભારતીયો દેવી પણ માને છે. જે ગઢવાલ હિમાલયના યમમોરી ગ્લેશિયરમાંથી નીકળે છે. દિલ્લીની આસપાસ પહોંચતા પહોંચતા સૌથી વધારે પ્રદૂષિત થઇ જાય છે. જો નદીના પ્રદૂષણમાં લગભગ 76 %.યોગદાન આપે છે. દિલ્લીની પાસે યમુનામાં ફિણ આવવું એક વાર્ષિક ઘટના બની ગઇ છે. જ્યાં 2 સરકાર સત્તામાં છે.

દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમા પર છે (Etv Bharat)

લોકોના સ્વાસ્થ્ય માટે મોટું સંકટ:નદીની સફાઇ પર પહેલેથી જ હજાર કરોડ રુપિયા ખર્ચો કરવામાં આવી ચૂક્યો છે. છેલ્લા અઠવાડિયામાં દિલ્લીથી યમુના નદીના કેટલાક ભાગોમાં ફરીથી સફેદ ફિણનો મોટો થર જામી ગયો છે. જેના લીધે લોકોના સ્વાસ્થ્ય માટે મોટું સંકટ ઉભું થયું છે. ખાસ કરીને તહેવારોની મોસમ નજીક છે ત્યારે બેવડી માર પડે છે. કેમ કે, દૂનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં સામેલ રાજધાની શહેર વાયુ પ્રદૂષણ સામે લડી રહ્યું છે. આ વર્ષે 5 નવેમ્બરે ઉજવવામાં આવનારી છઠ્ઠ પૂજા માટે શ્રધ્ધાળુંઓએ નદીમાં ડૂબકી લગાવવાની હોય છે. પરંતુ નદીની સ્થિતિને ધ્યાને રાખીને શ્રધ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમા પર છે (Etv Bharat)

નદીનો દુરુપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે: આ આપણને વિક્ટર મૈલેટના એ સવાલની બાજુ લઇ જાય છે. જેઓએ ગંગા નદી પર લખેલ પોતાના પુસ્તક રિવર ઓફ લાઇફ, રિવર ઓફ ડેથમાં પૂછ્યું હતું કે, એક નદીની પૂજા આટલા બધા ભારતીયો કેમ કરી શકે છે અને એક જ સમયે તે નદીનો દુરુપયોગ પણ તે લોકો દ્વારા કરવામાં આવે છે? નદી દેવીઓ પ્રતિ ભારતીયોની સંસ્કૃતિના જોડાણ છતાં, તેઓ નદીના પાણીને ગંદુ કરી દે છે અને તેઓ લગભગ એવા બિંદુ પર પહોંચી ગયા છે. જ્યાંથી પાછા ફરવું શક્ય નથી. નદીના પ્રવાહ પર સીધી અસર કરવા વાળું એક કઠોર સત્ય એ છે કે, યમુના સહિત બધી મહાન હિમાલયન નદીઓનો મૂળ સ્ત્રોત, હિમાલય છે, જેના ગ્લેશિયર હવે સૂકાઇ રહ્યા છે, અંશતઃ પહાડોમાં એન્થ્રોપોજેનિક પ્રવૃત્તિઓને કારણે.

દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમા પર છે (Etv Bharat)

ગેરકાયદેસર બાંધકામ નદી માટે જોખમ: હોટલોથી નીકળનારો અયોગ્ય કચરો પાણીમાં ફેલાઇ જાય છે અને ગેરકાયદેસર બાંધકામ નદી માટે જોખમ ઉભું કરે છે. એવા ગેરકાયદેસર બાંધકામને પ્રતિબંધ કરવા માટેના કોઇ પણ કાયદાને અંતમાં દબાવમાં કમજોર કરી નાખવમાં આવશે. અયોગ્ય ગંદા પાણીના સ્ત્રાવને સીધું જ નદીમાં છોડવામાં આવે છે. ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા કીટનાશકો પણ નદીમાં જતા હોય છે. જેનાથી યુટ્રોફિકેશન થાય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે જે આક્રમક છોડ અને શેવાળને વધવામાં મદદરૂપ થાય છે. સ્વચ્છતાના પ્રયત્નોમાં તૈયારીની ઝડપથી સ્પષ્ટ થાય છે કે, નદી બહું જ શક્તિશાળી જીવાણુંઓની યજમાની કરે છે. જે નીંચાણવાળા વિસ્તારમાં રહેનારા ગ્રામીણો માટે લાખો પાણીના વપરાશકારોને એન્ટિબાયોટિક્સ દવાઓ સામે પ્રતિરોધક ચેપના જોખમમાં મૂકે છે.

દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમા પર છે (Etv Bharat)

ચામડીના રોગોનું કારણ: દિલ્લી પાસે યમુનાના કેટલાક ભાગોનો વપરાશ ડંપિંગ, પ્લાસ્ટિક, ઓદ્યોગિક કચરા અને અયોગ્ય ગંદા પાણીની ગટર રુપે કરવામાં આવે છે. તીખી ગંધવાળા સફેદ ફૂલાયેલા ફિણમાં ઓદ્યોગિક કચરામાંથી નીકળતા અમોનિયા અને ફોસ્ફેટની ઉચ્ચ સાંદ્રતા હોય છે. જે ચામડીના રોગોનું કારણ બને છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્યની સહયોગી મોનિટરિંગ એજન્સીઓ સૌથી વધુ બિનઅસરકારક છે. જેમની પાસે ખરાબથી લઇને અસ્તિત્વમાં નથી તેવી વિનિયમનકારી પ્રથા અને અમલીકરણ ધરાવે છે.

દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણ ચરમ સીમા પર છે (Etv Bharat)

માટીના પ્રદૂષણ માટે કોઇ માપદંડ નથી: પ્રદૂષણની સમસ્યાના નિકાલ અંગે જોરદાર ભાષણો છતાં, આ આશ્ચર્યની વાત નથી કે, અમારી પાસે અત્યારે પણ માટીના પ્રદૂષણ માટે કોઇ માપદંડ નથી. નદી પુનરુદ્વાર કાર્યક્રમ જેને ' યમુના એક્શન પ્લાન' પણ કહેવામાં આવે છે. 1993માં ભારત અને જાપાન વચ્ચે એક દ્વિપક્ષીય પ્રોજેક્ટના રુપમાં શરુ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય માટે વર્ષ 2012-13 માં પોતાની રિપોર્ટમાં પર્યાવરણ અને વન સંબંધી સંસદીય સમિતિમાં જાણવા મળ્યું કે, ગંગા અને યમુનાને સાફ કરવાનું મિશન વિફળ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારનો એક મુખ્ય કાર્યક્રમ " નમામી ગંગે કાર્યક્રમ" અંતર્ગત યમુનાની સફાઇ માં હજારો કરોડ રુપિયા વાપરવામાં આવ્યા છે.

નવી સરકારની શું કમજોરી છે: સરકાર શહેરી કેન્દ્રોમાં ગ્રીન ટેક્નોલોજી સ્થાપિત કરવા માટે એટલી ઝડપથી આગળ વધી રહી નથી, જેમાં ગટર અને વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવતાં શહેરોનો પણ સમાવેશ થાય છે. આવી વૈકલ્પિક તકનીકમાં અકુશળ અને અર્ધ-કુશળ શહેરી યુવાનોની વધતી જતી વસ્તી માટે વિશાળ રોજગારની બહું જ મોટી સંભાવના છે. અમલીકરણમાં વિલંબ ઉપરાંત, નવી સરકારની એક કમજોરી એ છે કે, તે તે સ્યુડો-વૈજ્ઞાનિક અથવા તરંગી ઉકેલો દ્વારા પોતાના મુખ્ય કાર્યોથી સરળતાથી વિચલિત થઇ જાય છે. ગંગા અને યમુના બંને નદીઓનો અલગ અલગ રીતે દુરુપયોગ થયો છે. જેમાં નદી-કેન્દ્રિત બિનટકાઉ ધાર્મિક પ્રથાઓમાં સમાવેશ થાય છે, જેમાં કેટલીક વાર પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને શરીર અને ઔપચારિક અવશેષોને ફેંકવું સામેલ છે. પડકારો હોવા છતા. નદીની સફાઇ શક્ય છે, પરંતુ સ્થાનિક ભ્રષ્ટાચાર અને આળસુ વહીવટીતંત્ર ગંભીર પડકાર તરીકે રજૂ થાય છે.

આપણે બસ 2 જ સરળ પગલા લેવાના છે:હાનિકારક તત્વોને નદીમાં પ્રવેશ થતો અટકાવવો અને ન્યૂનતમ પ્રવાહ જાળવી રાખવો. પરંતુ આ કરવા માટે આપણે વિશ્વસનીય ફિલ્ડ ડેટા પર આધારિત નક્કર નીતિઓની જરૂર છે. અમને લક્ષ્ય લક્ષી અમલીકરણ કરતી કાર્ય પ્રણાલીની જરુરિયાત છે પરંતુ હું યમુનાને સાફ કરવાના વર્ષોના નિષ્ફળ પ્રયાસોને જોઇને શંકામાં છું જો કે સત્તા કેન્દ્રની સૌથી નજીક જળ વિભાગ છે. અનાદી કાળથી નદીઓ માનવતાની જીવન રક્ષક પ્રણાલી રહી છે અને હવે આ જીવાદોરીઓ મરી રહી છે. જેનાથી અસ્તિત્વ માટે ખતરો વધી રહ્યો છે. રાજનૈતિક વિચારોથી દૂર મુક્ત નિષ્પક્ષ વૈજ્ઞાનિક અભિગમ જ આ બહુમૂલ્ય કુદરતી સંપતિઓને પુન:સ્થાપિત કરવાની ખાતરી આપશે.

ABOUT THE AUTHOR

...view details