ETV Bharat / state

દિવાસા પર્વ નિમિત્તે આદિવાસીઓ દ્વારા રમાતી "ટપ્પા દાવની" અનોખી રમત - gujarat news

વલસાડઃ આદિવાસી સમાજમાં દિવાસા પર્વની ઉજવણી માત્ર ધરમપુરમાં જોવા મળે છે. "ટપ્પા દાવની રમત"થી અહીં લોકો અનોખી રીતે તેની ઉજવણી કરે છે. આ દિવસે ધરમપુરમાં 10 હજારથી પણ વધુ નારિયળનું વેચાણ થાય છે. આવો જાણીએ શું છે આ "ટપ્પા દાવ"ની રમત અને શ્રીફળ વડે કઈ રીતે રમવામાં આવે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Aug 2, 2019, 6:41 AM IST

Updated : Aug 2, 2019, 7:22 AM IST

શ્રાવણ માસના પ્રારંભને એક દિવસ આગળ આવતી અમાસને આદિવાસી સમાજના લોકો દિવાસા તરીકે કે ગટર અમાસ તરીકે ઓળખે છે અને આ દિવસે દરેક ઘરે એક ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળે છે. બજારમાં પણ ખૂબ ચેહલ પહેલ જોવા મળે છે. એમાં પણ સૌથી વધુ આકર્ષણ ધરાવતું હોય તો માત્રને માત્ર વલસાડ જિલ્લાના ધરમપુર બજારમાં રમવામાં આવતી "ટપ્પા દાવ"ની રમત છે. આદિવાસી સમાજના લોકો બજારમાંથી નારિયળ ખરીદીને આ રમતનો આનંદ લેતા હોય છે.

એક વ્યક્તિ શ્રીફળ હાથમાં પકડે છે અને સામેનો વ્યક્તિ પોતના શ્રીફળ વડે સામે હાથમાં પકડીને ઉભેલા વ્યક્તિના શ્રીફળમાં ઘા કરે છે. જેનું નારિયળ ફૂટી જાય છે. એ ઘા કરનાર વ્યક્તિને આપી દે છે અને જો ના તૂટે તો બીજો વ્યક્તિ નારિયળ તોડવા પ્રયાસ કરે છે. આમ સામ સામે આ નારીયળની રમત રમાય છે અને કેટલાક લોકોને આ રમતની મોજમાં હાથમાં ઈજાઓ પણ પહોંચે છે. પણ રમતની મઝા તો લોકો લેતા જોવા મળે છે.

આ અંગે સ્થાનિક મોહન ભાઈએ જાણકારી આપતા જણાવ્યું કે, વર્ષોથી ચાલી આવતી આ રમત આદિવાસી સમાજમાં ચોમાસા દરમિયાન ડાંગરની રોપની પૂર્ણ થયા બાદ જે આનંદ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે, તે માટે દિવાસા પર્વ ઉજવાય છે. અદિવાસી સમાજના લોકો આ દિવસને ઉત્સવ તરીકે ઉજવે છે. ધરમપુરમાં રમવામાં આવતી ટપ્પા દાવની રમત નિહાળવા અને રમવા નવસારીના વાંસદા કે દમણ સુધીના લોકો અહીં આવે છે.

ધરમપુરમાં આદિવાસીઓની દિવાસા પર્વની "ટપ્પા દાવની રમત"ની આનોખી ઉજવણી

દમણથી છેલ્લા 7 વર્ષથી સતત ટપ્પા દાવની રમત માટે આવતા શાંતિલાલ પટેલ એ જણાવ્યું કે, તેમના બાપદાદાના સમયથી ટપ્પા દાવની રમત પ્રચલિત છે અને તેઓ દર વર્ષે દિવાસા પર્વે ધરમપુર આવે છે. આ વર્ષે પણ તેઓ ટપ્પા દાવ રમવા માટે આવ્યા છે. આ રમતમાં નારિયળ તોડવા એક વિશેષ પ્રકારની ટેક્નિક જરૂરી છે. તોજ શ્રીફળ સામેના વ્યક્તિનું તૂટી જતું હોય છે.દિવાસાના દિવસે એક જ દિવસમાં 10 હજાર કરતા વધુ શ્રીફળનું વેચાણ થઈ જતું હોય છે .

અંગે માહિતી આપતા શ્રીફળ વેચનાર વેપારી વિપુલ ટેલર એ જણાવ્યું કે, 20 રૂપિયા પ્રતિ શ્રીફળ વેચાણ થયું છે અને દર વર્ષે તેઓ ચારથી પાંચ બોરી શ્રીફળ સહેલાઇથી વેચી દેતા હોય છે. આ વર્ષે પણ શ્રીફળ લેવા લોકોની પડાપડી જોવા મળી હતી. આમ આજે પણ આદિવાસી સમાજના લોકોએ તેમની વર્ષો જૂની દિવસા પર્વની પરંપરાને જીવંત રાખતા ઉત્સાહ પૂર્વક ટપ્પા દાવની રમતમાં જોડાયા હતા.

