વલસાડઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધુ પડતા કેસ સામે આવ્યા બાદ અને રવિવારે દેશમાં લાગુ કરવામાં આવેલા જનતા કરફ્યુને લઈને ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર હાલ ચેકિંગની કામગીરી ચાલી રહી છે. ભિલાડ બોર્ડર પર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ગુજરાતમાં આવતા અને મહારાષ્ટ્રમાં જતા વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કેટલાક વાહનચાલકો ટીમને સહયોગ નહીં આપતા હોવાનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જણાવાયું છે.
![કોરોનાના વાવરને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર સઘન ચેકીંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-live-corona-bhilad-border-gj10020_22032020170553_2203f_1584876953_449.jpg)
![કોરોનાના વાવરને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર સઘન ચેકીંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-live-corona-bhilad-border-gj10020_22032020170553_2203f_1584876953_28.jpg)