thumbnail

Vaccination news : સુરતમાં મંદબુદ્ધિ બાળકોને વેક્સિન અપાઈ

By

Published : Jun 20, 2021, 11:01 PM IST

સુરત : કોરોનાથી બચવા દેશભરમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં 40 ટકા કરતાં વધુ લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. જ્યારે મંદબુદ્ધિના બાળકો વેક્સિનેશનથી વંચિત ન રહી જાય તે માટે શહેરના વેસુ વીઆઈપી રોડ ખાતે મનપાના સહયોગથી શ્યામ મંદિર ધામ દ્વારા મંદબુદ્ધિ લોકોનું રવિવારે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 કરતા વધુ મંદબુદ્ધિના લોકોએ ફ્રીમાં વેક્સિનેશન કરાવ્યું હતું. સાથે જ સંસ્થા દ્વારા મંદબુદ્ધિ બાળકોને લાવવા લઈ જવા માટેની, નાસ્તા પાણીની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.