ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માઓવાદી કમાન્ડરના પત્રથી ખળભળાટ, 25 લાખના ઈનામીના મોતને લઈને મોટો ઘટસ્ફોટ - LETTER OF MAOIST COMMANDER

માઓવાદી કમાન્ડરના પત્રથી સનસનાટી મચી ગઈ છે. ૨૫ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા નક્સલીના મોતને લઈને ઘણા ખતરનાક ખુલાસા થયા છે.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 5:34 PM IST

રાંચી:ઝારખંડના સૌથી મોટા નક્સલવાદી સંગઠન, ભાકપા માઓવાદીઓમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. ચાઈબાસામાં ૨૯ જાન્યુઆરીએ થયેલી અથડામણમાં ઠાર થયેલા ઝોનલ કમાન્ડર સંજય ગંઝુ પાસેથી મળેલા પત્રમાં ભાકપા માઓવાદી સંગઠનની આંતરિક પરિસ્થિતિ વિશે વિસ્ફોટક ખુલાસા થયા છે.

પત્રમાં 25 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા માઓવાદીના મોતની માહિતી

ઝારખંડ પોલીસના જોરદાર વળતા વારથી દરોજ્જ નવા નવા ઝટકા સહન કરી રહેલા માઓવાદી સંગઠનમાં ખાવાના ફાંફા પડી રહ્યાં છે. 29 જાન્યુઆરી 2024ના રોજ ઝારખંડ ચાઈબાસાના સોનુવામાં અથડામણમાં ઠાર થયેલા ઝોનલ કમાન્ડર સંજય ગંઝૂના મૃતદેહ પાસેથી મળેલા પત્રથી સંગઠનની આંતરીક સ્થિતિ પર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 25 લાખના ઈનામી લંબૂના મોતના રહસ્ય પરથી પણ પડદો ઉંચકાઈ ગયો છે. સંજયના પત્રથી એ વાતનો પણ ખુલાસો થયો છે કે, સંગઠનના મોટા નેતા સ્પેશિયલ એરિયા કમિટીના સભ્ય કરમચંદ હાંસદા ઉર્ફે લંબૂ ઉર્ફે વીર સિંહનું મોત બીમારીના કારણે થઈ ચુક્યું છે.

કોના સુધી પહોંચાડવાનો હતો પત્ર

પોલીસ સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સંજય ગંઝુ પાસેથી મળેલો પત્ર ગંઝુએ 26 જાન્યુઆરીએ લખ્યો હતો. જે કેન્દ્રીય સમિતિના સભ્ય અને પતિરામ માંઝી ઉર્ફે અનલને પહોંચાડવાનો હતો, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. પરંતુ સંજય કેન્દ્રીય સમિતિના સભ્યને પત્ર પહોંચાડે તે પહેલાં, ચાઈબાસાના સોનુઆ સ્થિત વિલાયતી જંગલમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં સંજય ગંઝુ અને સમિતિનો સભ્ય હેમંત મઝિયાઈન બંને માર્યા ગયા.

સંજયે પોતાના જ પ્રાદેશિક કમાન્ડર પર ટોચના આદેશોનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો

માર્યા ગયેલા ઝોનલ કમાન્ડર સંજય પાસેથી મળેલા પત્રમાં ઉલ્લેખ છે કે, પ્રાદેશિક કમાન્ડર અમિત મુંડા, જેની માથે 15 લાખ રૂપિયાનું ઇનામ છે, તે સંગઠનના ટોચના નેતૃત્વનું સાંભળતો નથી. મૃત્યુ પહેલાં લખેલા પત્રમાં સંજયે સેન્ટ્રલ કમિટીના સભ્યને જણાવ્યું હતું કે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે ટોચના માઓવાદીઓના નિર્દેશ પર માઓવાદીઓની એક બેઠક યોજાઈ હતી. પરંતુ પ્રાદેશિક કમાન્ડર અમિત મુંડા આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. પત્રમાં પતિરામ માંઝીના નજીકના સહયોગી હેમંતનો પણ ઉલ્લેખ છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારથી તે અમિત મુંડાની ટીમમાં જોડાયો છે, ત્યારથી અમિત અને હેમંત વચ્ચે બધુ સારી રીતે ચાલી રહ્યું નથી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંજય કેન્દ્રીય સમિતિના સભ્યને મળવા અને સંગઠનની આંતરિક પ્રવૃત્તિઓ સંબંધિત તમામ મુદ્દાઓ પર માહિતી મેળવવા માંગતા હતા.

કરમચંદના મૃત્યુ માટે અમિત જવાબદાર

એન્કાઉન્ટરમાં મૃત્યુ પહેલાં લખેલા પત્રમાં સંજય ગંઝુએ લખ્યું છે કે, સંગઠનના SAC કમાન્ડર કરમચંદ ઉર્ફે વીર સિંહનું મૃત્યુ બીમારીથી થયું હતું, પરંતુ આ મૃત્યુને બેદરકારીને કારણે થયેલું મૃત્યુ ગણાવવામાં આવ્યું છે. પત્રમાં લખ્યું છે કે વીર સિંહની યોગ્ય રીતે કાળજી લેવામાં આવી ન હતી. અમિત દેખરેખની જવાબદારી સંભાળતો હતો, પરંતુ દેખરેખના અભાવે વીર સિંહનું મૃત્યુ થયું.

પત્ર પર આગળની કાર્યવાહી

ઝારખંડ પોલીસે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં સીપીઆઈ માઓવાદીઓને ખતમ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હવે માર્યા ગયેલા ઝોનલ કમાન્ડર દ્વારા લખાયેલા પત્રમાં મળેલી માહિતીના આધારે, એજન્સીઓ આગળની કાર્યવાહી કરી રહી છે.

  1. માઓવાદીઓનો અંત નજીક ? શાંતિ સ્થાપિત કરવા વિદ્રોહનો અંત પૂરતો છે ?
  2. માઓવાદી નેતા સવ્યસાચી પાંડાએ બંદૂક છોડી, પકડી પુસ્તકો, જેલમાંથી MAનો કરી રહ્યો છે અભ્યાસ

ABOUT THE AUTHOR

...view details