રાજકોટમાં ભૂમાફિયાઓનો ત્રાસ, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
રાજકોટઃ શહેરના નાનામૌવા નજીક આવેલા ડૉ. આંબેડકરનગરના વિસ્તારવાસીઓ સુત્રોચાર અને હાથમાં બેનરો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યાં હતા. વિસ્તારવાસીઓની માગ છે કે, મહેશચંદ્ર જટાશંકર ભટ્ટ, કેશુભાઈ જસમતભાઈ દલસાણીયા અને સચિનભાઈ ચંપકભાઈ વલાણી નામના ઈસમો દ્વારા તેમને ધાકધમકી આપી જમીન ખાલી કરાવવાની માગ કરી રહ્યા છે. તેમજ આ જમીનના તેમના દ્વારા બનાવટી દસ્તાવેજ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેને લઇને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. આ અંગે વિસ્તારવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.