ETV Bharat / state

કપરાડા એસટી ડેપોમાં પીવાના પાણીની તંગી, મુસાફરોને મુશ્કેલી

author img

By

Published : May 17, 2019, 2:16 PM IST

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના એસટી બસમથકમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી છે. જેના કારણે અહીં આવનારા મુસાફરો માટે પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી રહી છે. પાણી માટે બનાવાયેલ પરબના નળ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યાં છે.

water

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા મુખ્યમથક ઉપર ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા બનાવવામાં આવેલા એસ.ટી. બસ મથકમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઇ છે. અહીં બનાવાયેલા પીવાના પાણીની પરબ પાસે ચાર નળો મૂકવામાં આવ્યા છે, પરંતુ એક પણ નળમાં પીવાનું પાણી આવતું નથી. કપરાડા એસટીબસમથકનો ઉપયોગ અહીં આસપાસના ૭૦ ગામોના લોકો વલસાડ-વાપી-નાસિક-ધરમપુર આવવા જવા માટે કરે છે.

વલસાડના કપરાડામાં આવેલા બસમથકમાં પીવાના પાણીની તંગી

કપરાડા મુખ્ય હોવાને કારણે આસપાસના તાલુકા અને ગામડાઓના આદિવાસી વિસ્તારના રહીશો તેમના બાળકોને અભ્યાસ કરવા માટે કપરાડાની કોલેજ અને સ્કૂલોમાં મોકલતા હોય છે. પરંતુ જાહેર જગ્યા જ્યાં પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે એ જ સ્થળ ઉપર પીવાનું પાણી જ ઉપલ્બ્ધ નથી. વળી, અત્રે શૌચાલયમાં પણ પાણીનો અભાવ છે, જેના કારણે મુસાફરી કરનારા અનેક મુસાફરો એમાં પણ ખાસ કરીને મહિલા મુસાફરોની સ્થિતિ દયનીય બની રહી છે.

બીજીતરફ એસટી બસમથકના કર્મચારીઓએ પોતાના બચાવમાં કહ્યું હતુ કે દરરોજ ટેન્કર મારફતે પાણી મંગાવવામાં આવે છે. આજે ટેન્કરને પંચર થયું હોવાના કારણે આવી શક્યુ નથી. ત્યારે અહીં મુસાફરોએ નામ ન જાહેર કરવાની અને કેમેરા વગર વાતચીતમાં જણાવ્યું કે અત્રે પાણીની સમસ્યા કાયમી થઈ ગઈ છે.

આ સમગ્ર બાબતે વલસાડ એસટી ડેપો ડીવીઝનલ મેનેજર એ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે તેઓના દ્વારા કપરાડા એસટી ડેપોમાં દરરોજ વૈકલ્પિક રીતે એક ટેન્કર દ્વારા પાણી લાવવામાં આવે છે અને એક ટેન્કરનો ખર્ચ એક હજાર રૂપિયા જેટલો થાય છે. આ મહિનાનો ખર્ચ 30 હજાર જેટલો પહોંચે છે. પરંતુ જ્યારે આ સમગ્ર હકીકત ચકાસી તો સ્થળ ઉપર પાણી જોવા મળ્યું ન હતું અને લોકોએ પીવાનું પાણી વેચાતું ખરીદવાની ફરજ પડી રહી હતી.

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા મુખ્યમથક ઉપર ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા બનાવવામાં આવેલા એસ.ટી. બસ મથકમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઇ છે. અહીં બનાવાયેલા પીવાના પાણીની પરબ પાસે ચાર નળો મૂકવામાં આવ્યા છે, પરંતુ એક પણ નળમાં પીવાનું પાણી આવતું નથી. કપરાડા એસટીબસમથકનો ઉપયોગ અહીં આસપાસના ૭૦ ગામોના લોકો વલસાડ-વાપી-નાસિક-ધરમપુર આવવા જવા માટે કરે છે.

વલસાડના કપરાડામાં આવેલા બસમથકમાં પીવાના પાણીની તંગી

કપરાડા મુખ્ય હોવાને કારણે આસપાસના તાલુકા અને ગામડાઓના આદિવાસી વિસ્તારના રહીશો તેમના બાળકોને અભ્યાસ કરવા માટે કપરાડાની કોલેજ અને સ્કૂલોમાં મોકલતા હોય છે. પરંતુ જાહેર જગ્યા જ્યાં પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે એ જ સ્થળ ઉપર પીવાનું પાણી જ ઉપલ્બ્ધ નથી. વળી, અત્રે શૌચાલયમાં પણ પાણીનો અભાવ છે, જેના કારણે મુસાફરી કરનારા અનેક મુસાફરો એમાં પણ ખાસ કરીને મહિલા મુસાફરોની સ્થિતિ દયનીય બની રહી છે.

