ETV Bharat / state

રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત

author img

By

Published : May 21, 2021, 4:06 PM IST

Updated : May 21, 2021, 10:55 PM IST

વાપી નજીક બલિઠા ખાતે વેસ્ટર્ન રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદેલ ચેનલમાં 2 બાળકો અને મહિલાના ડૂબી જવાથી મોત થયા હતા.

રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત
રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત

  • ગટરના ખાડામાં 3 લોકોના ડૂબી જવાથી મોત
  • સવારે 9 કલાકે 2 બાળકો ન્હાવા પડ્યા હતા
  • બાળકોને ડૂબતા જોઈ માતા બચાવવા પાણીમાં કૂદી પડી

વલસાડ: વાપી નજીક બલિઠા ગામે આવેલી એક રેસ્ટોરન્ટના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલી ચેનલમાં 2 બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. એક ખાનગી રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો 10 વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની સુશિલાનું તેમજ સાળીના 12 વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલી ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે.

સવારે 9 કલાકે 2 બાળકો ન્હાવા પડ્યા હતા
સવારે 9 કલાકે 2 બાળકો ન્હાવા પડ્યા હતા

આ પણ વાંચોઃ ગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ફાયરના જવાનો, DYSP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઘટના અંગે વાપી ટાઉન PI બી. જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બની છે. આ ખાડામાં હાલ વરસાદી પાણી ભરેલું હોય તે પાણીમાં બાબુભાઇનો પુત્ર રાજ અને તેની સાળીનો પુત્ર કાર્તિક ન્હાવા પડ્યા હતાં. જેને ડૂબતા જોઈ પુત્ર રાજની માતા બન્નેને બચાવવા ઊંડા પાણીમાં કૂદી પડી હતી. જેમાં ત્રણેય ડૂબી ગયા હતાં.

એકાદ કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યા

ગટરના ખોદકામ માટે બનાવેલા ચેનલમાં માતા-પુત્ર સહિત ત્રણેયે બચાવ માટે બુમાબુમ કરી હતી. જેને નજીકના શોપિંગ સેન્ટરમાં કામ કરતા વોચમેને જોઈ જતા તે તાત્કાલિક બચાવવા માટે આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જે બાદ આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ અને ફાયરને જાણ કરતા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં બાબુભાઈની પત્ની સુશિલા અને પુત્ર રાજના મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં રવાના કર્યા બાદ સાળીના પુત્ર કાર્તિકના મૃતદેહને એકાદ કલાકની શોધખોળ બાદ પાણીમાંથી બહાર કાઢી તેને પણ વાપી ચલા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત

આ પણ વાંચોઃ કડીની કેનાલમાં સ્નાન કરતા 4 યુવકો ડૂબ્યા, 1નું મોત, 3નો બચાવ

કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક સાથે 2 પરિવારોના દિપક અને માતાનો જીવ લીધો

રેલવેના DFCCIL પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક સાથે 2 પરિવારોના દિપક અને માતાનો જીવ લઈ લેતા આસપાસના લોકોમાં પણ અરેરાટી ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે મૃતક 12 વર્ષીય કાર્તિક ગઈ કાલે જ તેના માતા પિતા સાથે માસીના ઘરે આવ્યો હતો. જ્યાં તેમના માતાપિતા તેને મૂકીને મુંબઈ સામાજિક પ્રસંગમાં ગયા હતાં. બન્ને પરિવારમાં રાજ અને કાર્તિક એકના એક દીકરા હતા. બાબુભાઇ રાઠોડના પત્ની અને પુત્ર બંનેના મોત બાદ પિતા-પુત્રી નોંધારા બન્યા છે.

  • ગટરના ખાડામાં 3 લોકોના ડૂબી જવાથી મોત
  • સવારે 9 કલાકે 2 બાળકો ન્હાવા પડ્યા હતા
  • બાળકોને ડૂબતા જોઈ માતા બચાવવા પાણીમાં કૂદી પડી

વલસાડ: વાપી નજીક બલિઠા ગામે આવેલી એક રેસ્ટોરન્ટના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલી ચેનલમાં 2 બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. એક ખાનગી રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો 10 વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની સુશિલાનું તેમજ સાળીના 12 વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલી ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે.

સવારે 9 કલાકે 2 બાળકો ન્હાવા પડ્યા હતા
સવારે 9 કલાકે 2 બાળકો ન્હાવા પડ્યા હતા

આ પણ વાંચોઃ ગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ફાયરના જવાનો, DYSP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઘટના અંગે વાપી ટાઉન PI બી. જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બની છે. આ ખાડામાં હાલ વરસાદી પાણી ભરેલું હોય તે પાણીમાં બાબુભાઇનો પુત્ર રાજ અને તેની સાળીનો પુત્ર કાર્તિક ન્હાવા પડ્યા હતાં. જેને ડૂબતા જોઈ પુત્ર રાજની માતા બન્નેને બચાવવા ઊંડા પાણીમાં કૂદી પડી હતી. જેમાં ત્રણેય ડૂબી ગયા હતાં.

એકાદ કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યા

ગટરના ખોદકામ માટે બનાવેલા ચેનલમાં માતા-પુત્ર સહિત ત્રણેયે બચાવ માટે બુમાબુમ કરી હતી. જેને નજીકના શોપિંગ સેન્ટરમાં કામ કરતા વોચમેને જોઈ જતા તે તાત્કાલિક બચાવવા માટે આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જે બાદ આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ અને ફાયરને જાણ કરતા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં બાબુભાઈની પત્ની સુશિલા અને પુત્ર રાજના મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં રવાના કર્યા બાદ સાળીના પુત્ર કાર્તિકના મૃતદેહને એકાદ કલાકની શોધખોળ બાદ પાણીમાંથી બહાર કાઢી તેને પણ વાપી ચલા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત

આ પણ વાંચોઃ કડીની કેનાલમાં સ્નાન કરતા 4 યુવકો ડૂબ્યા, 1નું મોત, 3નો બચાવ

કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક સાથે 2 પરિવારોના દિપક અને માતાનો જીવ લીધો

રેલવેના DFCCIL પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક સાથે 2 પરિવારોના દિપક અને માતાનો જીવ લઈ લેતા આસપાસના લોકોમાં પણ અરેરાટી ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે મૃતક 12 વર્ષીય કાર્તિક ગઈ કાલે જ તેના માતા પિતા સાથે માસીના ઘરે આવ્યો હતો. જ્યાં તેમના માતાપિતા તેને મૂકીને મુંબઈ સામાજિક પ્રસંગમાં ગયા હતાં. બન્ને પરિવારમાં રાજ અને કાર્તિક એકના એક દીકરા હતા. બાબુભાઇ રાઠોડના પત્ની અને પુત્ર બંનેના મોત બાદ પિતા-પુત્રી નોંધારા બન્યા છે.

Last Updated : May 21, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.