ETV Bharat / state

પારસીઓએ ઉદવાડા ઇરાનશાહ ખાતે દર્શન કરીને નવા વર્ષને વધાવ્યું

વલસાડઃ 1300 વર્ષ પૂર્વે પોતાની સાથે પવિત્ર અગ્નિ આતશ લઈને આવેલા પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા. તેમની મીઠી બોલી અને કાલુ ઘેલું ગુજરાતી સાંભળવું કોને ના ગમે? આજે પારસીઓ પોતાનું નવા વર્ષ પતેતીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે, હેરિટેજ શહેર તરીકે ખ્યાતિ પામેલા અને જ્યાં પારસીઓનો પવિત્ર અગ્નિ રાખવામાં આવ્યો છે તેવા ઉદવાડા ખાતે પણ આજે સુરત, મુંબઇ તેમજ અનેક વિસ્તારોમાંથી લોકો ઇરાનશાહ ખાતે પહોંચ્યા હતા અને પારસી સમુદાયના લોકોએ એક બીજાને નવરોજ મુબારક કહી શુભેચ્છા પાઠવી હતી.

parsies-new-yeaR
author img

By

Published : Aug 17, 2019, 9:24 PM IST

1300 વર્ષ પહેલાં આરબથી પોતાના ધર્મ બચાવવા દરિયાઈ માર્ગે વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતરેલા પારસી સમુદાયને તે સમયના રાજા જાદિરાણાએ ભારતમાં રહેવા માટે પરવાનગી આપી હતી. તે સમયે સમગ્ર પારસી સમાજે જે વચન આપ્યું હતું કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે, આજે પણ આ વચન તેઓ ભૂલ્યા નથી. તેઓ આજે પોતાનું નવું વર્ષ ઉજવી રહ્યાં છે.

પારસીઓએ ઉદવાડા ઇરાનશાહ ખાતે દર્શન કરીને નવા વર્ષને વધાવ્યું

ઉદવાડા ગામ ખાતે આવેલા તેમના પાક ઇરાનશાહમાં મુંબઈ, સુરત સહિત અનેક સ્થળેથી લોકો પહોંચ્યાં હતાં. પોતાના પરંપરાગત પોશાકમાં કસતી, લેંઘો, ઝભ્ભો માથે ટોપી પહેરી અનેક પારસી સમુદાયના લોકો ઇરાનશાહમાં પ્રવેશ્યા હતા અને એક બીજાને હેપ્પી ન્યુ યર કહેતા નજરે ચડ્યા હતાં.

આ પ્રસંગે પવિત્ર ઇરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજીએ વિશ્વમાં વસવાટ કરતા તમામ પારસી સમાજના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જાતિવાદ કોમવાદ ભૂલીને ભારતીય નાગરિક બની આગળ આવવા માટે અપીલ કરી હતી. જેથી દેશને અને કોમને આગળ લઇ આવી શકાય. આગામી ડિસેમ્બર તારીખ 27, 28, 29ના રોજ ઇરાનશાહ ઉદવાડા 2019 મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. જે સતત ત્રીજા વર્ષે થશે.

ઉદવાડામાં આવેલ પવિત્ર આતશ બહેરામના ટેમ્પલનું મકાન 130 વર્ષ જૂનું હોય જર્જરિત બન્યું હતું. જેને પણ ફરી નવપલ્લીત કરવામાં આવ્યું છે. જે વર્ષો પહેલા હતું તે જ રંગ રૂપમાં તે બનાવવામાં આવ્યું છે. જે આગામી ઓક્ટોબરમાં ખુલ્લુ મુકવામાં આવશે.

1300 વર્ષ પહેલાં આરબથી પોતાના ધર્મ બચાવવા દરિયાઈ માર્ગે વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતરેલા પારસી સમુદાયને તે સમયના રાજા જાદિરાણાએ ભારતમાં રહેવા માટે પરવાનગી આપી હતી. તે સમયે સમગ્ર પારસી સમાજે જે વચન આપ્યું હતું કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે, આજે પણ આ વચન તેઓ ભૂલ્યા નથી. તેઓ આજે પોતાનું નવું વર્ષ ઉજવી રહ્યાં છે.

પારસીઓએ ઉદવાડા ઇરાનશાહ ખાતે દર્શન કરીને નવા વર્ષને વધાવ્યું

ઉદવાડા ગામ ખાતે આવેલા તેમના પાક ઇરાનશાહમાં મુંબઈ, સુરત સહિત અનેક સ્થળેથી લોકો પહોંચ્યાં હતાં. પોતાના પરંપરાગત પોશાકમાં કસતી, લેંઘો, ઝભ્ભો માથે ટોપી પહેરી અનેક પારસી સમુદાયના લોકો ઇરાનશાહમાં પ્રવેશ્યા હતા અને એક બીજાને હેપ્પી ન્યુ યર કહેતા નજરે ચડ્યા હતાં.

