વર્તમાન સમયમાં ફળો અને શાકભાજીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. જેના કારણે રોગના ઉપદ્રવમાં વધારો થયો છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ થવાથી મનુષ્ય અનેક બીમારીથી પીડિત બનતો થયો છે. જેથી હવે સરકારે પણ ઓર્ગેનિક ખેતીને વધુ પ્રોત્સાહિત કરવાનો અભિગમ રાખ્યો છે. જેના અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા સાથે સંકળાયેલા આત્મા પ્રોજેક્ટના અધિકારીએ બુધવારે ડુમલાવ ગામે ખેડૂતોને ઓર્ગેનિક ખેતીથી થતા ફાયદા અને રોગ રહિત ખેતી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
ગોષ્ઠીમાં પશુપાલનની ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગીતા અને ગૌમૂત્ર, છાણ, ઘરની ચીજ-વસ્તુઓ, ગોળ, બેસન વગેરેનો ઉપયોગ કરી એક વિશેષ મિશ્રણ તૈયાર કરવા અંગે ઉપસ્થિત ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-organicfarming-seminar-avbb-7202749_01012020161301_0101f_01237_717.jpg)
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-organicfarming-seminar-avbb-7202749_01012020161301_0101f_01237_206.jpg)
સ્થાનિક ખેડૂતોએ આ અંગે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી અંગે તેમણે પ્રથમ વખત માહિતી મેળવી છે અને આગામી દિવસમાં તેઓ શાકભાજી તેમજ ફળોની ખેતી ઓર્ગેનિક રીતે કરવા માટે તૈયારી કરશે.