ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજે પરિવાર સાથે જૂનાગઢ ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબાના કર્યા દર્શન

By

Published : Nov 8, 2021, 10:34 AM IST

thumbnail
ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ પોતાના પરિવાર સાથે જૂનાગઢ આવ્યા હતા. અહીં તેમણે ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબાના દર્શન કર્યા હતા. તો મંદિરના મહંત તનસુખગિરિ બાપુએ તેમનું અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું. રવિશંકર મહારાજની સાથે તમામ વ્યક્તિઓને મા અંબાના પ્રસાદરૂપે ચુંદડી આપીને તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી શ્રી રવિશંકર મહારાજે દર્શન કર્યા પછી જણાવ્યું હતું કે, તેઓ મા અંબાના દર્શન કરીને પાવન થઈ ગયા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, શક્તિ સ્વરૂપે ગિરનાર પર બિરાજમાન મા અંબાના દર્શન કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આદિ અનાદિકાળથી બિરાજમાન મા અંબાના દર્શન અને તેનું પૂજન કરીને રવિશંકર મહારાજે તેમની એક દિવસની જૂનાગઢની મુલાકાતને પૂર્ણ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.