ધોરાજીમાં ભંગારમાં પડેલી 3 કારમાં લાગી આગ
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આવેલાં બહારપુરા ખ્વાજા સાહેબના ઉર્સનાં મેળાના મેદાન અને કુંભારવાડાના ખૂણાં પાસે ભંગારમાં પડેલી બેથી ત્રણ કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ધોરાજી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.