આ પ્રસંગે પવિત્ર ઇરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજીએ વિશ્વમાં વસવાટ કરતા તમામ પારસી સમાજના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જાતિવાદ કોમવાદ ભૂલીને ભારતીય નાગરિક બની આગળ આવવા માટે અપીલ કરી હતી. જેથી દેશને અને કોમને આગળ લઇ આવી શકાય. આગામી ડિસેમ્બર તારીખ 27, 28, 29ના રોજ ઇરાનશાહ ઉદવાડા 2019 મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. જે સતત ત્રીજા વર્ષે થશે.

ઉદવાડામાં આવેલ પવિત્ર આતશ બહેરામના ટેમ્પલનું મકાન 130 વર્ષ જૂનું હોય જર્જરિત બન્યું હતું. જેને પણ ફરી નવપલ્લીત કરવામાં આવ્યું છે. જે વર્ષો પહેલા હતું તે જ રંગ રૂપમાં તે બનાવવામાં આવ્યું છે. જે આગામી ઓક્ટોબરમાં ખુલ્લુ મુકવામાં આવશે.

Intro:1300 વર્ષ પૂર્વે પોતાની સાથે પવિત્ર અગ્નિ આતશલઈને આવેલા પારસી ઓ દૂધમાં સાંકર ની જેમ ભળી ગયા તેમની મીઠી બોલી અને કાલુ ઘેલું ગુજરાતી સાંભળવું કોને ના ગમે આજે પારસીઓ નું નવું વર્ષ પતેતી ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે હેરિટેજ શહેર તરીકે ખ્યાતિ પામેલા અને જ્યાં પરસીઓનો પવિત્ર અગ્નિ રાખવામાં આવ્યો છે એવા ઉદવાડા ખાતે પણ આજે સુરત મુંબઇ તેમજ અનેક સ્થળે થી લોકો ઇરાનશાહ ખાતે પોહચ્યા હતા અને પારસી સમુદાય ના લોકોએ એક બીજાને નવરોજ મુબારક કહી શુભેચ્છા પાઠવી હતી


Body:1300 વર્ષ પહેલાં આરબ થી પોતાના ધર્મ બચાવવા દરિયાઈ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતરેલા પારસી સમુદાય ને તે સમયના રાજા જાદિરાણા એ ભારતમાં રહેવા માટે પરવાનગી આપી હતી અને તે સમયે સમગ્ર પારસી સમાજે જે વચન આપ્યું હતું કે તેઓ દૂધમાં સાંકર ની જેમ ભળી જશે આજે પણ આ વચન તેઓ ભૂલ્યા નથી આવા સમુદાય આજે નવું વર્ષ ઉજવી રહ્યું છે આજે ઉદવાડા ગામ ખાતે આવેલા તેમના પાક ઇરાનશાહ માં દર્શનાર્થે મુંબઈ સુરત સહિત અનેક સ્થળે થી લોકો પોહચ્યા હતા પોતાના પરંપરાગત પોશાક માં કસતી લેંઘો ઝભ્ભો માથે ટોપી પહેરી અનેક પારસી સમુદાયના લોકો ઇરાનશાહ માં પ્રવેશ્યા હતા અને એક બીજાને હેપ્પી ન્યુ યર કેહતા નજરે ચડ્યા હતા
આ પ્રસંગે પવિત્ર ઇરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજી એ વિશ્વમાં વસવાટ કરતા તમામ પારસી સમાજના લોકોને નવા વર્ષ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જાતિવાદ કોમવાદ ભૂલીને ભારતીય નાગરિક બની આગળ આવવા માટે અપીલ કરી જેથી દેશ ને અને કોમને આગળ લાવી શકાય અગામી ડિસમેબર તારીખ 27,28,29 ના રોજ ઇરાનશાહ ઉદવાડા 2019 મહોત્સવ નું આયોજન થવા જઈ રહ્યું છે જે સતત ત્રીજા વર્ષે થશે જેમાં.પણ સૌ સમાજના લોકોને નિમંત્રણ પાઠવ્યું હતું સાથે સાથે ઉદવાડા માં આવેલ પવિત્ર આતશ બહેરામના ટેમ્પલ નું મકાન 130 વર્ષ જૂનું હોય જર્જરિત બન્યુ હતું જેને પણ ફરી નવપલ્લીત કરવામાં આવ્યું છેજે વર્ષો પહેલા હતું એજ રંગ રૂપમાં તે બનાવવામાં આવ્યું છે જે પણ ઓક્ટોબર માસ માં પારસી સમાજ માટે ખુલ્લું મુકવમાં આવશે ..


Conclusion:આજે વહેલી સવાર થી જ પારસી કોમના લોકો ઉદવાડા ખાતે આવેલા તેમના પવિત્ર અગ્નિ આતશ બહેરામના દર્શન માટે ઇરાનશાહ ખાતે આવતા જોવા મળ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.