શ્રાવણ માસના પ્રારંભને એક દિવસ આગળ આવતી અમાસને આદિવાસી સમાજના લોકો દિવાસા તરીકે કે ગટર અમાસ તરીકે ઓળખે છે અને આ દિવસે દરેક ઘરે એક ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળે છે. બજારમાં પણ ખૂબ ચેહલ પહેલ જોવા મળે છે. એમાં પણ સૌથી વધુ આકર્ષણ ધરાવતું હોય તો માત્રને માત્ર વલસાડ જિલ્લાના ધરમપુર બજારમાં રમવામાં આવતી "ટપ્પા દાવ"ની રમત છે. આદિવાસી સમાજના લોકો બજારમાંથી નારિયળ ખરીદીને આ રમતનો આનંદ લેતા હોય છે.

એક વ્યક્તિ શ્રીફળ હાથમાં પકડે છે અને સામેનો વ્યક્તિ પોતના શ્રીફળ વડે સામે હાથમાં પકડીને ઉભેલા વ્યક્તિના શ્રીફળમાં ઘા કરે છે. જેનું નારિયળ ફૂટી જાય છે. એ ઘા કરનાર વ્યક્તિને આપી દે છે અને જો ના તૂટે તો બીજો વ્યક્તિ નારિયળ તોડવા પ્રયાસ કરે છે. આમ સામ સામે આ નારીયળની રમત રમાય છે અને કેટલાક લોકોને આ રમતની મોજમાં હાથમાં ઈજાઓ પણ પહોંચે છે. પણ રમતની મઝા તો લોકો લેતા જોવા મળે છે.

આ અંગે સ્થાનિક મોહન ભાઈએ જાણકારી આપતા જણાવ્યું કે, વર્ષોથી ચાલી આવતી આ રમત આદિવાસી સમાજમાં ચોમાસા દરમિયાન ડાંગરની રોપની પૂર્ણ થયા બાદ જે આનંદ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે, તે માટે દિવાસા પર્વ ઉજવાય છે. અદિવાસી સમાજના લોકો આ દિવસને ઉત્સવ તરીકે ઉજવે છે. ધરમપુરમાં રમવામાં આવતી ટપ્પા દાવની રમત નિહાળવા અને રમવા નવસારીના વાંસદા કે દમણ સુધીના લોકો અહીં આવે છે.

ધરમપુરમાં આદિવાસીઓની દિવાસા પર્વની "ટપ્પા દાવની રમત"ની આનોખી ઉજવણી

દમણથી છેલ્લા 7 વર્ષથી સતત ટપ્પા દાવની રમત માટે આવતા શાંતિલાલ પટેલ એ જણાવ્યું કે, તેમના બાપદાદાના સમયથી ટપ્પા દાવની રમત પ્રચલિત છે અને તેઓ દર વર્ષે દિવાસા પર્વે ધરમપુર આવે છે. આ વર્ષે પણ તેઓ ટપ્પા દાવ રમવા માટે આવ્યા છે. આ રમતમાં નારિયળ તોડવા એક વિશેષ પ્રકારની ટેક્નિક જરૂરી છે. તોજ શ્રીફળ સામેના વ્યક્તિનું તૂટી જતું હોય છે.દિવાસાના દિવસે એક જ દિવસમાં 10 હજાર કરતા વધુ શ્રીફળનું વેચાણ થઈ જતું હોય છે .

અંગે માહિતી આપતા શ્રીફળ વેચનાર વેપારી વિપુલ ટેલર એ જણાવ્યું કે, 20 રૂપિયા પ્રતિ શ્રીફળ વેચાણ થયું છે અને દર વર્ષે તેઓ ચારથી પાંચ બોરી શ્રીફળ સહેલાઇથી વેચી દેતા હોય છે. આ વર્ષે પણ શ્રીફળ લેવા લોકોની પડાપડી જોવા મળી હતી. આમ આજે પણ આદિવાસી સમાજના લોકોએ તેમની વર્ષો જૂની દિવસા પર્વની પરંપરાને જીવંત રાખતા ઉત્સાહ પૂર્વક ટપ્પા દાવની રમતમાં જોડાયા હતા.

