ETV Bharat / sukhibhava

Holi 2022: હૃદય અને દિમાગને તાજગી પ્રદાન કરે છે હોળી

author img

By

Published : Mar 18, 2022, 12:40 PM IST

હોળી (Holi 2022) એ ઉત્સાહ, આનંદ અને સામાજિક મેળાવડાનો તહેવાર છે. રંગો, થંડાઈ, ગુજિયાનો સ્વાદ આ તહેવારને વધુ રંગિન બનાવે છે, પરંતુ આ ઉલ્લાસ મુશ્કેલીમાં ન ફેરવાય તે માટે હોળી રમતી વખતે કેટલીક સાવચેતી રાખવી (How To play Holi safly) જરૂરી છે.

Holi 2022: હોળી હૃદય અને દિમાગને તાજગી પ્રદાન કરે છે
Holi 2022: હોળી હૃદય અને દિમાગને તાજગી પ્રદાન કરે છે

ખરેખર તો આપણા દેશમાં દરેક તહેવારો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ હોળીનું (Holi 2022) નામ સાંભળતા જ મોટાભાગના લોકોના ચહેરા પર અલગ જ સ્મિત આવી જાય છે. રંગબેરંગી ઝળહળતા ગુલાલ, પાણી ભરેલી પિચકારીઓ અને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ આ તહેવારના ઉત્સાહની રોનકને વધારે છે. આ સંજોગોમાં મોટાભાગના લોકો આ તહેવારની ઉજવણી કર્યા પછી શાંતિ અને ઉર્જાવાન મહેસુસ કરે (Holi Paly Benefits) છે. જેના માટે આ તહેવાર સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ અને મન પર રંગ ગુલાલની અસરને આભારી હોઈ શકે (How To play Holi safly) છે. શા માટે અને કેવી રીતે આ તહેવાર આપણા માનસિક સ્વાસ્થ્યને સુધારે છે, આપણા મનને શક્તિ આપે છે અને આપણા વિચારને સકારાત્મક બનાવે છે, તે જાણવા માટે ETV ભારતે નિષ્ણાતો સાથે ખાસ વાત કરી હતી.

તહેવાર ગમે તે હોય, તે આપણા મન પર સકારાત્મક અસર છોડે

હોળીનો તહેવાર સતત બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે છોટી હોળી ઉજવાય છે. સાથે જ આ દિવસે પૂજાની સાથે હોલિકા દહનનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ ફાગ અથવા રંગ સાથે હોળી ઉજવવામાં આવે છે. મનોચિકિત્સક ડો.રેણુકા શર્મા કહે છે કે, તહેવાર ગમે તે હોય, તે આપણા મન પર સકારાત્મક અસર છોડે છે. ખાસ કરીને હોળી અંગે વાત કરીએ તો, આ પ્રસંગે રમવામાં આવતા રંગો અને તેમની સુગંધ અને વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ આપણા સંવેદનાત્મક અંગોને અસર કરે છે, જેનાથી આપણને સારું લાગે છે. આ સંજોગોમાં આ એક એવો તહેવાર છે, જ્યારે દરેક વ્યક્તિ એકબીજા સાથે એવો સમય વિતાવે છે, જે તેમના મનને ખુશ અને આનંદિત કરી દે છે. આ સ્થિતિમાં મનમાં પ્રવર્તતા તણાવ, ચિંતા અને બેચેનીમાં ઘણી રાહત મળે છે.

હોળી રમવાથી આપણી માનસિક સ્થિતિને ઘણો ફાયદો પહોંચે છે

બેંગ્લોરની કલર થેરાપિસ્ટ કૃતિ એસ પણ કહે છે કે, હોળી પર રંગો રમવાથી આપણી માનસિક સ્થિતિને ઘણો ફાયદો થાય છે. સાથે જ વિવિધ રંગો આપણા મન અને શરીરને વિવિધ રીતે શારીરિક અને માનસિક લાભો પ્રદાન કરે છે. લાલ રંગની જેમ આપણા હૃદયના ધબકારા નિયમિત રાખવામાં અને શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ રાખવામાં ઘણી મદદ કરે છે, જ્યારે પીળા અને વાદળી રંગો આપણા મનને શાંત કરવામાં મદદ કરે છે, તેમજ મનને આનંદ અને ઉલ્લાસથી ભરવા સાથે પર્યાવરણને સુરક્ષિત બનાવે છે.

