ETV Bharat / state

કોંગ્રેસના 4 ધારાસભ્યને વલસાડના ખાનગી રિસોર્ટમાં લવાયા, જ્યારે વધુ 2 ધારાસભ્ય મોડી સાંજે પહોંચશે - કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ

રાજ્યસભાની ચૂંટણી આગામી તારીખ 19 જૂનના રોજ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષના કેટલાક ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. જો કે કોંગ્રેસ પક્ષે પોતાની સાત બચાવવા માટે તેમના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટની ગેમ શરૂ કરી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતના ચાર જેટલા ધારાસભ્યોને વલસાડ નજીક આવેલા એક રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે. જો કે એ પૂર્વે તેઓને પારડી ખાતે એક કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસમાં લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણસર હાલ આ સ્થાન બદલીને વલસાડના વશિયર ખાતે આવેલા એક રિસોર્ટમાં તેઓને લાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના ચાર ધારાસભ્ય વલસાડના એક ખાનગી રિસોર્ટમાં લાવવામાં આવ્યા જ્યારે વધુ 2 મોડી સાંજે પોહચશે
કોંગ્રેસના ચાર ધારાસભ્ય વલસાડના એક ખાનગી રિસોર્ટમાં લાવવામાં આવ્યા જ્યારે વધુ 2 મોડી સાંજે પોહચશે
author img

By

Published : Jun 8, 2020, 8:24 PM IST

વલસાડઃ રાજ્યસભાની ચૂંટણી આગામી તારીખ 19 જૂનના રોજ આવી રહી છે, જેને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પક્ષને તૂટતો બચાવવા માટે કોંગ્રેસના અગ્રણીઓ અને મોવડી મંડળ દ્વારા તેમના ધારાસભ્યો વધુ કોઈ રાજીનામા આપી દે તેવો ક્યાંકને ક્યાંક એમને ડર સતાવી રહ્યો છે અને આ ડરને દૂર કરવા માટે તેમણે તમામ ધારાસભ્યોને હાલ કોઈક ને કોઈક રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં એકસાથે ભેગા કર્યા છે. જેને લઇને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને પણ વલસાડ જિલ્લાના એક કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસ ઉપર લાવવાની તજવીજ રવિવારથી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના ચાર ધારાસભ્ય વલસાડના એક ખાનગી રિસોર્ટમાં લાવવામાં આવ્યા, જ્યારે વધુ 2 મોડી સાંજે પોહોચશે

પરંતુ કોંગ્રેસે હાલમાં તે સ્થળ પણ સમય ઉપર જ બદલી નાખ્યું છે અને કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસને બદલે આ તમામ ધારાસભ્યોને વલસાડના વશિયર ખાતે આવેલા એક ખાનગી રિસોર્ટમાં મોડી સાંજે લાવવામાં આવ્યા હતા, અહીં પહોંચેલા ધારાસભ્યોમાં પુનજી ગામીત, આનંદ ચૌધરી, પી.ડી વસાવા, અનંત પટેલને વલસાડ વશિયર ખાતે આવેલા ખાનગી રિસોર્ટમાં મોડી સાંજે પોતાના વાહનોમાં પહોંચ્યા હતા.

હવે આગામી દિવસમાં કોંગ્રેસ તેમની સાથે પોતાની રણનીતિ નક્કી કરશે તેવું જણાઈ રહ્યું છે, જો કે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ પક્ષને એક વાતની ચોક્કસપણે બીક છે કે તેઓના ધારાસભ્ય ક્યાંક રાજીનામું ના આપી દે.

વલસાડઃ રાજ્યસભાની ચૂંટણી આગામી તારીખ 19 જૂનના રોજ આવી રહી છે, જેને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પક્ષને તૂટતો બચાવવા માટે કોંગ્રેસના અગ્રણીઓ અને મોવડી મંડળ દ્વારા તેમના ધારાસભ્યો વધુ કોઈ રાજીનામા આપી દે તેવો ક્યાંકને ક્યાંક એમને ડર સતાવી રહ્યો છે અને આ ડરને દૂર કરવા માટે તેમણે તમામ ધારાસભ્યોને હાલ કોઈક ને કોઈક રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં એકસાથે ભેગા કર્યા છે. જેને લઇને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને પણ વલસાડ જિલ્લાના એક કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસ ઉપર લાવવાની તજવીજ રવિવારથી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના ચાર ધારાસભ્ય વલસાડના એક ખાનગી રિસોર્ટમાં લાવવામાં આવ્યા, જ્યારે વધુ 2 મોડી સાંજે પોહોચશે

પરંતુ કોંગ્રેસે હાલમાં તે સ્થળ પણ સમય ઉપર જ બદલી નાખ્યું છે અને કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસને બદલે આ તમામ ધારાસભ્યોને વલસાડના વશિયર ખાતે આવેલા એક ખાનગી રિસોર્ટમાં મોડી સાંજે લાવવામાં આવ્યા હતા, અહીં પહોંચેલા ધારાસભ્યોમાં પુનજી ગામીત, આનંદ ચૌધરી, પી.ડી વસાવા, અનંત પટેલને વલસાડ વશિયર ખાતે આવેલા ખાનગી રિસોર્ટમાં મોડી સાંજે પોતાના વાહનોમાં પહોંચ્યા હતા.

હવે આગામી દિવસમાં કોંગ્રેસ તેમની સાથે પોતાની રણનીતિ નક્કી કરશે તેવું જણાઈ રહ્યું છે, જો કે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ પક્ષને એક વાતની ચોક્કસપણે બીક છે કે તેઓના ધારાસભ્ય ક્યાંક રાજીનામું ના આપી દે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.