ETV Bharat / state

ટ્વિટ વિવાદમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Aug 9, 2019, 6:47 PM IST

વાપી: શહેરની મામલતદાર કચેરી ખાતે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં વાપીનાં આંબેડકરવાદી સમાજ અને લઘુમતી સમાજના આગેવાનોએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મોટી સંખ્યામાં લઘુમતિ સમાજના પ્રતિનિધિઓ હાજક રહ્યા હતાં.

etv bharat vapi

વાપી મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપર ટ્વિટ બાબતે વલસાડની RMVM સ્કૂલના પ્રિન્સિપાલે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં જીજ્ઞેશ મેવાણીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ પણ વલસાડ SOGના અધિકારી તરફથી વારંવાર વાપી-વલસાડમાં હાજરી લગાવવા તથા જામીન દેવા જેવી સામાન્ય બાબતે પરેશાન કરવામાં આવે છે.

ટ્વિટ વિવાદમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર
ટ્વિટ વિવાદમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રિમાન્ડની માંગણી પણ કરી હતી, પરંતુ જીજ્ઞેશ મેવાણીના વકીલ અજય શેખ અને વકીલની ટીમની દલીલના કારણે જીજ્ઞેશ મેવાણીના રિમાન્ડ ના મંજૂર થયા છે. છતાં કોઈ ષડ્યંત્રના ભાગરૂપે વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ તરફથી પોલીસ અધિકારનો દુરુપયોગ રોકવા અને તેની પાછળ જે માસ્ટરમાઈન્ડ છે. તેને પકડવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. મામલતદાર વાપીને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.

આવેદનપત્ર આપવા આવેલા પ્રતિનિધિ મંડળમાં ભીમરાવ કટકે, રવિ સુરવાડી, હસુ પટેલ, સલીમ સોલંકી, હનીફ અજમેરી, છગન પટેલ, અશોકરાવ ગાયકવાડ સહિતના આંબેડકર વાદીઓ અને લઘુમતિ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વાપી મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉપર ટ્વિટ બાબતે વલસાડની RMVM સ્કૂલના પ્રિન્સિપાલે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં જીજ્ઞેશ મેવાણીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ પણ વલસાડ SOGના અધિકારી તરફથી વારંવાર વાપી-વલસાડમાં હાજરી લગાવવા તથા જામીન દેવા જેવી સામાન્ય બાબતે પરેશાન કરવામાં આવે છે.

ટ્વિટ વિવાદમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર
ટ્વિટ વિવાદમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રિમાન્ડની માંગણી પણ કરી હતી, પરંતુ જીજ્ઞેશ મેવાણીના વકીલ અજય શેખ અને વકીલની ટીમની દલીલના કારણે જીજ્ઞેશ મેવાણીના રિમાન્ડ ના મંજૂર થયા છે. છતાં કોઈ ષડ્યંત્રના ભાગરૂપે વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ તરફથી પોલીસ અધિકારનો દુરુપયોગ રોકવા અને તેની પાછળ જે માસ્ટરમાઈન્ડ છે. તેને પકડવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. મામલતદાર વાપીને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.

આવેદનપત્ર આપવા આવેલા પ્રતિનિધિ મંડળમાં ભીમરાવ કટકે, રવિ સુરવાડી, હસુ પટેલ, સલીમ સોલંકી, હનીફ અજમેરી, છગન પટેલ, અશોકરાવ ગાયકવાડ સહિતના આંબેડકર વાદીઓ અને લઘુમતિ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:વાપી :- 9 ઓગસ્ટ શુક્રવારના વાપી મામલતદાર કચેરી ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં વાપીનાં આંબેડકરવાદી સમાજ અને લઘુમતી સમાજના આગેવાનોએ  આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.


Body:વાપી મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે,  ગુજરાત વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ઉપર ટ્વીટ બાબતે વલસાડની RMVM સ્કૂલના પ્રિન્સિપાલે કેસ દાખલ કર્યો છે. જે કેસમાં જીગ્નેશભાઈ મેવાણીના હાઈકોર્ટે જામીન મંજૂર થયા કર્યા બાદ પણ વલસાડ SOGના અધિકારી તરફથી વારંવાર વાપી-વલસાડમાં હાજરી લગાવવા તથા જામીન દેવા જેવી  સામાન્ય બાબતે વારંવાર હેરાન પરેશાન કરવામાં આવે છે. 


આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રિમાન્ડની માગણી પણ કરી હતી. પરંતુ, જીગ્નેશભાઈ મેવાણીના વકીલ અજયભાઈ શેખ તથા બાકી વકીલની ટીમની દલીલના કારણે જીગ્નેશભાઈના રિમાન્ડ નામંજૂર થયા છે. છતાં કોઈ ષડ્યંત્રના ભાગરૂપે વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ તરફથી પોલીસ અધિકારનો દુરુપયોગ રોકવા અને આની પાછળ જે માસ્ટરમાઈન્ડ છે. તેને પકડવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. અને મામલતદાર વાપીને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.

Conclusion:આવેદનપત્ર આપવા આવેલા પ્રતિનિધિ મંડળમાં  ભીમરાવ કટકે, રવિ સુરવાડી, હસુ પટેલ,  સલીમ સોલંકી, હનીફ અજમેરી, છગન પટેલ, અશોકરાવ ગાયકવાડ સહિતના આંબેડકર વાદીઓ અને લઘુમતિ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.