સૌરાષ્ટ્ર પર “વાયુ”નો ખતરો, જુઓ કેવી રીતે પહોંચશે આ વાવાઝોડું?
અમદાવાદઃ અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલા 'વાયુ' સાયક્લોનનો ગુજરાત પર ખતરો છે, ત્યારે આ વાવાઝોડું આગામી 12 અને 13 જૂનના રોજ ગુજરાતનાં દરિયા કિનારા સુધી પહોંચશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. જેથી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વિવિધ સિગ્નલ લગાવી દેવાયા છે. આ 'વાયુ' વાવાઝોડું હાલ વેરાવળ બંદરથી દૂર છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં બદરો ઉપર ચેતવણી સિગ્નલ આપી દેવાયા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, ત્યારે ચાલો જાણીએ કે, આગામી બે દિવસમાં આ વાવાઝોડું કેવી રીતે પહોંચશે? વધુ માટે જુઓ વીડિયો...