સરદાર પટેલની પુણ્યતિથિ નિમિતે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
પોરબંદરઃ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે પોરબંદરમાં રેલવે સ્ટેશન રોડ પાસે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવી પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના આગેવાન સામત મોઢવાડીયા, રામદેવ મોઢવાડીયા તેમજ એસ. યુ. આઈના પ્રમુખ કિશન રાઠોડ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.