ETV Bharat / state

વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા

author img

By

Published : May 7, 2020, 3:10 PM IST

વાપીના બલીઠા ગામે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી મામલતદાર કચેરી ખાતે પરપ્રાંતીયો મોટી સંખ્યામાં ફોર્મ લેવા અને જમા કરાવવા આવી રહ્યા છે. જેમાં છેલ્લા 2 દિવસની જો વાત કરવામાં આવે તો વતન વાપસી માટે અંદાજિત 5000 ફોર્મનું વિતરણ થયું છે. જ્યારે 2000 જેટલા ફોર્મ લોકોએ જમા કર્યા છે. હવે રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામદારોને વતન જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા
વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા

વાપી : લોકડાઉનના ત્રીજા ચરણમાં સમગ્ર દેશના પરપ્રાંતીયોનો વતન વાપસી માટેનો ઉચાટ વધ્યો છે. વાપી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા હજારો કર્મચારીઓ પણ વતન જવા અધીરા થયા છે. જે માટે વાપીમાં મામલતદાર કચેરીમાં ઘણા પરપ્રાંતીયો 2 દિવસથી ફોર્મ મેળવવા તેમજ તેને ભરીને પરત જમા કરાવવા આવી રહ્યા છે.

વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા
આ સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં કચેરીના મુખ્ય ગેટને બંધ કરી ગેટ પર જ ફોર્મ વિતરણ અને ફોર્મ જમા લેવા માટે બે કેબીન બનાવવામાં આવી છે. એક સાથે હજારોથી વધુ લોકોની ભીડ જોઈ વાપી મામલતદાર દ્વારા પોલીસની મદદ લઇ ફોર્મ વિતરણ અને ફોર્મ પરત લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ પરસેવે રેબઝેબ થઇને પણ લાઇનમાં ઉભા રહી ફોર્મ મેળવવા પડાપડી કરી હતી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ પરસેવે રેબઝેબ થઇને પણ લાઇનમાં ઉભા રહી ફોર્મ મેળવવા પડાપડી કરી હતી
જેમાં પ્રથમ દિવસે 1100 પરપ્રાંતીયો વતન જવા માટે ફોર્મ લઇ ગયા હતા. જ્યારે બીજા દિવસે બે હજારથી વધુ લોકો ફોર્મ લઇ ગયા હતા. આ તકે મામલતદાર કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું.
રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામદારોને વતન જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામદારોને વતન જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ પરસેવે રેબઝેબ થઇને પણ લાઇનમાં ઉભા રહી ફોર્મ મેળવવા પડાપડી કરી હતી. બુધવારે 1250 અરજીઓ વધુ આવી છે અને બે દિવસમાં લગભગ 5000થી વધુ વતન જવા માટેના ફોર્મની વહેંચણી થઈ છે. આગામી દિવસમાં આ તમામ પરપ્રાંતીયોને ટ્રેન, બસ અને ખાનગી વાહન મારફતે તેમના વતન જવા માટેની પ્રક્રિયા ગુજરાત સરકારની સૂચના હેઠળ શરૂ કરવામાં આવશે.

વાપી : લોકડાઉનના ત્રીજા ચરણમાં સમગ્ર દેશના પરપ્રાંતીયોનો વતન વાપસી માટેનો ઉચાટ વધ્યો છે. વાપી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા હજારો કર્મચારીઓ પણ વતન જવા અધીરા થયા છે. જે માટે વાપીમાં મામલતદાર કચેરીમાં ઘણા પરપ્રાંતીયો 2 દિવસથી ફોર્મ મેળવવા તેમજ તેને ભરીને પરત જમા કરાવવા આવી રહ્યા છે.

વાપીમાં ફક્ત 2 દિવસમાં વતન વાપસી માટે 5000 ફોર્મ વહેંચાયા
આ સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં કચેરીના મુખ્ય ગેટને બંધ કરી ગેટ પર જ ફોર્મ વિતરણ અને ફોર્મ જમા લેવા માટે બે કેબીન બનાવવામાં આવી છે. એક સાથે હજારોથી વધુ લોકોની ભીડ જોઈ વાપી મામલતદાર દ્વારા પોલીસની મદદ લઇ ફોર્મ વિતરણ અને ફોર્મ પરત લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ પરસેવે રેબઝેબ થઇને પણ લાઇનમાં ઉભા રહી ફોર્મ મેળવવા પડાપડી કરી હતી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ પરસેવે રેબઝેબ થઇને પણ લાઇનમાં ઉભા રહી ફોર્મ મેળવવા પડાપડી કરી હતી
જેમાં પ્રથમ દિવસે 1100 પરપ્રાંતીયો વતન જવા માટે ફોર્મ લઇ ગયા હતા. જ્યારે બીજા દિવસે બે હજારથી વધુ લોકો ફોર્મ લઇ ગયા હતા. આ તકે મામલતદાર કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું.
રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામદારોને વતન જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામદારોને વતન જવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ પરસેવે રેબઝેબ થઇને પણ લાઇનમાં ઉભા રહી ફોર્મ મેળવવા પડાપડી કરી હતી. બુધવારે 1250 અરજીઓ વધુ આવી છે અને બે દિવસમાં લગભગ 5000થી વધુ વતન જવા માટેના ફોર્મની વહેંચણી થઈ છે. આગામી દિવસમાં આ તમામ પરપ્રાંતીયોને ટ્રેન, બસ અને ખાનગી વાહન મારફતે તેમના વતન જવા માટેની પ્રક્રિયા ગુજરાત સરકારની સૂચના હેઠળ શરૂ કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.