ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 3:28 PM IST

ETV Bharat / bharat

આપ સાંસદ રાઘવ ચઢ્ઢા વિદેશથી પરત ફર્યા, આવતાંની સાથે જ સીએમ કેજરીવાલને મળવા દોડી ગયાં - AAP MP Raghav Chaddha

AAP MP RAGHAV CHADDHA બ્રિટનમાં તેમની આંખની સર્જરી પછી, આમ આદમી પાર્ટી (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢા સીએમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા. તેમની ગેરહાજરી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ પાર્ટીએ કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થતાં જ પરત ફરશે.

આપ સાંસદ રાઘવ ચઢ્ઢા વિદેશથી પરત ફર્યા, આવતાંની સાથે જ સીએમ કેજરીવાલને મળવા દોડી ગયાં
આપ સાંસદ રાઘવ ચઢ્ઢા વિદેશથી પરત ફર્યા, આવતાંની સાથે જ સીએમ કેજરીવાલને મળવા દોડી ગયાં (ETV Bharat)

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા લાંબા સમય બાદ વિદેશથી પરત ફર્યા છે. શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેમના દિલ્હી આગમનના સમાચાર સાર્વજનિક થયાં. વિદેશથી પરત ફરતાની સાથે જ તેઓ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં. રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટનમાં હતાં. ત્યાં તેમની આંખનું ઓપરેશન થયું. દરમિયાન તેમની ગેરહાજરીમાં વિવિધ પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી.

રાઘવ લાંબા સમયથી લંડનમાં હતાં :દિલ્હી શરાબ કૌભાંડમાં જે રીતે સીએમ કેજરીવાલ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી, તે પછી આપના અન્ય નેતાઓના નામ પણ સામે આવ્યા. તો એવી પણ ચર્ચા શરૂ થઈ કે રાઘવ ચઢ્ઢા પણ કોઈ કાનૂની મુશ્કેલીથી બચવા વિદેશમાં છે. પણ રાઘવ ત્યાંથી આંખના ઓપરેશનની માહિતી આપતો રહ્યાં હતાં. જેનો ઉલ્લેખ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કર્યો હતો.

સ્વાતિ માલીવાલ મામલે નજર :હવે રાઘવ ચઢ્ઢાનું દિલ્હી પરત ફરવું એવા સમયે આવ્યું છે. જ્યારે તેમની સહકર્મી સ્વાતિ માલીવાલનો મામલો ચર્ચામાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી આવાસ પર સ્વાતિ માલીવાલ સાથે બનેલી ઘટના પર રાઘવે હજી સુધી ખુલીને કંઈ કહ્યું નથી અને જે રીતે પાર્ટીના તમામ નેતાઓ હવે સ્વાતિ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે તે બધાની નજર રાઘવ ચઢ્ઢા પર પણ છે કે તે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે? જો કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સ્વાતિના કેસ પર હજુ સુધી કંઈ કહ્યું નથી.

રાઘવની મહત્વની ભૂમિકા :તમને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક છે. પાર્ટીએ તેમને જે પણ જવાબદારી આપી છે તે નિભાવી રહ્યા છે. વર્ષ 2013માં જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે રાઘવ ચઢ્ઢાએ પાર્ટીનો મેનિફેસ્ટો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  1. સુપ્રીમ કોર્ટે રાઘવ ચઢ્ઢાને કહ્યું- જાઓ અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષની માફી માગો
  2. AAPના રાઘવ ચઢ્ઢાને સાંસદ તરીકે પુનઃ માન્યતા મળી

ABOUT THE AUTHOR

...view details