આ પણ વાંચો: Holi 2022: બોલિવૂડના આ 8 નવ પરિણીત યુગલો લગ્ન બાદ પહેલી હોળી આ રીતે ઉજવી રહ્યા છે

જાણો હોલિકા દહનમાં ગાયના છાણના છાણા અને ઘી શું કામ નખાય છે

આયુર્વેદિક ચિકિત્સક ડૉ. રાજેશ જણાવે છે કે, હોળીનો તહેવાર શિયાળા અને ઉનાળાની ઋતુમાં ઉજવવામાં આવે છે. આ તે સમય છે, જ્યારે ઘણા બેક્ટેરિયા અને પ્રદૂષણ વધારતા તત્વોને આપણા પર્યાવરણમાં આવાની તક મળે છે. જેની આપણા શરીર પર પણ ઘણી અસર થાય છે અને ચેપ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે. હોલિકા દહનના દિવસે હોળીનું દહન એ સત્યની જીતનો સંકેત આપે છે, પરંતુ ઘણા લોકો હોલિકા દહનમાં ગાયના છાણના થાણા અને ઘી નાખે છે. જેના કારણે, જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારે પર્યાવરણમાં રહેલા ઘણા બેક્ટેરિયા અને પ્રદૂષિત તત્વો ખતમ થઈ જાય છે.

અગાઉ હોળીના દિવસે આ વસ્તુ કરાતી હતી

રાજેશ જણાવે છે કે, અગાઉ હોળીના દિવસે ટેસુ અને ગુડહલના ફૂલો, મહેંદીનાં પાન, કેસર, ચંદન પાવડર અને હળદરથી બનેલા રંગોથી રંગો રમવામાં આવતા હતા. જે આપણી ત્વચા માટે જ નહી, પરંતુ આપણા વાળ અને આંખોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદમાં આજે પણ શરીરને તાજગી આપવા માટે આ તમામ ઘટકોમાંથી બનાવેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ આજકાલ બજારમાં ઘણા બધા કેમિકલયુક્ત અને કૃત્રિમ રંગો ઉપલબ્ધ છે, જે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં હોળી પર રંગોની પસંદગી ખૂબ વિચાર્યા પછી કરવી જરૂરી છે અને હોળી રમતી વખતે તમામ સાવચેતી રાખો. જો કે હવે કોરોનાની અસર ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ તેનો ખતરો સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આ સ્થિતિમાં, ઘરની બહાર નીકળતી વખતે અથવા સમૂહમાં હોળી રમતી વખતે કોરોના સંબંધિત તમામ જરૂરી સાવચેતી રાખવી પણ જરૂરી છે.

આ પણ વાંચો: Film Nayika Devi Poster Release: ગુજરાતની ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી'માં કોમેડિયન એક્ટરની ખ્યાતિ મેળવનાર ચંકી પાંડે આ અવતરમાં આવશે નજર

ખરેખર તો આપણા દેશમાં દરેક તહેવારો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ હોળીનું (Holi 2022) નામ સાંભળતા જ મોટાભાગના લોકોના ચહેરા પર અલગ જ સ્મિત આવી જાય છે. રંગબેરંગી ઝળહળતા ગુલાલ, પાણી ભરેલી પિચકારીઓ અને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ આ તહેવારના ઉત્સાહની રોનકને વધારે છે. આ સંજોગોમાં મોટાભાગના લોકો આ તહેવારની ઉજવણી કર્યા પછી શાંતિ અને ઉર્જાવાન મહેસુસ કરે (Holi Paly Benefits) છે. જેના માટે આ તહેવાર સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ અને મન પર રંગ ગુલાલની અસરને આભારી હોઈ શકે (How To play Holi safly) છે. શા માટે અને કેવી રીતે આ તહેવાર આપણા માનસિક સ્વાસ્થ્યને સુધારે છે, આપણા મનને શક્તિ આપે છે અને આપણા વિચારને સકારાત્મક બનાવે છે, તે જાણવા માટે ETV ભારતે નિષ્ણાતો સાથે ખાસ વાત કરી હતી.

