ETV Bharat / state

#CycloneNisarga: વલસાડના 35 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

author img

By

Published : Jun 2, 2020, 8:10 AM IST

વલસાડ પર તોળાઈ રહેલા નિસર્ગ વાવાઝોડાના સંકટને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. આજે વલસાડ જિલ્લા DDO મામલતદાર, TDO, SP સહિતના અધિકારીઓએ કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી.

#cyclonenisarg
વલસાડના 35 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

વલસાડઃ જિલ્લા પર નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેની સતર્કતાના ભાગ રૂપે આજે વલસાડ જિલ્લા DDO, મામલતદાર, TDO, SP સહિતના અધિકારીઓએ કાંઠા વિસ્તારના ગામની મુલાકાતે પહોંચી 35 જેટલા ગામોને એલર્ટ કર્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ નામનું વાવાઝોડું આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતને ઘમરોળી શકે છે.

વલસાડના 35 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

જોકે આ આગાહીને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ મિટિંગ કર્યા બાદ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 35 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓએ કાંઠા વિસ્તારના 35 જેટલા ગામોના લોકો સાથે એક મિટિંગ કરી હતી અને તમામ લોકોને આ વાવાઝોડા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. આ સાથે જ સરપંચ, તલાટી તેમજ વહીવટી તંત્રના તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર જો વાવાઝોડાની અસરને પગલે કોઇ ગામમાં વધુ નુકસાન થવાની દહેશત જણાશે તો આવા ગામના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે.

આગામી દિવસમાં આવી રહેલા આ નિસર્ગના વાવાઝોડાને લઈને આજે વહીવટીતંત્રે કાંઠા વિસ્તારના માછીમારો, ગ્રામજનો અને સરપંચ સાથે એક વિશેષ બેઠકનું આયોજન પણ કર્યું હતું. વાવાઝોડું દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડની સરહદમાં પહોંચે તે પૂર્વે વહીવટીતંત્ર દ્વારા તેના નુકસાનને પહોંચી વળવા માટે સમગ્ર રીતે વહીવટીતંત્ર સજ્જ બને તે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, વલસાડ તાલુકાના 18 ગામ પારડી 4 તાલુકાના ગામો અને ઉમરગામ ના 13 ગામનોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે. દરેક ગામોમાં કાચા ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જરૂર જણાશે તો આવા ઘરના લોકોને અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવશે.

વલસાડઃ જિલ્લા પર નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેની સતર્કતાના ભાગ રૂપે આજે વલસાડ જિલ્લા DDO, મામલતદાર, TDO, SP સહિતના અધિકારીઓએ કાંઠા વિસ્તારના ગામની મુલાકાતે પહોંચી 35 જેટલા ગામોને એલર્ટ કર્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ નામનું વાવાઝોડું આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતને ઘમરોળી શકે છે.

વલસાડના 35 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

જોકે આ આગાહીને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ મિટિંગ કર્યા બાદ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 35 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓએ કાંઠા વિસ્તારના 35 જેટલા ગામોના લોકો સાથે એક મિટિંગ કરી હતી અને તમામ લોકોને આ વાવાઝોડા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. આ સાથે જ સરપંચ, તલાટી તેમજ વહીવટી તંત્રના તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર જો વાવાઝોડાની અસરને પગલે કોઇ ગામમાં વધુ નુકસાન થવાની દહેશત જણાશે તો આવા ગામના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે.

આગામી દિવસમાં આવી રહેલા આ નિસર્ગના વાવાઝોડાને લઈને આજે વહીવટીતંત્રે કાંઠા વિસ્તારના માછીમારો, ગ્રામજનો અને સરપંચ સાથે એક વિશેષ બેઠકનું આયોજન પણ કર્યું હતું. વાવાઝોડું દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડની સરહદમાં પહોંચે તે પૂર્વે વહીવટીતંત્ર દ્વારા તેના નુકસાનને પહોંચી વળવા માટે સમગ્ર રીતે વહીવટીતંત્ર સજ્જ બને તે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, વલસાડ તાલુકાના 18 ગામ પારડી 4 તાલુકાના ગામો અને ઉમરગામ ના 13 ગામનોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે. દરેક ગામોમાં કાચા ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જરૂર જણાશે તો આવા ઘરના લોકોને અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.