ગાંધી@150: ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4623410-thumbnail-3x2-amdabad.jpg)
અમદાવાદઃ ખાતે સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ ખાતે આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્તિકેય સારાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અમિત ચાવડા પણ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત પ્રાર્થના સભા માટે અમદાવાદની આસપાસના પ્રાથમિક શાળાઓના બાળકોને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.