ગુજરાત

gujarat

વાજતે-ગાજતે વિઘ્નહર્તાની વિદાય, દેશભરમાં ગણેશજીની પ્રતિમાનું કરાયુ વિસર્જન - ganpati visarjan 2024

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 9:33 PM IST

Updated : Sep 17, 2024, 10:30 PM IST

દેશભરમાં ગણેશોત્સવના છેલ્લા દિવસે, ભક્તોએ ગણપતિ બાપ્પાને ભાવભીની લાગણી સાથે વિદાય આપી. દેશના અનેક શહેરોમાં વાજતે-ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું. ganpati visarjan 2024

વાજતે-ગાજતે વિઘ્નહર્તાની વિદાય
વાજતે-ગાજતે વિઘ્નહર્તાની વિદાય (Etv Bharat)

હૈદરાબાદ: ગણેશોત્સવના છેલ્લા દિવસે, ભક્તોએ ગણપતિ બાપ્પાને ભાવભીની લાગણી સાથે વિદાય આપી. અનંત ચતુર્દશીના દિવસે ઢોલ-નગારા, ગીતો અને નૃત્ય સાથે બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જુઓ દેશના વિવિધ શહેરોમાં નિકળેલી શ્રીજીની વિસર્જન યાત્રાઓ.

ગણેશોત્સવ એ ભારતના સૌથી પ્રખ્યાત અને ભવ્ય રીતે ઉજવાતા તહેવારોમાંનો એક છે. તે ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે, જ્યારે ભક્તો તેમના ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાને ખૂબ જ આદર અને ભક્તિભાવ સાથે સ્થાપના કરે છે અને પૂજા અર્ચના કરે છે.

પૂણેમાં શ્રીજીનું પ્રતિમાઓનું વિસર્જન:

મહારાષ્ટ્રના પુણેના નારાયણ પેઠમાં વાજતે-ગાજતે ગણપતિ વિસર્જન માટે યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

મહારાષ્ટ્રના CMએ પોતાના નિવાસે કરી ગણેશજીની પૂજા:

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં ગણપતિ વિસર્જન પર તેમના નિવાસસ્થાને આરતી કરી હતી.

ભોપાલમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી પૂજા:

ભોપાલમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પરિવાર સાથે ગણપતિ બાપ્પાની આરતી કરી હતી.

લાલા બાગ ચા રાજાનું વિસર્જન:

દેશના ઘણા શહેરોમાં આજે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુંબઈના ગિરગાંવ ચોપાટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લાલબાગચા રાજાના વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.

હૈદરાબાદની સૌથી ઉંચી ગણેશ પ્રતિમાનું વિસર્જન

હૈદરાબાદના ખૈરતાબાદ વિસ્તારમાં સ્થાપિત 70 ફૂટ ઊંચી ભગવાન ગણેશની મૂર્તિનું હુસૈન સાગર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં ગણેશ પ્રતિમાના વિસર્જન માટે ભક્તોની ભીડ

અનંત ચતુર્દશીના અવસર પર મુંબઈમાં વિસર્જન માટે ભગવાન ગણેશની મૂર્તિઓ લઈ જવામાં આવી રહી ત્યારે રસ્તાઓ પર મોટી સંખ્યામાં ગણેશભક્તોની ભીડ જોવા મળી હતી.

  1. 'ગણપતિ બાપ્પા... મોરિયા', અમદાવાદમાં વાજતે-ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન... - GANESH VISARJAN AHMEDABAD 2024
  2. નવસારીમાં 5 હજાર જેટલી ગણેશ પ્રતિમાનું વિસર્જન, વાજતે-ગાજતે વિઘ્નહર્તાની વિદાય - GANESH VISARJAN YATRA
Last Updated : Sep 17, 2024, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details