તંત્રના રક્ષણ વિહોણું બેટ દ્વારકા ભગવાન ભરોસે
બેટ દ્વારકાઃ ઓખા બંદરથી દરિયાઇ માર્ગને બંધ થયાને 60 કલાક થઇ ગયા છે.ત્યારે બેટ દ્વારાકાને વ્હારે કોઇ આવ્યું નથી. દૂધ, શાક અને તેમજ હૉસ્પિટલને લગતી કોઇ સુવિધાઓ આપવામાં આવી નથી. તો લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે આવતાં નેતા ગણેશ કરનાર ડાફોળિયું મારવા પણ ગયા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસથી તેમનું જીવન નિર્વાહ અઘરું થઇ પડયું ત્યારે તંત્ર કે નેતાએ તેમની દરકાર લીધી ન હોવાનું સ્થાનિકો આક્રોશપૂર્વક જણાવી રહ્યાં છે.