નવી દિલ્હીઃરેલવે મુસાફરો માટે વધુ એક સારા સમાચાર છે. ભારતીય રેલ્વેએ 10 નવી ટ્રેનો શરૂ કરી છે. આ ટ્રેનો મુસાફરો માટે રિઝર્વ ટિકિટ વિના ઉપલબ્ધ છે. રેલ્વેએ આ પગલું રિઝર્વેશન વિના મુસાફરી કરતા મુસાફરોની મુશ્કેલીને દૂર કરવા માટે ઉઠાવ્યું છે. ભારતીય રેલ્વે આ ટ્રેનોને તે રૂટ પર સેવા આપશે જ્યાં મુસાફરોની સંખ્યા વધુ છે.
આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે, રેલવે મુસાફરોએ ધ્યાનમાં રાખવું પડશે કે તેઓએ સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી સામાન્ય ટિકિટ ખરીદવી પડશે. આ સિવાય તેઓ UTS એપ દ્વારા પણ ટિકિટ બુક કરાવી શકે છે. મુસાફરોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ટ્રેનોમાં જનરલ અને ચેર કાર કોચ હશે. IRCTCની નવી ટ્રેનો દેશભરના મોટા શહેરોને જોડશે.
ટ્રેનના રૂટ અને સમયપત્રક
- મુંબઈ-પુણે સુપરફાસ્ટ સવારે 7.30 વાગ્યે મુંબઈથી ઉપડશે અને સવારે 11 વાગ્યે પૂણે પહોંચશે.
- હૈદરાબાદ-વિજયવાડા એક્સપ્રેસ સવારે 7.30 વાગ્યે હૈદરાબાદથી ઉપડશે અને બપોરે 2 વાગ્યે વિજયવાડા પહોંચશે.
- દિલ્હી-જયપુર એક્સપ્રેસ સવારે 6 વાગ્યે દિલ્હીથી ઉપડશે અને બપોરે 1.30 વાગ્યે જયપુર પહોંચશે.
- લખનૌ-વારાણસી એક્સપ્રેસ સવારે 7 વાગ્યે લખનૌથી ઉપડશે અને બપોરે 1.30 વાગ્યે વારાણસી પહોંચશે.
- કોલકાતા-પટના ઇન્ટરસિટી સવારે 5 વાગ્યે કોલકાતાથી ઉપડશે અને બપોરે 2 વાગ્યે પટના પહોંચશે.
- અમદાવાદ-સુરત ફાસ્ટ ટ્રેન અમદાવાદથી સવારે 7 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે સુરત પહોંચશે.
- પટના-ગયા એક્સપ્રેસ પટનાથી સવારે 6 વાગ્યે ઉપડશે અને રાત્રે 9.30 વાગ્યે ગયા પહોંચશે.
- જયપુર-અજમેર ફાસ્ટ ટ્રેન જયપુરથી સવારે 8 વાગ્યે ઉપડશે અને 11.30 વાગ્યે અજમેર પહોંચશે.
- ચેન્નાઈ-બેંગ્લોર એક્સપ્રેસ ચેન્નઈથી સવારે 8 વાગ્યે ઉપડશે અને બપોરે 3:30 વાગ્યે બેંગ્લોર પહોંચશે.
- ભોપાલ-ઈન્દોર ઈન્ટરસિટી ભોપાલથી સવારે 6.30 વાગ્યે ઉપડશે અને બપોરે 12 વાગ્યે ઈન્દોર પહોંચશે.