ETV Bharat / state

બે મહીનાનો પગાર નહીં ચૂકવાતા 56 મજૂરો વતન જવા પગપાળા નીકળ્યા - corona effect in valsad

વલસાડઃ કપરાડા તાલુકાના કાકડ કોપર ગામે આવેલી વોલપ્લાસ્ટ કંપનીમાં 56 જેટલા કામદારોને બે માસનો પગાર ન આપી કંપનીના કોન્ટ્રાક્ટરે જે રૂમમાં રહેતા હતા. તે રૂમ પણ ખાલી કરાવી દીધી સાથે પૈસા પણ ન આપતા 56 કામદારો પગપાળા પોતાના વતન ઝારખંડ જવા સિવાય બીજો કોઈ આરો રહ્યો નથી.

બે મહીનાનો પગાર ન મળતા 56 મજૂરો પોતાના વતન જવા પગપાળા નીકળ્યા
બે મહીનાનો પગાર ન મળતા 56 મજૂરો પોતાના વતન જવા પગપાળા નીકળ્યા
author img

By

Published : May 16, 2020, 8:59 PM IST

લોકડાઉનમાં દરેક કંપની જેમણે મજૂરોને બે માસનો પગાર આપવો ફરજીયાત હોવાની સરકારની ગાઈડ લાઇન છે. આ ગાઈડ લાઈનને પણ કંપની સંચાલકો અને કોન્ટ્રકટર અમલ ન કરતા અનેક મજૂરો પૈસા વિના રસ્તે પગપાળા નીકળી ચૂક્યા છે.

બે મહીનાનો પગાર ન મળતા 56 મજૂરો પોતાના વતન જવા પગપાળા નીકળ્યા

કપરાડા તાલુકાના કાકડ કોપર ગામે આવેલ વોલપ્લાસ્ટ કમ્પનીમાં કામ કરતા 56 જેટલા કામદારોને કંપની એ બે માસ કામ કરાવ્યા બાદ લોકડાઉનમાં વેતન નહી આપતા 56 જેટલા કામદારો આજે પોતાના વતન જવા પગપાળા નીકળી પડ્યા હતા. આ કામદારો કંપનીના રૂમમાં રહીને કામ કરતા હતા. પરંતુ બે માસ થવા છતાં કોઈ વેતન ન આપતા કર્મચારીઓએ વેતનની માંગ કરી હતી.

કંપની સંચાલક અને કોન્ટ્રાક્ટરએ વેતન બે માસ પછી મળશે તેમ જણાવ્યું હતું. જો કામ કરવું હોય તો અહીં રહો અથવા રૂમ ખાલી કરી દોનું કહેતા આખરે આ 56 કામદારો કંપનીના રૂમ ખાલી કરીને ચાલી નીકળ્યા હતા. પોતાના વતન જવા માટે આ બાબતની જાણકારી કપરાડા મામલતદાર અને પી.એસ.આઈને થતા આ તમામ કામદારોને મોટપોઢા નહેરની આસપાસમાં અટકાવી દઈ ટેમ્પો મારફતે ફરીથી કંપનીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સરકાર દ્વારા શ્રમિક વર્ગની ચિંતા કરતા લોકડાઉનમાં કામ કરનાર તમામને કંપનીએ વેતન ચૂકવવા અંગે જાહેરાત કરી હતી. અને જો ના ચૂકવે તો તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની પણ જાહેરાત કરવામાં આવી હતી.

લોકડાઉનમાં દરેક કંપની જેમણે મજૂરોને બે માસનો પગાર આપવો ફરજીયાત હોવાની સરકારની ગાઈડ લાઇન છે. આ ગાઈડ લાઈનને પણ કંપની સંચાલકો અને કોન્ટ્રકટર અમલ ન કરતા અનેક મજૂરો પૈસા વિના રસ્તે પગપાળા નીકળી ચૂક્યા છે.

બે મહીનાનો પગાર ન મળતા 56 મજૂરો પોતાના વતન જવા પગપાળા નીકળ્યા

કપરાડા તાલુકાના કાકડ કોપર ગામે આવેલ વોલપ્લાસ્ટ કમ્પનીમાં કામ કરતા 56 જેટલા કામદારોને કંપની એ બે માસ કામ કરાવ્યા બાદ લોકડાઉનમાં વેતન નહી આપતા 56 જેટલા કામદારો આજે પોતાના વતન જવા પગપાળા નીકળી પડ્યા હતા. આ કામદારો કંપનીના રૂમમાં રહીને કામ કરતા હતા. પરંતુ બે માસ થવા છતાં કોઈ વેતન ન આપતા કર્મચારીઓએ વેતનની માંગ કરી હતી.

કંપની સંચાલક અને કોન્ટ્રાક્ટરએ વેતન બે માસ પછી મળશે તેમ જણાવ્યું હતું. જો કામ કરવું હોય તો અહીં રહો અથવા રૂમ ખાલી કરી દોનું કહેતા આખરે આ 56 કામદારો કંપનીના રૂમ ખાલી કરીને ચાલી નીકળ્યા હતા. પોતાના વતન જવા માટે આ બાબતની જાણકારી કપરાડા મામલતદાર અને પી.એસ.આઈને થતા આ તમામ કામદારોને મોટપોઢા નહેરની આસપાસમાં અટકાવી દઈ ટેમ્પો મારફતે ફરીથી કંપનીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સરકાર દ્વારા શ્રમિક વર્ગની ચિંતા કરતા લોકડાઉનમાં કામ કરનાર તમામને કંપનીએ વેતન ચૂકવવા અંગે જાહેરાત કરી હતી. અને જો ના ચૂકવે તો તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.