thumbnail

ભરૂચમાં ખેડૂત હિત રક્ષક દળ આયોજિત ખેડૂત ચેતના યાત્રાનું સમાપન કરાયું

By

Published : Jan 8, 2020, 4:10 AM IST

ભરૂચઃ શહેરમાં ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ખેડૂત ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જિલ્લાના વિવિધ ગામોમાં ફરી હતી ત્યારે આ યાત્રાનું મંગળવારના રોજ સમાપન કરવામાં આવ્યું હતું. જે અંગેનો કાર્યક્રમ શહેરની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો. જે ખેડૂતોના દેવા માફી અને રાજ્ય સરકાર કૃષિ પાંચ બનાવે એ સહિતની માગ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તંત્ર દ્વારા એસ.આઈ.આર.અને નાગર રચનામાં આડેધડ કામગીરી કરવમાં આવી છે. ખેડૂતોની કિંમતી જમીન વિવિધ પ્રોજેક્ટ માટે લઇ લેવામાં આવી રહી છે. જેની સામે વિરોધ નોધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી, ખેડૂત હિત રક્ષક દળનાં પ્રમુખ માવસંગ પરમાર, કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ રણા, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ અને ખેડૂતો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.