વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી દુષિત અને ડોહળુ હોવાના કારણે શહેરીજનો શુદ્ધ પાણીની ખરીદી કરવા મજબુર બન્યા છે. ત્યારે લોકો પાણી લેવા માટે સવારથી જ લાઈનમાં લાગી જતા હોય છે.
મહત્વનું છે કે, વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેને પગલે શહેરમાં રોગચાળો વધતાં લોકો હવે સ્વચ્છ પાણી ખરીદી રહ્યાં છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ પાણીની ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીને કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે, સમગ્ર વડોદરા શહેરમાં આજવા નિમેટા પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે. જે પાણી ડહોળું હોવાના કારણે વારંવાર ટાંકી સાફ કરાવવાની ફરજ પડી રહી છે. આ સાથે જ આ દૂષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચી રહ્યું છે. તો આ મામલે વડોદરા કોર્પોરેશન કેેવા પગલે લે છે, તે તો જોવાનું રહ્યું.