ETV Bharat / state

ધાર્મિક સ્થાન નજીક ડ્રેનેજ પંપિંગ સ્ટેશન બનવવાને લઈને સ્થાનિકોમાં રોષ

વલસાડ: શહેરની નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11માં અંદાજીત રૂપિયા 70 લાખના ખર્ચે ડ્રેનેજ પંપિંગ સ્ટેશન બનાવવાની કામગીરી અંગે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે વોર્ડ નંબર 11માં જે સ્થળે આ પંપિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, ત્યાં ધાર્મિક સ્થળ હોવાથી ગંદકીમાં વધારો થશે અને લોકોના આરોગ્ય પણ જોખમાશે તેવી સ્થિતિ ઉત્પન્ન થતાં વોર્ડ નંબર 11ના 100થી વધુ લોકોએ નગર પાલિકા કચેરી જઈ આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.

author img

By

Published : Dec 11, 2019, 3:31 AM IST

valsad
સ્થાનિકો દ્વારા આવેદન અપાયું

વલસાડ નગર પાલિકાના વોર્ડ નંબર 11માં આશરે રુપિયા 70 લાખના ખર્ચે ડ્રેનેજ પંપિંગ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. નગર પાલિકાએ વોર્ડ નંબર 11માં આવેલા બરમદેવ મંદિર નજીક આ કામગીરી માટે સર્વે હાથ ધર્યો છે. જેને લઈને અહીંના સ્થાનિકોએ ધાર્મિક સ્થળની બાજુમાં બની રહેલા ડ્રેનેજ પંપિંગ સ્ટેશનનો વિરોધ દર્શાવવા વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. વોર્ડ નંબર 11નાં 100થી વધુ લોકો નગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગર પાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટર સાથે મળી તેમણે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપી ડ્રેનેજ પંપિંગ સ્ટેશન ધાર્મિક સ્થળ નજીક નહીં બનાવવા રજૂઆત કરી હતી.

જોકે વહીવટી મંજૂરી મળી જવાને કારણે આ કામ અટકી શકે નહીં અને જો આ કામ અટકાવવું હોય તો પંપિંગ સ્ટેશન બનાવવા માટે અન્ય વૈકલ્પિક સ્થળ તમે બતાવો એવું ચીફ ઓફિસરે રજૂઆત કરવા આવેલા લોકોને જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું કે, પંપિંગ સ્ટેશન નહીં બનાવવાનું અમે કહેતા નથી પરંતુ જે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તે ધાર્મિક સ્થળ છે અને ડ્રેનેજ લાઈન અહીંથી પસાર થાય છે જેથી અહીં આવનારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ શકે તેમ છે. ઉપરાંત જનઆરોગ્યની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી.

સ્થાનિકો દ્વારા આવેદન

આ સમગ્ર બાબતે કોર્પોરેટર દ્વારા વૈકલ્પિક જગ્યા પણ દર્શાવવામાં આવી છે. નગર પાલિકાના ચીફ ઓફિસરે લોકોની માંગણી ધ્યાનમાં રાખી યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી છે. પરંતુ જો અન્ય સ્થળે આ ડ્રેનેજ પંપિંગ સ્ટેશન નહીં ખસેડાય તો નગર પાલિકાના કોર્પોરેટર રાજીનામું આપશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

વલસાડ નગર પાલિકાના વોર્ડ નંબર 11માં આશરે રુપિયા 70 લાખના ખર્ચે ડ્રેનેજ પંપિંગ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. નગર પાલિકાએ વોર્ડ નંબર 11માં આવેલા બરમદેવ મંદિર નજીક આ કામગીરી માટે સર્વે હાથ ધર્યો છે. જેને લઈને અહીંના સ્થાનિકોએ ધાર્મિક સ્થળની બાજુમાં બની રહેલા ડ્રેનેજ પંપિંગ સ્ટેશનનો વિરોધ દર્શાવવા વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. વોર્ડ નંબર 11નાં 100થી વધુ લોકો નગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગર પાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટર સાથે મળી તેમણે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપી ડ્રેનેજ પંપિંગ સ્ટેશન ધાર્મિક સ્થળ નજીક નહીં બનાવવા રજૂઆત કરી હતી.

જોકે વહીવટી મંજૂરી મળી જવાને કારણે આ કામ અટકી શકે નહીં અને જો આ કામ અટકાવવું હોય તો પંપિંગ સ્ટેશન બનાવવા માટે અન્ય વૈકલ્પિક સ્થળ તમે બતાવો એવું ચીફ ઓફિસરે રજૂઆત કરવા આવેલા લોકોને જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું કે, પંપિંગ સ્ટેશન નહીં બનાવવાનું અમે કહેતા નથી પરંતુ જે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તે ધાર્મિક સ્થળ છે અને ડ્રેનેજ લાઈન અહીંથી પસાર થાય છે જેથી અહીં આવનારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ શકે તેમ છે. ઉપરાંત જનઆરોગ્યની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી.

