વડોદરાઃ શહેરમાં ચાર વર્ષ અગાઉ રાજ્ય સરકારે શહેરના સૌથી મોટા એટલે કે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 3 કિલોમીટરથી વધુ લાંબા બ્રિજ બનાવવાની જાહેરાત કરી( Manisha Chokdi Over Bridge from Manisha Circle)હતી. જેમાં સરકાર દ્વારા ફંડ ન આપવામાં આવતા બ્રિજનું કામ (Vadodara Overbridge )રોકાયું હતું. ત્યાર બાદ વિવાદ વધતા નવી નિમાયેલી સરકારે તબક્કા વાર 110 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. પાલિકા દ્વારા માર્ચ મહિનામાં જાહેરાત કરાઈ હતી કે 9 મહિનામાં બ્રિજ તૈયાર થઈ જશે, પરંતુ હવે જ્યારે 3 મહિના બાકી છે અને બ્રિજ ની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી બ્રિજ સમયસર બનશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચોઃ નરોડાના વિવાદિત ઓવરબ્રિજનું નામ રેલવે ઓવર બ્રિજ કરાયું
નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો - મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીનો બ્રિજ નિર્માણ રાજ્ય સરકારે જવાબદારી હોય છે. સરકાર દવારા પૂરતા નાણા ન આપતા બ્રિજની કામગીરી અટકી હતી. સરકાર દ્વારા સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી બ્રિજની કામગીરી કરવા કહેવામા આવ્યું હતું. જો કે વિપક્ષ દ્વારા વડોદરા શહેરના વિકાસના પૈસા બ્રિજ પાછળ ખર્ચાશે તો શહેરના અન્ય કામો કઈ રીતે થશે. સાથે ગોકળ ગતિએ થતું કામ શહેરના નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ Genda Circle Bridge Issue : 5 વર્ષથી બનતો આ બ્રિજ ક્યારે પૂર્ણ થશે? સરકારે હાથ અદ્ધર કરી દીધાં
સપ્ટેમ્બર મહિના સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થઈ જશે - છેલ્લા પાંચ વર્ષથી નિર્માણ પામતો વડોદરા શહેર અને ગુજરાતનો સૌથી મોટો ઓવરબ્રિજ નિર્માણમાં રાજ્ય સરકાર દ્વારા 100 કરોડની રકમ ફાળવી છે. આવનાર સપ્ટેમ્બર મહિના સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થઈ જશે સાથે શહેરના વિકાસ માટે કોઈપણ દબાણ હોય અને તેને દૂર કરવામાં આવે તે શહેરના વિકાસના માટે છે અને ઝડપી રાહદારીઓને આ બ્રિજનો લાભ મળે તે દિશામાં કર્યા થઈ રહ્યું છે.