ETV Bharat / state

વાપીમાં પંચતત્વના પ્રતીક રૂપે કળશ પૂજા સાથે યોજાય છે નવદુર્ગા મહોત્સવ - નવદુર્ગા ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન

વાપીઃ માં આદ્યાશક્તિની આરાધનના કરવાનો પર્વ એટલે નવરાત્રી. આ પર્વ દરમિયાન ગુજરાતમાં રાસ-ગરબાની રમઝટ બોલે છે. આ સાથે જ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પણ માં દુર્ગા કે અંબા માની પ્રતિમાની સ્થાપના કરીને દરરોજ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે વાપીમાં પણ નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. આ નવદુર્ગા પૂજા દરમિયાન 151 મહિલાઓ દ્વારા કળશયાત્રા યોજીને તે કળશની દુર્ગા માતા સમક્ષ સ્થાપના કરવામાં આવે છે. દરરોજ પંચતત્વના પ્રતિકરૂપે 21 કળશ યાત્રીઓના હસ્તે માતાજીની આરાધના અને પૂજા કરવામાં આવે છે. આ પૂજા નિઃશુલ્ક કરવામાં આવે છે.

વાપીમાં પંચતત્વના પ્રતીક રૂપે કળશ પૂજા સાથે યોજાય છે નવદુર્ગા મહોત્સવ
author img

By

Published : Sep 29, 2019, 6:55 PM IST

આ પર્વ નિમિતે વાપીમાં વસતા ઉત્તર ભારતીયો પણ માં દુર્ગાની પૂજા-અર્ચના કરી નવરાત્રીનો પર્વ ઉજવે છે. વાપીમાં દર વર્ષે નવદુર્ગા ટ્રસ્ટ દ્વારા દમણગંગા નદીમાંથી જળ ભરીને પરત દુર્ગા મહોત્સવના પંડાલમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે તમામ ઉપવાસ રાખે છે અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરે છે.

વાપીમાં પંચતત્વના પ્રતીક રૂપે કળશ પૂજા સાથે યોજાય છે નવદુર્ગા મહોત્સવ

નવલી નવરાત્રીના નવ દિવસોમાં માતાજીની આરાધનામાં દરેક લોકો ભક્તિમય બની જાય છે અને અંતિમ દિવસ એટલે કે દશેરાના દિવસે માતાજીનો હોમ હવન કરીને દુર્ગા માતાજીની પ્રતિમાને વિસર્જીત કરે છે. નવરાત્રી દરમિયાન કાર્યક્રમનો ખર્ચ નવદુર્ગા ટ્રસ્ટ કરે છે. જો કે, કેટલાક માઇ ભક્તો ખુશીથી પોતાની ઇચ્છા શક્તિ મુજબનું દાન આપીને પોતાનું ઋણ પણ ઉતારે છે.

આ પર્વ નિમિતે વાપીમાં વસતા ઉત્તર ભારતીયો પણ માં દુર્ગાની પૂજા-અર્ચના કરી નવરાત્રીનો પર્વ ઉજવે છે. વાપીમાં દર વર્ષે નવદુર્ગા ટ્રસ્ટ દ્વારા દમણગંગા નદીમાંથી જળ ભરીને પરત દુર્ગા મહોત્સવના પંડાલમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે તમામ ઉપવાસ રાખે છે અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરે છે.

વાપીમાં પંચતત્વના પ્રતીક રૂપે કળશ પૂજા સાથે યોજાય છે નવદુર્ગા મહોત્સવ

નવલી નવરાત્રીના નવ દિવસોમાં માતાજીની આરાધનામાં દરેક લોકો ભક્તિમય બની જાય છે અને અંતિમ દિવસ એટલે કે દશેરાના દિવસે માતાજીનો હોમ હવન કરીને દુર્ગા માતાજીની પ્રતિમાને વિસર્જીત કરે છે. નવરાત્રી દરમિયાન કાર્યક્રમનો ખર્ચ નવદુર્ગા ટ્રસ્ટ કરે છે. જો કે, કેટલાક માઇ ભક્તો ખુશીથી પોતાની ઇચ્છા શક્તિ મુજબનું દાન આપીને પોતાનું ઋણ પણ ઉતારે છે.