સ્થાનિકો દ્વારા આવેદન

આ સમગ્ર બાબતે કોર્પોરેટર દ્વારા વૈકલ્પિક જગ્યા પણ દર્શાવવામાં આવી છે. નગર પાલિકાના ચીફ ઓફિસરે લોકોની માંગણી ધ્યાનમાં રાખી યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી છે. પરંતુ જો અન્ય સ્થળે આ ડ્રેનેજ પંપિંગ સ્ટેશન નહીં ખસેડાય તો નગર પાલિકાના કોર્પોરેટર રાજીનામું આપશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Intro:વલસાડ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11 માં અંદાજીત રૂપિયા ૭૦ લાખના ખર્ચે ડ્રેનેજ પંપીગ સ્ટેશન બનાવવાની કામગીરી અંગે વહીવટી મંજૂરી આપી દેવાઇ છે જોકે કોડ નંબર 11 માં જે સ્થળે આ પંપીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે ત્યાં ધાર્મિક સ્થળ હોવાને લઈને ગંદકીમાં વધારો થશે અને લોકોના આરોગ્ય પણ જોખમાય એવી સ્થિતિ ઉત્પન્ન થશે જેને અનુલક્ષીને આજે વોર્ડ નંબર 11 ના 100 વધુ લોકો નગર પાલિકા કચેરી ઉપર પોહચ્યા હતા અને આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો


Body:વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં ડ્રેનેજ પંપીગ સ્ટેશન અંદાજીત રૂપિયા ૭૦ લાખના ખર્ચે બનાવવા માટેની વહીવટી મંજૂરી બની બની ચૂકી છે જેને લઇને નગરપાલિકાએ વોર્ડ નંબર 11 માં આવેલા બરમદેવ મંદિર નજીક આ કામગીરી માટે સર્વે હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોએ ધાર્મિક સ્થળ ની બાજુમાં જ બની રહેલા ડ્રેનેજ પંપીગ સ્ટેશન નો વિરોધ દર્શાવવા માટે આજે એક વિરોધ રેલી નું આયોજન કર્યું હતું વોર્ડ નંબર 11 ના સૌથી વધુ લોકો એક ટેમ્પો ભરીને નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગરપાલિકાના વિરોધપક્ષના કોર્પોરેટર સાથે મળી તેમણે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપી ડ્રેનેજ પંપીગ સ્ટેશન ધાર્મિક સ્થળ નજીક ન બનાવવા માટે રજૂઆત કરી હતી જોકે વહીવટી મંજૂરી મળી જવાને કારણે આ કામ અટકી શકે નહીં અને જો આ કામ અટકાવવું હોય તો પંપીંગ સ્ટેશન બનાવવા માટે અન્ય વૈકલ્પિક સ્થળ તમે બતાવો એવું ચીફ ઓફિસરે રજૂઆત કરવા આવેલા લોકોને જણાવ્યું હતું જોકે સામે લોકોએ કહ્યું કે પંપીંગ સ્ટેશન ન બનાવવાનું અમે કહેતા નથી પરંતુ તે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તે ધાર્મિક સ્થળ છે અને ડ્રેનેજ લાઈન અહીંથી પસાર થાય એ ભઈ આવનારા લોકોની ધાર્મિક લાગણી દુભાવી શકે તેમ છે તેમજ આરોગ્યની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી જોકે આ સમગ્ર બાબો કે કોર્પોરેટર દ્વારા એક વૈકલ્પિક જગ્યા પણ તેમને દર્શાવવામાં આવી છે નગરપાલિકાના ચીફ ઓફિસરે લોકોની માંગને ધ્યાને રાખી યોગ્ય કામગીરી કરવા માટેની ખાતરી આપી છે પરંતુ તેમ છતાં જો અન્ય સ્થળે આ ડ્રેનેજ પંપીગ સ્ટેશન નહીં ખસેડાય તો નગરપાલિકાના કોર્પોરેટર રાજીનામું આપશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે


Conclusion:નોંધનીય છે કે વોર્ડ નંબર 11 કોસંબા રોડ નજીક આ ડ્રેનેજ પંપીગ સ્ટેશન અંદાજિત રૂ ૭૦ લાખના ખર્ચે બનાવવામાં આવનાર છે અને જે માટે સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી ચૂકી છે અને જમીન અંગે પણ નગરપાલિકા દ્વારા કામગીરી કરી દેવાઈ હતી આ મંજૂરી સમયે નગર પાલિકાની બેઠકમાં દરેક વોર્ડના સભ્યો પાસે મંજૂરી પણ લેવાય છે તો સવાલ એ રહે છે કે જો તે સમયે તમામ બોર્ડના સભ્યોએ મંજૂરી માટે સહી કરી હોય તો શું આ વિરોધ પક્ષના નેતાએ તે સમયે ઠરાવ વાંચ્યો નહિ હોય ?

બાઈટ _1 _ઝાકીર પઠાણ (વોર્ડ નંબર 11 સભ્ય વિરોધ પક્ષ)

બાઈટ _2_રાખી બેન (સ્થાનિક રહીશ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.