નડિયાદમાં CAA અને NRCના સમર્થનમાં રેલી યોજાઈ

By

Published : Dec 25, 2019, 1:07 AM IST

Updated : Dec 25, 2019, 2:29 AM IST

thumbnail
ખેડાઃ જિલ્લાના નડિયાદ ખાતે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ખેડા જીલ્લા નાગરિક સમર્થન સમિતિ દ્વારા વિશાળ જન સમર્થન રેલી યોજવામાં આવી હતી. રેલી યોજી નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ મંદિરથી કલેકટર કચેરી સુધી ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જનસંઘના સમયથી જ અમારા મેનિફેસ્ટોમાં રામ મંદિર, ટ્રિપલ તલાક, કલમ 370, 35 એ, NRC અને CAA નો સમાવેશ કરાયેલો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દૂ શરણાર્થીઓ માટે બિલ લાવ્યા છીએ. નાગરિકતા સંશોધન એકટમાં નાગરિકતા આપવાનો અધિકાર છે છીનવવાનો નહીં, વિરોધ પક્ષ ખોટો ભ્રમ ફેલાવી રહ્યો છે. સમર્થન રેલીમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી સાથે નાગરિક સમિતિના અગ્રણી અને વકીલ મંડળ સહીત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને તમામે કલેકટર કચેરી પહોંચી ખેડા જિલ્લા કલેકટરને સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Last Updated : Dec 25, 2019, 2:29 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.