Intro:story approved by assignment desk

વાપી :- વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં છેલ્લા 9 વર્ષથી નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ નવદુર્ગા પૂજા દરમ્યાન 151 મહિલાઓ દ્વારા કળશયાત્રા યોજી તે કળશની દુર્ગા માતા સમક્ષ સ્થાપના કરી દરરોજ પંચતત્વના પ્રતીકરૂપે 21 કળશ યાત્રીઓના હસ્તે માતાજીની આરાધના અને પૂજા કરવામાં આવે છે. આ પૂજા નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવે છે.


Body:આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, આ પર્વ દરમ્યાન ગુજરાતમાં રાસ ગરબાની રમઝટ બોલે છે. તો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં માં દુર્ગાની કે અંબામાતાની પ્રતિમાની સ્થાપના કરી દરરોજ પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રી એટલે નવશક્તિઓનું ધર્મરક્ષા કાજે પૃથ્વી પર અવતરણ કરી રાક્ષસોના સંહાર કરનાર માતાજીની શક્તિ આરાધનાના દિવસો, આ દિવસોમાં કુલ નવ અલગ અલગ માતાજીની આરાધના કરવામાં આવે છે.

આ પર્વ નિમિત્તે વાપીમાં વસતા ઉત્તરભારતીયો પણ માં દુર્ગાની પૂજા અર્ચના કરી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે. વાપીમાં છેલ્લા 9 વર્ષથી નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન દરમ્યાન દર વર્ષે ખાસ 151 મહિલાઓને કળશ આપી દરરોજ 21 કળશ ધારી મહિલાના હસ્તે પૂજા કરવામાં આવે છે. આ અંગે ટ્રસ્ટના આયોજક અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે, આ પર્વ નિમિત્તે પ્રથમ દિવસે 151 માતાઓ દ્વારા કળશ યાત્રાનું વાજતેગાજતે આયોજન કરવામાં આવે છે. જેઓ નજીકના લવાછા મહાદેવ મંદિરે દમણગંગા નદીમાંથી જળ ભરી પરત દુર્ગા મહોત્સના પંડાલમાં આવી કળશની સ્થાપના કરે છે. જે બાદ દરરોજ આ કળશની કળશ ધારીઓના હસ્તે પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમામ ઉપવાસ રાખે છે. અને ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરે છે. કળશની પૂજા કરવાનું કારણ જણાવતા અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે, આપણું શરીર પંચતત્વોનું બનેલ છે. પૃથ્વી પર પણ પંચતત્વનું મહત્વ છે. જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશના પ્રતીક રૂપે આ કળશ પૂજા કરવામાં આવે છે. અંતિમ દિવસ દશેરાના દિવસે માતાજીનો હોમ હવન કરી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.


Conclusion:ઉલ્લેખનીય છે કે, દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ 151 કળશ ધારી માતાઓના હસ્તે તેમના પરિવાર ની સુખ શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. આ દરમ્યાન કળશ થી માંડીને તમામ પૂજાની સામગ્રી નો ખર્ચ ટ્રસ્ટ પોતે કરે છે. અને તમામને નિઃશુલ્ક પૂજા કરાવે છે. જો કે કેટલાક માઇભક્તો ખુશીખુશી પોતાની ઈચ્છા મુજબનું દાન આપી પોતાનું ઋણ પણ ઉતારે છે.

bite :- અનુગ્રહ સિંઘણીયા, દુર્ગા મહોત્સવ આયોજક, નવદુર્ગા સેવા ટ્રસ્ટ, વાપી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.