ગુજરાત

gujarat

મોદી સરકારે બદલ્યું પોર્ટ બ્લેરનું નામ, જાણો ક્યા નામથી ઓળખાશે - PORT BLAIR TO SRI VIJAYA PURAM

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2024, 7:23 PM IST

કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કરી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી.

ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ ((ANI))

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કરી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે 'શ્રી વિજયપુરમ' નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે.

તેમણે એમ પણ કહ્યું કે, આપણા દેશની આઝાદી અને ઈતિહાસમાં આ ટાપુનું આગવું સ્થાન છે. ચોલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ ટાપુ ભારત માતાની સ્વતંત્રતા માટેના સંઘર્ષનું સ્થળ પણ છે, જેમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જી દ્વારા પ્રથમ ત્રિરંગો ફરકાવવાથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા સેલ્યુલર જેલમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

  1. એક ક્લિકમાં જાણો અરવિંદ કેજરીવાલે કઈ શરતોનું પાલન કરવું પડશે - ARVIND KEJRIWAL GETS BAIL

ABOUT THE AUTHOR

...view details