ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી પરિવારના બાળકોને શિક્ષણ આપવા માટે અનેક સંસ્થાઓ અહીં કાર્ય કરે છે, પરંતુ એક પણ રૂપિયાની ફી લીધા વિના બાળકોને શિક્ષણ આપતી જો સંસ્થા હોય તો માનવ થાય ટ્રસ્ટ સંચાલિત ધરમપુર તાલુકામાં આવેલા કેળવણી ખટાણા બામટી આમ ત્રણ ગામોમાં અંદાજિત 300થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલની સ્થાપના તારીખ 9-6-2009ના રોજ કરવામાં આવી હતી, અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેમના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
શાળામાં બાળક ધોરણ 12 પાસ કરીને જ્યારે બહાર નીકળે છે, ત્યારે તે માત્ર શિક્ષણ જ લઈને નથી નીકળતો, પરંતુ તેની સાથે સાથે ખેતીવાડી, પ્લમ્બિંગ તેમજ વાયરીંગ જેવા ટેકનીકલ કામોને પણ શિક્ષણ અને પ્રશિક્ષણ આપી તેને પગભર થવા માટેનો માર્ગ મોકળો કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં જ્યાં લોકોને પોતાનું જીવન ગુજારવા માટે પણ આર્થિક તંગી પડતી હોય ત્યારે બાળકોને શિક્ષણ આપવા માટે તો પૈસા જ ક્યાંથી હોય ત્યારે આવા વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે અન્ય સંસ્થાઓ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છે.
મહત્વનું છે કે, શહેરી કક્ષાએ જ્યાં ખાનગી સ્કૂલોમાં બાળકોને અભ્યાસ કરવા માટે 15 થી 20 હજાર જેટલી ફી વાલીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. આ સ્કૂલોમાં એક પણ રૂપિયો ફી લીધા વિના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે શિક્ષણ એ પણ ગ્રામીણ કક્ષાએ આદિવાસી બાળકોને વિના મૂલ્ય આપવું તે આ સંસ્થાના ટ્રસ્ટીઓનો મુખ્ય હેતુ છે. જે ખાનગી સ્કૂલો શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે, તેના માટે આ સ્કૂલો એક ઉત્તમ ઉદાહરણ સમાન બની રહી છે.