તહેવાર ગમે તે હોય, તે આપણા મન પર સકારાત્મક અસર છોડે

હોળીનો તહેવાર સતત બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે છોટી હોળી ઉજવાય છે. સાથે જ આ દિવસે પૂજાની સાથે હોલિકા દહનનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ ફાગ અથવા રંગ સાથે હોળી ઉજવવામાં આવે છે. મનોચિકિત્સક ડો.રેણુકા શર્મા કહે છે કે, તહેવાર ગમે તે હોય, તે આપણા મન પર સકારાત્મક અસર છોડે છે. ખાસ કરીને હોળી અંગે વાત કરીએ તો, આ પ્રસંગે રમવામાં આવતા રંગો અને તેમની સુગંધ અને વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ આપણા સંવેદનાત્મક અંગોને અસર કરે છે, જેનાથી આપણને સારું લાગે છે. આ સંજોગોમાં આ એક એવો તહેવાર છે, જ્યારે દરેક વ્યક્તિ એકબીજા સાથે એવો સમય વિતાવે છે, જે તેમના મનને ખુશ અને આનંદિત કરી દે છે. આ સ્થિતિમાં મનમાં પ્રવર્તતા તણાવ, ચિંતા અને બેચેનીમાં ઘણી રાહત મળે છે.

હોળી રમવાથી આપણી માનસિક સ્થિતિને ઘણો ફાયદો પહોંચે છે

બેંગ્લોરની કલર થેરાપિસ્ટ કૃતિ એસ પણ કહે છે કે, હોળી પર રંગો રમવાથી આપણી માનસિક સ્થિતિને ઘણો ફાયદો થાય છે. સાથે જ વિવિધ રંગો આપણા મન અને શરીરને વિવિધ રીતે શારીરિક અને માનસિક લાભો પ્રદાન કરે છે. લાલ રંગની જેમ આપણા હૃદયના ધબકારા નિયમિત રાખવામાં અને શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ રાખવામાં ઘણી મદદ કરે છે, જ્યારે પીળા અને વાદળી રંગો આપણા મનને શાંત કરવામાં મદદ કરે છે, તેમજ મનને આનંદ અને ઉલ્લાસથી ભરવા સાથે પર્યાવરણને સુરક્ષિત બનાવે છે.

આ પણ વાંચો: Holi 2022: બોલિવૂડના આ 8 નવ પરિણીત યુગલો લગ્ન બાદ પહેલી હોળી આ રીતે ઉજવી રહ્યા છે

જાણો હોલિકા દહનમાં ગાયના છાણના છાણા અને ઘી શું કામ નખાય છે

આયુર્વેદિક ચિકિત્સક ડૉ. રાજેશ જણાવે છે કે, હોળીનો તહેવાર શિયાળા અને ઉનાળાની ઋતુમાં ઉજવવામાં આવે છે. આ તે સમય છે, જ્યારે ઘણા બેક્ટેરિયા અને પ્રદૂષણ વધારતા તત્વોને આપણા પર્યાવરણમાં આવાની તક મળે છે. જેની આપણા શરીર પર પણ ઘણી અસર થાય છે અને ચેપ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે. હોલિકા દહનના દિવસે હોળીનું દહન એ સત્યની જીતનો સંકેત આપે છે, પરંતુ ઘણા લોકો હોલિકા દહનમાં ગાયના છાણના થાણા અને ઘી નાખે છે. જેના કારણે, જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારે પર્યાવરણમાં રહેલા ઘણા બેક્ટેરિયા અને પ્રદૂષિત તત્વો ખતમ થઈ જાય છે.

અગાઉ હોળીના દિવસે આ વસ્તુ કરાતી હતી

રાજેશ જણાવે છે કે, અગાઉ હોળીના દિવસે ટેસુ અને ગુડહલના ફૂલો, મહેંદીનાં પાન, કેસર, ચંદન પાવડર અને હળદરથી બનેલા રંગોથી રંગો રમવામાં આવતા હતા. જે આપણી ત્વચા માટે જ નહી, પરંતુ આપણા વાળ અને આંખોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદમાં આજે પણ શરીરને તાજગી આપવા માટે આ તમામ ઘટકોમાંથી બનાવેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ આજકાલ બજારમાં ઘણા બધા કેમિકલયુક્ત અને કૃત્રિમ રંગો ઉપલબ્ધ છે, જે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં હોળી પર રંગોની પસંદગી ખૂબ વિચાર્યા પછી કરવી જરૂરી છે અને હોળી રમતી વખતે તમામ સાવચેતી રાખો. જો કે હવે કોરોનાની અસર ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ તેનો ખતરો સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આ સ્થિતિમાં, ઘરની બહાર નીકળતી વખતે અથવા સમૂહમાં હોળી રમતી વખતે કોરોના સંબંધિત તમામ જરૂરી સાવચેતી રાખવી પણ જરૂરી છે.

આ પણ વાંચો: Film Nayika Devi Poster Release: ગુજરાતની ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી'માં કોમેડિયન એક્ટરની ખ્યાતિ મેળવનાર ચંકી પાંડે આ અવતરમાં આવશે નજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.