ETV Bharat / state

કપરાડાના કવાલ ગામે ગરબાની 70 વર્ષ જૂની પરંપરા યથાવત

author img

By

Published : Oct 14, 2019, 2:28 PM IST

વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના કવાલ ગામને લોકો શિક્ષકોના ગામથી ઓળખે છે. આ ગામમાં 30થી વધુ મકાનો છે. કવાલ ગામમાં એક પણ ધર એવું નહી હોય જે ઘરમાંથી એક કે, બે શિક્ષકના હોય, કવાલ ગામમાં આજે પણ પેટ્રોમેક્સ, રતનજ્યોતના છોડનો મશાલ તરીકે ઉપયોગ કરી તેના અજવાળે ગરબે રમે છે.

valsad

વર્ષો પહેલા જ્યારે વિજળી ન હતી ત્યારે, વડીલો પેટ્રોમેક્સનો ઉપયોગ કરીને ગરબાનું આયોજન કરતા સાથે રતન જ્યોતના છોડનો ઉપયોગ દીવા અને મશાલ તરીકે કરતા અને એના પ્રકાશમાં ગરબાનું આયોજન થતું હતું. હવે આધુનિકતા પ્રમાણે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગામના લોકો ગરબાની રમઝટ બોલાવે છે.

કપરાડાના કવાલ ગામે ગરબાની 70 વર્ષ જૂની પરંપરા યથાવત

કવાલ ગામના અગ્રણી બાબુ પટેલ જે નિવૃત શિક્ષક છે. તેમણે કહ્યું હતુ કે, જિલ્લામાં કદાચ કવાલ ગામ જ એવું હશે. જ્યાં દરેક ઘરે તમને શિક્ષકો જોવા મળશે. લોકોએ વર્ષો જૂની પ્રથાઓ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષો પહેલા જ્યારે વિજળી ન હતી ત્યારે, વડીલો પેટ્રોમેક્સનો ઉપયોગ કરીને ગરબાનું આયોજન કરતા સાથે રતન જ્યોતના છોડનો ઉપયોગ દીવા અને મશાલ તરીકે કરતા અને એના પ્રકાશમાં ગરબાનું આયોજન થતું હતું. હવે આધુનિકતા પ્રમાણે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગામના લોકો ગરબાની રમઝટ બોલાવે છે.

કપરાડાના કવાલ ગામે ગરબાની 70 વર્ષ જૂની પરંપરા યથાવત

કવાલ ગામના અગ્રણી બાબુ પટેલ જે નિવૃત શિક્ષક છે. તેમણે કહ્યું હતુ કે, જિલ્લામાં કદાચ કવાલ ગામ જ એવું હશે. જ્યાં દરેક ઘરે તમને શિક્ષકો જોવા મળશે. લોકોએ વર્ષો જૂની પ્રથાઓ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:વલસાડ જિલ્લા નું એક એવું ગામ જ્યાં એક પણ ઘર એવું નહીં હોય કે ઘર માં એક કે બે વ્યક્તિ શિક્ષક કે શિક્ષિકા ના હોય સમૃદ્ધ અને શિક્ષિત ગામ હોવા છતાં તેમના વડીલો દ્વારા છેલ્લા 60 વર્ષ ઉપરાંત થી જે પરંપરા અનુસાર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાય છે તેને અનુલક્ષી શરદ પૂનમ ના ડીને પણ આ ગામ માં ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું Body:કપરાડા તાલુકાના મોટાપોઢા નજીકમાં આવેલ કવાલ ગામ માં અંદાજિત 30 થી વધુ ઘરો આવેલા છે આ ગામ ને લોકો શિક્ષકો ના ગામ તરીકે ઓળખે છે કારણ કે આ ગામ નું એક પણ ઘર એવું નહિ હોય કે જે ઘર માં થી એક કે બે વ્યક્તિ પ્રાથમિક કે ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકો ના હોય વળી એટલું શિક્ષિત ગામ હોવા છતાં પણ..છેલ્લા 60 વર્ષ થી ગામમાં આવેલા મહાદેવજી ના મંદિર ના પટાંગણ માં ગરબા ની રમઝટ જામે છે જોકે વર્ષો પહેલા વડીલો જ્યારે વીજળી નોહતી ત્યારે પેટ્રોમેક્સ નો ઉપયોગ કરી ને ગરબા નું આયોજન કરતા સાથે સાથે રતન જ્યોતના છોડ નો ઉપયોગ દિવા અને મશાલ તરીકે કરતા અને એના પ્રકાશ માં ગરબા નું આયોજન થતું પરંતુ હવે જેમ સમય બદલાયો છે એમ યુવાનો સાથે અહીં ગરબા નું સ્વરૂપ પણ બદલાયું છે આજે ગરબા ની કેસેટ ઉપર અહીં ગરબા રમાય છે પણ આ ગરબા માં ગામના શિક્ષકો શિક્ષિકા ઓ યુવાનો દરેક ગરબા માં માતાજીની આરાધના કરે છે Conclusion:ગામના અગ્રણી બાબુ ભાઈ પટેલ જેઓ નિવૃત શિક્ષક છે તેમણે કહ્યું કે જિલ્લા માં કદાચ કવાલ ગામ જ એવું હશે જ્યાં દરેક ઘરે તમને શિક્ષકો જોવા મળશે સાથે સાથે તેમણે વર્ષો જૂની પ્રથા ઓ અને સંસ્કાર જાળવી રાખ્યા છે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમા એ ગરબા નું આયોજન થયું અને તમામ શિક્ષકો ગ્રામજનો એ દૂધ પૌહા નો પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો

બાઈટ 1 બાબુ ભાઈ (નિવૃત શિક્ષક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.