Intro:આદિવાસી સમાજ માં દિવસા પર્વ ની અનેરી ઉજવણી માત્ર ધરમપુર માં જોવા મળે છે એ પણ "ટપ્પા દાવ ની રમત"થી અહીં લોકો અનોખી રીતે તેની ઉજવણી કરે છે આ દિવસે ધરમપુર માં 10 હજાર થી પણ વધુ નારિયળનું વેચાણ થાય છે આવો જાણીએ શુ છે આ ટપ્પા દાવ ની રમત અને શ્રીફળ વડે એ કઈ રીતે રમવામાં આવે છેBody:
શ્રાવણ માસના પ્રારંભને એક દિવસ આગળ આવતી અમાસને આદિવાસી સમાજના લોકો દિવસા તરીકે કે ગટર અમાસ તરીકે ઓળખે છે અને આ દિવસે દરેક ઘરે એક ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળે છે બજારમાં પણ ખૂબ ચેહલ પહેલ જોવા મળે છે એમાં પણ સૌથી વધુ આકર્ષણ ધરાવતું હોય તો માત્ર ને માત્ર વલસાડ જિલ્લાના ધરમપુર બજાર માં રમવામાં આવતી ટપ્પા દાવ ની રમત છે આદિવાસી સમાજ ના લોકો બજાર માંથી નારિયળ ખરીદી ને આ રમત નો આનંદ લે છે
એક વ્યક્તિ શ્રીફળ હાથ માં પકડે છે અને સામે નો વ્યક્તિ પોતના શ્રીફળ વડે સામે હાથ માં પકડી ને ઉભેલા વ્યક્તિના શ્રીફળ માં ઘા કરે છે જેનું નારિયળ ફૂટી જાય છે એ ઘા કરનાર વ્યક્તિ ને આપી દે છે અને જો ના તૂટે તો બીજો વ્યક્તિ નારિયળ તોડવા પ્રયાસ કરે છે આમ સામ સામે આ નારીયળ ની રમત રમાય છે અને કેટલાક લોકો ને આ રમત ની મોજ માં હાથ માં ઈજાઓ પણ પોહચે છે પણ રમત ની મઝા તો લોકો લેતા જોવા મળે છે
સ્થાનિક મોહન ભાઈ એ જાણકારી આપતા જણાવ્યું કે વર્ષો થી ચાલી આવતી આ રમત આદિવાસી સમાજ માં ચોમાસા દરમ્યાન ડાંગરની રોપની પૂર્ણ થયા બાદ જે આનંદ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે તે માટે દિવસા પર્વ ઉજવાય છે અદિવાસી સમાજના લોકોઆ દિવસે ઉત્સવ તરીકે ઉજવે છે ધરમપુર માં રમવામાં આવતી ટપ્પા દાવ ની રમત નિહાળવા અને રમવા નવસારી ના વાંસદા કે દમણ સુધી ના લોકો અહીં આવે છે દમણ થી છેલ્લા 7 વર્ષ થી સતત ટપ્પા દાવની રમત માટે આવતા શાંતિલાલ પટેલ એ જણાવ્યું કે તેમના બાપદાદાના સમય થી ટપ્પા દાવ ની રમત પ્રચલિત છે અને તેઓ દર વર્ષે દિવસા પર્વે ધરમપુર આવે છે આ વર્ષે પણ તેઓ ટપ્પા દાવ રમવા માટે આવ્યા છે નું જણાવ્યું હતું આ રમતમાં નારિયળ તોડવા એક વિશેષ પ્રકારની ટેક્નિક જરૂરી છે તોજ શ્રીફળ સામે ના વ્યક્તિનું તૂટી જતું હોય છે નું જણાવ્યું હતું તો આજ ના દિવસે એક જ દિવસ માં 10 હજાર કરતા વધુ શ્રીફળ નું વેચાણ થઈ જતું હોય છે એ અંગે માહિતી આપતા શ્રીફળ વેચનાર વેપારી વિપુલ ટેલર એ જણાવ્યું કે આજે 20 રૂપિયા પ્રતિ શ્રીફળ વેચાણ થયું છે અને દર વર્ષે તેઓ ચાર થી પાંચ બોરી શ્રીફળ સહેલાઇ થી વેચી દેતા હોય છે આજે પણ શ્રીફળ લેવા લોકોની પડાપડી જોવા મળી હતીConclusion:આમ આજે પણ આદિવાસી સમાજના લોકોએ તેમની વર્ષો જૂની દિવસા પર્વ ની પરંપરા ને જીવંત રાખતા ઉત્સાહ પૂર્વક ટપ્પા દાવ ની રમત માં જોડાયા હતા

બાઈટ 1 મોહન ભાઈ સ્થાનિક વડીલ
બાઈટ 2 શાંતિલાલ ભાઈ પટેલ દમણ
બાઈટ 3 વિપુલ ટેલર નારિયળ વેપારી
Last Updated : Aug 2, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.