ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ETV Bharat / bharat

તિરુપતિ લાડુના વિવાદ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના પેકેટ પર જોવા મળ્યા ઉંદરો, વીડિયો થયો વાયરલ, ટ્રસ્ટે આપ્યો ખુલાસો - rat on prasad Siddhivinayak temple

તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુમાં ભેળસેળને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં લાડુના પેકેટ પર ઉંદરોને જોઈ શકાય છે. નોંધનીય છે કે ETV ભારત આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. - rat on prasad Siddhivinayak temple video viral

સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના પેકેટ પર જોવા મળ્યા ઉંદરો
સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના પેકેટ પર જોવા મળ્યા ઉંદરો (Etv Bharat)

મુંબઈઃમહારાષ્ટ્રના મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના પેકેટમાં કથિત રીતે ઉંદરો દર્શાવતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અંગે મંદિરનું સંચાલન કરનાર ટ્રસ્ટે કહ્યું કે આ ક્લિપ 'ક્યાંક બહાર' શૂટ કરવામાં આવી છે.

સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ (SSGT) ના અધ્યક્ષ સદા સર્વંકરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "રોજ લાખો 'લાડુ' વહેંચવામાં આવે છે અને જ્યાં તે બનાવવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ હોય છે. જ્યારે વીડિયોમાં એક ગંદી જગ્યા દેખાય છે." હું જોઈ શકું છું કે આ વીડિયો મંદિરનો નથી અને બહાર ક્યાંક શૂટ કરવામાં આવ્યો છે."

'ગુનેગારો સામે પગલાં લેવાશે'

આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના નેતા સર્વણકરે કહ્યું કે, સીસીટીવીની તપાસ કરવામાં આવશે અને પોલીસ આ મામલે તપાસ કરશે. તેમણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભક્તોને લાડુની ગુણવત્તા અંગે પણ ખાતરી આપી હતી.

"ઘી, કાજુ અને અન્ય સામગ્રીને પહેલા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે અને તેમની મંજૂરી પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમારા પાણીનું પણ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે," સર્વણકરે કહ્યું, આનો અર્થ એ છે કે અમે સંપૂર્ણ કાળજી લઈએ છીએ કે ભક્તોને આપવામાં આવતો પ્રસાદ શુદ્ધ છે."

તિરુપતિ લાડુનો વિવાદ

દરમિયાન, જે ક્લિપ સામે આવી છે, તેમાં વાદળી ટ્રેમાં રાખવામાં આવેલા લાડુના ફાટેલા પેકેટ પર ઉંદરો દેખાય છે. નોંધનીય છે કે ETV ભારત આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આંધ્રપ્રદેશના તિરુપતિમાં વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં દાવો કર્યો હતો કે અગાઉની સરકાર દરમિયાન ભક્તોને 'પ્રાણી ચરબી' ધરાવતા લાડુ આપવામાં આવતા હતા. જોકે, નાયડુના પુરોગામી અને રાજકીય હરીફ વાયએસ જગન મોહન રેડ્ડીએ આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે.

લાડુની અંદર તમાકુના ટુકડા

દરમિયાન તેલંગાણાની એક મહિલાએ પ્રસાદ અંગે આરોપ લગાવ્યો છે કે, તેને લાડુની અંદર કાગળમાં લપેટી તમાકુના ટુકડા મળ્યા છે. મહિલા ભક્તે તેનો વીડિયો પણ જાહેર કર્યો છે. જો કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે, તિરુપતિ લાડુમાં તમાકુ હોય છે તે કહેવું નિંદનીય છે.

  1. CM સિદ્ધારમૈયાને હાઈકોર્ટનો મોટો ફટકો, MUDA કૌભાંડ અંગે ચાલશે કેસ - MUDA SCAM
  2. બિહારના બક્સરમાં ગંગા નદીમાં એક અનોખો પ્રયોગ, જુઓ ગંગા નદી પર તરતું ઘર બનાવવામાં આવ્યું - FLOATING HOUSE ON WATER

ABOUT THE AUTHOR

...view details