બીજીતરફ એસટી બસમથકના કર્મચારીઓએ પોતાના બચાવમાં કહ્યું હતુ કે દરરોજ ટેન્કર મારફતે પાણી મંગાવવામાં આવે છે. આજે ટેન્કરને પંચર થયું હોવાના કારણે આવી શક્યુ નથી. ત્યારે અહીં મુસાફરોએ નામ ન જાહેર કરવાની અને કેમેરા વગર વાતચીતમાં જણાવ્યું કે અત્રે પાણીની સમસ્યા કાયમી થઈ ગઈ છે.

આ સમગ્ર બાબતે વલસાડ એસટી ડેપો ડીવીઝનલ મેનેજર એ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે તેઓના દ્વારા કપરાડા એસટી ડેપોમાં દરરોજ વૈકલ્પિક રીતે એક ટેન્કર દ્વારા પાણી લાવવામાં આવે છે અને એક ટેન્કરનો ખર્ચ એક હજાર રૂપિયા જેટલો થાય છે. આ મહિનાનો ખર્ચ 30 હજાર જેટલો પહોંચે છે. પરંતુ જ્યારે આ સમગ્ર હકીકત ચકાસી તો સ્થળ ઉપર પાણી જોવા મળ્યું ન હતું અને લોકોએ પીવાનું પાણી વેચાતું ખરીદવાની ફરજ પડી રહી હતી.

Intro:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કપરાડા મુખ્ય મથક એ આવેલું એસટી ડેપોમાં છેલ્લા કેટલાક સમયથી અહીં આવનારા મુસાફરો માટે પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી રહી છે અહીં આગળ બનાવવામાં આવેલી પાણીની પરબ ના નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે એસ.ટી.ડેપોના સૂત્રોનું કહેવું છે કે તેઓના દ્વારા ટેન્કર મારફતે એ દરરોજ એક ટેન્કર પાણી અહીં લાવવામાં આવે છે પરંતુ ઈટીવી ની ટીમે જ્યારે રિયાલિટી ચેક કરી તો અહીં એક ટીપું પણ પાણી જડ્યું નહીં


Body:વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા મુખ્ય મથક ઉપર ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા બનાવવામાં આવેલા એસ.ટી.ડેપોમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઇ છે અહીં આગળ બનાવવામાં આવેલી પીવાના પાણીની પરબ ચાર નળો મૂકવામાં આવ્યા છે પરંતુ એક પણ નળમાં પીવાનું પાણી આવતું નથી કપરાડા એસટી ડેપો નો ઉપયોગ અહીંના આસપાસના ૭૦ ગામોના લોકો વલસાડ વાપી નાસિક ધરમપુર આવવા જવા માટે કરતા હોય છે તો કપરાડા મુખ્ય હોવાને કારણે આદિવાસી વિસ્તારના રહીશો તેમના બાળકોને અભ્યાસ કરવા માટે અહીં આગળ કોલેજ અને સ્કૂલોમાં મોકલતા હોય છે પરંતુ જાહેર જગ્યા જ્યાં પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે એ જ સ્થળ ઉપર મહત્વનું ગણી શકાય એવું પીવાનું પાણી જ ઉપલબ્ધ નથી તો અહીં આવેલા શૌચાલયમાં પણ પાણીનો અભાવ છે જેના કારણે મુસાફરી કરનારા અનેક મુસાફરો એમાં પણ ખાસ કરીને મહિલા મુસાફરોની સ્થિતિ દયનીય બની રહી છે જોકે આ સમગ્ર રિયાલિટી ચેક કરવા દરમિયાન ડેપો સૂત્રના એક કર્મચારીએ પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું કે તેઓના દ્વારા દરરોજ અહીં એક ટેન્કર વડે પાણી નાખવામાં આવે છે પરંતુ આજે ટેન્કર નું પંચર થઈ ગયું હોય તે પાણી નાખવા આવી શક્યો નથી તો મુસાફરોએ કેમેરાની સામે ન આવી જણાવ્યું કે કપરાડા એસટી ડેપોમાં દરરોજ જ પાણીની તકલીફ રહે છે


Conclusion:તો બીજી તરફ આ સમગ્ર બાબતે વલસાડ એસટી ડેપો ના ડીવીઝનલ મેનેજર એ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે તેઓના દ્વારા કપરાડા એસટી ડેપોમાં દરરોજ વૈકલ્પિક રીતે એક ટેન્કર દ્વારા પાણી લાવવામાં આવે છે અને એક ટેન્કર નો ખર્ચ એક હજાર રૂપિયા જેટલો થાય છે આ મહિનાનો ખર્ચ 30 હજાર જેટલો પહોંચે છે પરંતુ જ્યારે આ સમગ્ર હકીકત ચકાસી તો સ્થળ ઉપર પાણી જોવા મળ્યું ન હતું અને લોકોએ પીવાનું પાણી વેચાતું ખરીદવાની ફરજ પડી રહી હતી આમ જાહેર જગ્યા ઉપર જ્યાં પીવાના પાણીની પ્રાથમિકતા હોય છે ત્યાં જ પાણીની મુશ્કેલી સર્જાઈ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.