ETV Bharat / state

ધરમપુરમાં આવેલા 102 વર્ષ જુના મહેલમાં ચામચીડિયાના વસવાટથી લોકોમાં ભયનો માહોલ

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી ચીનમાં ચામાચીડિયામાંથી ફેલાયો હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. ત્યારે તેવા સમયમાં વલસાડના ધરમપુર ખાતે નાની વહિયાળ ગામે રાજા વિજયદેવજીએ બનાવેલા ૧૦૨ વર્ષ જૂના જર્જરિત મહેલમાં સેંકડોની સંખ્યામાં ચામાચીડિયા હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકોનું માનવું છે કે, જો ચામાચીડિયામાંથી કોરોના ફેલાયો હોય તો અહીં પણ તે ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. જેને લઇને આ તમામને દૂર કરવા માટે લેખિત મૌખિક રજૂઆતો પણ વહીવટી તંત્રને કરવામાં આવી છે.

author img

By

Published : May 2, 2020, 12:24 PM IST

ચામચીડિયાના વસવાટથી લોકોમાં ભયનો માહોલ
ચામચીડિયાના વસવાટથી લોકોમાં ભયનો માહોલ

વલસાડ : જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા નાની વહિયાળ ગામે ધરમપુરના રાજા વિજયદેવજીએ ૧૦૨ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો ભવ્ય મહેલ આજે જર્જરિત હાલતમાં છે અને આ મહેલ હાલ સેંકડોની સંખ્યામાં માટે રહેવા માટેનું એક નિવાસ્થાન બન્યું છે.

આ રાજાના મહેલની છત ઉપર એટલી મોટી સંખ્યામાં ચામાચીડિયા છે કે સમગ્ર છત પણ ઢંકાઈ જાય છે. જોકે ચીનમાં ચામાચીડિયામાંથી કોરોના જેવી મહામારી ફેલાઈ હોવાની વાતો હાલ ચર્ચા બની છે, ત્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે, જો ચામાચીડિયામાંથી કોરોના ફેલાયો હોય તો ધરમપુરમાં પણ આ ઘટના બની શકે તેમ છે. જેને લઇને સ્થાનિકઓએ સરપંચ અને કેટલાક અગ્રણીઓએ મળી અહીંથી આ ચામાચીડિયાને દુર કરવા માટેની રજૂઆતો કરી છે.

ચામચીડિયાના વસવાટથી લોકોમાં ભયનો માહોલ
જો કે બીજી તરફ આ સમગ્ર બાબતને લઇને ડોક્ટર સાથે વાતચીત કરવામાં આવી તો ડોક્ટર દીપ ગોહિલે જણાવ્યું કે ચામાચીડિયાના સંપર્કમાં આવવાથી કે ચામાચીડિયા જે ભોજન કરે છે. તે ભોજન મનુષ્યના શરીરમાં પ્રવેશવાથી કે તેના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાવાની શક્યતાઓ વધે છે. જો કે ચીનમાં જે આ રોગ ફેલાયો છે તેનું પાછળનું મુખ્ય કારણ ત્યાંના લોકોનું માસાહારી ખોરાક જવાબદાર છે. ત્યાંના લોકો માંસાહારમાં ચામાચીડિયાને પણ આરોગી જતાં હતા. જેના પગલે આ રોગ ફેલાયો હોવાનું મનાઈ રહ્યું છે. જેથી એવું ચોક્કસપણે ન કહી શકાય કે ચામાચિડિયાથી આ રોગ ફેલાઈ શકે છે.
મહેલ
મહેલ

મહત્વનું છે કે, કોરોનાની બીમારીને લઈે અનેક ચર્ચાઓ ચામાચીડિયા સાથે જોડાઈને આવી છે, ત્યારે સેંકડોની સંખ્યામાં મહેલમાં રહેતા ચામાચીડિયાને લઈને ગ્રામજનો અને અગ્રણીઓમાં હાલ તો એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વલસાડ : જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા નાની વહિયાળ ગામે ધરમપુરના રાજા વિજયદેવજીએ ૧૦૨ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો ભવ્ય મહેલ આજે જર્જરિત હાલતમાં છે અને આ મહેલ હાલ સેંકડોની સંખ્યામાં માટે રહેવા માટેનું એક નિવાસ્થાન બન્યું છે.

આ રાજાના મહેલની છત ઉપર એટલી મોટી સંખ્યામાં ચામાચીડિયા છે કે સમગ્ર છત પણ ઢંકાઈ જાય છે. જોકે ચીનમાં ચામાચીડિયામાંથી કોરોના જેવી મહામારી ફેલાઈ હોવાની વાતો હાલ ચર્ચા બની છે, ત્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે, જો ચામાચીડિયામાંથી કોરોના ફેલાયો હોય તો ધરમપુરમાં પણ આ ઘટના બની શકે તેમ છે. જેને લઇને સ્થાનિકઓએ સરપંચ અને કેટલાક અગ્રણીઓએ મળી અહીંથી આ ચામાચીડિયાને દુર કરવા માટેની રજૂઆતો કરી છે.

ચામચીડિયાના વસવાટથી લોકોમાં ભયનો માહોલ
જો કે બીજી તરફ આ સમગ્ર બાબતને લઇને ડોક્ટર સાથે વાતચીત કરવામાં આવી તો ડોક્ટર દીપ ગોહિલે જણાવ્યું કે ચામાચીડિયાના સંપર્કમાં આવવાથી કે ચામાચીડિયા જે ભોજન કરે છે. તે ભોજન મનુષ્યના શરીરમાં પ્રવેશવાથી કે તેના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાવાની શક્યતાઓ વધે છે. જો કે ચીનમાં જે આ રોગ ફેલાયો છે તેનું પાછળનું મુખ્ય કારણ ત્યાંના લોકોનું માસાહારી ખોરાક જવાબદાર છે. ત્યાંના લોકો માંસાહારમાં ચામાચીડિયાને પણ આરોગી જતાં હતા. જેના પગલે આ રોગ ફેલાયો હોવાનું મનાઈ રહ્યું છે. જેથી એવું ચોક્કસપણે ન કહી શકાય કે ચામાચિડિયાથી આ રોગ ફેલાઈ શકે છે.
મહેલ
મહેલ

મહત્વનું છે કે, કોરોનાની બીમારીને લઈે અનેક ચર્ચાઓ ચામાચીડિયા સાથે જોડાઈને આવી છે, ત્યારે સેંકડોની સંખ્યામાં મહેલમાં રહેતા ચામાચીડિયાને લઈને ગ્રામજનો અને અગ્રણીઓમાં હાલ તો એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.